SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મેધામૃત ૧૦૦ અસ'સાર· શું હશે? તેનું જીવને ભાન નથી. કોઈ પુણ્યના ચેાગે સત્પુરુષના ચાગ થયા, વાણી સાંભળી, પણ તેમાં વૃત્તિ રાખવી એ જીવ કરી શકતા નથી. વિષમ પરિણતિ ભૂલે ત્યારે સમપરિણતિમાં આવે. જીવને રાગ કે દ્વેષ કરવાની ટેવ પડી છે. ઊભા રહેતા નથી. ઉદાસીનતા આવી નથી. અવકાશ ન લાવે ત્યાં સુધી જીવને પેાતાનુ ભાન થાય નહીં. “નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા.” ગમે તે ખાએ, એસે, ચાલે, પણ નિર ંતર ઉદાસીનતાના ક્રમ સેવવે. એ કર્યાં વિના છૂટકેા નથી. મેક્ષ નથી ગમતા, સંસાર ગમે છે. એ જીવને એક પ્રકારના દ્વેષ છે. જ્ઞાનીપુરુષ કહે છે કે આખુ જગત મળે છે. કાંય શાંતિ નથી. જ્યાંસુધી જ્ઞાનીનાં વચના જે આપણને તારનાર છે, તેના ઉપર પ્રેમ ન થાય ત્યાંસુધી શાંતિ ન થાય. સંસારની અનંત પરિણતિ છે તે નિવારી સુખી કરનાર જ્ઞાનીપુરુષ છે. અત્યારે જીવ અજ્ઞાનપરિણતિથી દુઃખી છે, તે નિવારવા જ્ઞાની સમર્થ છે. જ્ઞાનીનાં વચનાનુ' એટલું મળ છે. જ્ઞાની આત્માને જાણીને વચન કહે છે તે આત્માને સ્પર્શે છે, તેથી દુ:ખ મટે જ. જ્ઞાનીનાં વચન સાંભળી અપૂર્વ ભાગ્ય જાણે કે ધન્ય મારા દિવસ કે એવું સાંભળવા મળ્યુ. એમ પ્રેમ આવે તેા જ્ઞાન થાય. જેમ જેમ પ્રેમ વધતા જાય તેમ તેમ જ્ઞાન થાય. પરમપ્રેમ થાય તે તત્કાળ જ્ઞાન થઈ જાય. ઘૂંટીને પી જાએ. કાંઈ જુએ નહીં. પ્રેમ આવે તે જ્ઞાનીનું સ્વરૂપ સમજાય, અને જ્ઞાનીનું સ્વરૂપ સમજાય તેા પેાતાનુ સ્વરૂપ પણ સમજાય. આજે, ગમે તે કાલે, લાખ વર્ષ, મેાડે કે વહેલે એ એક જ માર્ગ છે. માડુ' કરવા કરતાં વહેલું કરવું. હું દુઃખી છું એમ મનાતું નથી. શરીરનું જરાક દુઃખ લાગે તેા ડૉકટર પાસે જાય, પણ આ અજ્ઞાનનુ દુઃખ, દુઃખ લાગતું નથી. કૂવામાં પડવું સારું, અગ્નિમાં બળવું સારું, સર્પ પાસે બેસવું સારું, જંગલમાં સિંહ પાસે બેસવું સારું, પશુ આ અજ્ઞાનમાં રહેવું સારુ નથી. જ્ઞાનીએ આધ્યાત્મિક દૃષ્ટિએ એટલું દુ:ખ અજ્ઞાનમાં જોયું છે. જ્ઞાનીએ કરુણા લાવી જે કંઈ માગ કહ્યો છે તેને ગ્રહણ કરનાર તા પેાતે જ ને? આત્મા પ્રગટ કરવા હાય તે। . પરમ પ્રેમ જોઇશે. સ સારથી પ્રેમ ઉઠાડી જ્ઞાનીનાં વચનામાં જોડવાના છે. જ્ઞાનીનાં વચનામાં તલ્લીનતા તે જ શ્રદ્ધા છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ એમાં તલ્લીનતા થાય છે, પણ જ્ઞાનીમાં, તેમનાં વચનમાં થતી નથી. એ શ્રદ્ધા જ નથી. “માહાત્મ્ય જેવું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષાનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધાઆસ્થા.” એનુ નામ શ્રદ્ધા છે. શ્રદ્ધા એ મેાક્ષના માર્ગ છે. જેટલું આપણને સાંભળવા મળે તેટલું આપણે લક્ષ રાખી સાંભળવુ, આત્માની વાત જતી ન કરવી. આપણે કામની છે. એકવાર સાંભળે તેથી ન સમજાય, પણ ઘણીવાર સાંભળે ત્યારે સમજાય. એક વાર વાંચવાથી સ્મૃતિ રહેતી નથી. મેક્ષે જવું હાય તેણે મેાક્ષનાં સાધન એકઠાં કરવાં. પુસ્તક વગેરે પેાતાની પાસે હાય તા વ ́ચાય. [વ. ૩૯૭] · ૧૧૪ શ્રી રા॰ આહાર, ક્ાગણ સુદ ૧૦, ૨૦૦૮ કેટલાક એમ કહે છે કે આ કાળમાં ક્ષાયક સમ્યગ્દર્શન ન હૈાય. એ વાતને સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy