SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન જ્ઞાનીનું શુદ્ધસ્વરૂપ જાણે, તે પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટે.ભક્તિ એ એક ટેક છે. બહુ અઘરું છે. સંસારકામના બધી છોડવાની કહી છે. અસંસારભાવ કરવાનું કહ્યું છે. પુરુષ મોક્ષની મૂર્તિ છે. “મૂર્તિમાન મેક્ષ તે પુરુષ છે.” (૨૪૯). તેમના ગુણેનું ચિંતવન કરવું તે એવા ગુણે પ્રગટે. એ બીજાના સ્વરૂપની વાત નથી. પોતાના ઘરની જ વાત છે. જ્ઞાની પુરુષના અવલંબને પિતાનું સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મહાપુરુષની દશાને વિચાર કરી, તેમાં લીનતા કરવી તો આત્મસ્વરૂપ પ્રગટે. સતી જેમ પોતાના પતિ પ્રત્યે પ્રેમ રાખે છે, તેનાથી અત્યંત ગણે (ગુ) પ્રેમ પુરુષ ઉપર કરી તેમાં લીનતા કરવાની છે. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રતધમે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ” જ્ઞાનાક્ષેપકવંત એટલે જેનું વિચારજ્ઞાન વિક્ષેપરહિતપણે જ્ઞાની પુરુષના આધ્યાત્મિક વચનોમાં લીન થયું છે. જ્ઞાની પાસે જે સાંભળ્યું છે તે શ્રત છે. તેને આત્મામાં ધારણ કરવું. “ દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એમ જ્ઞાની પાસેથી સાંભળ્યું તે એ શ્રુત પ્રતિ એ પ્રેમ કરવો કે ઘડીએ ઘડીએ સાંભર્યા કરે. એટલે પ્રેમ થાય તે પછી એ આંકડીઓ (આંકડ) ભરાયે કહેવાય, તે છૂટે નહીં. સતી કરતાં પણ અત્યંતગણ પ્રેમ જોઈએ છે. જગતમાં સતી જે પ્રેમ ક્યાંય નથી, તેથી એ દૃષ્ટાંત આપ્યું છે. વાણીમાં આવે એવી વાત નથી. પણ આત્મા જાણે છે કે કેટલે પ્રેમ આવ જોઈએ. જ્ઞાની પુરુષે જે કંઈ કહ્યું હોય તેમાં પ્રેમ આવે, તેમાં ને તેમાં જ રહ્યા કરે, એથી જ મારું કલ્યાણ છે, એમાં એટલે કાળ જાય તેટલું મારું જીવન સફળ છે, એમ અપૂર્વતા લાગે તે સ્વછંદ રેકાય. જ્ઞાનીએ જે કહ્યું હોય તેમાં અચળપણું કરવું. અચળે એટલે બીજે ખસે નહીં. એવી ભક્તિ કરવાની છે. મંત્રનું સ્મરણ ભુલાય નહીં એવું કરવાનું છે. ગમે ત્યાં બજારમાં હેઈએ કે ઘરમાં, પણ એ જ સાંભર્યા કરે એવું થાય ત્યારે ભક્તિ કરી કહેવાય. જ્ઞાનીએ કહેલાં વચને સિવાય આખું જગત સેનાનું થાય તો પણ મારે તૃણવત્ છે, એવી ભાવના કરવી. પ્રેમને સંસાર પરથી ઉઠાડી જ્ઞાનીએ કહ્યું તેમાં જોડ. મન બીજે ચેપ્યું . તે બધેથી ઉઠાડે તે ભક્તિ થાય. “ પ્રીતિ અનંતી પર થકી જે તોડે, તે જાડે એહ પરમપુરુષથી રાગતા. ” મનને કહેવું કે તારે છૂટવું હોય તે બધેથી છૂટી અહીં આવ. જગત જોઈતું હોય તે લખચોરાશીમાં ભટક. વૈરાગ્ય એ એક્ષન ભેમિ છે. એ વૈરાગ્ય આવે તે મોક્ષમાર્ગ એને દેખાય. સંસારમાં પ્રેમ કર્યો છે તેથી અનંતગણે પ્રેમ પુરુષનાં વચનમાં કરવાને છે. સંસારને પ્રેમ તે લખારાશીમાં ભટકાવે, અને આ ભગવાન પરને પ્રેમ તે બધેથી મુક્ત કરે. જ્ઞાની પાસેથી સાંભળ્યું હોય તે શ્રત છે. “એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી ૨, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” વિશ્વાસ કરવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે માનીશ ? તે કે હા. તે જ તારું કામ થઈ ગયું. અનાદિથી જીવને સંસારમાં પ્રેમ કરતાં આવડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy