SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ટ મેલામૃત છે તેથી અલૌકિક પ્રેમની ખખર નથી. અન`તકાળે ય આ વાત સાંભળી નથી. પણ પુણ્યના ઉદયે સદ્ગુરુના ચૈાગ થયા અને એવી વાત સાંભળવા મળી તે બીજી પ્રવૃત્તિ આડે આવે છે, પાછા ખીજે તણાઈ જાય છે. અનાદિથી જીવને સંસારપરિણતિ છે. એકેન્દ્રિય આદિમાં તા એવી અલૌકિક વાત સાંભળવા મળતી નથી. કાન નથી એટલે શું સાંભળે ? પુણ્ય વધ્યું ત્યારે મનુષ્યભવ મળ્યેા. ઉત્તમ કુળ, આ દેશ, દૂધ, જ્ઞાનીના ચેગ થયા અને પુણ્યના ચેાગે એવી વાત પણ સાંભળવા મળી. પશુ પાછે અવકાશ ન મેળવે તે શું થાય ? અવકાશની જરૂર છે. જ્યારે સમકિત થાય ત્યારે ખરા સુખી થાય છે. “મશે હાય ઈહાં અવિનાશી, પુર્દૂગલાલ તમાસી રે ”. (પમી ષ્ટિ). ત્યાં એને સુખના રસ્તા મળ્યા. પેાતાનું ભાન ન થયું હેાય ત્યાંસુધી સુખ નથી, દુ:ખ જ છે. જીવાને આત્માનુ સુખ પ્રાપ્ત થાય તે માટે કરુણાથી સત્પુરુષા આવા ભક્તિમાર્ગ કહે છે. કેાઈ સુખી થાય તા સારું' એમ દયાને લઇને કહે છે. બીજો એમને સ્વાર્થ નથી. જ્ઞાનીની પરપરાના માગ એવેા છે કે જાગતા હૈાય તે જગાડે. જેણે આત્મા જાણ્યા છે તે જ ઉપદેશ આપી શકે, ખીજાને ભાન કરાવી શકે. “બીજુ કાંઇ શેાધ મા, માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્તો જા. (૭૬). ટૂંકામાં આ કહી દીધું, માક્ષનુ સુખ વાતેામાં સમજાય એવું નથી. આત્માનું સુખ પરમાનદરૂપ જ છે. ભગવાન કહે છે કે મેાક્ષનું સુખ અમે જાણીએ છીએ પણ કહી શકતા નથી. ઇન્દ્રિયાનાં સુખતા દુઃખ જ છે. જેમ આત્માના જ્ઞાન ગુણ છે, શ્રદ્ધા ગુણ છે, એવા સુખ પણ આત્માના ગુણ છે. જીવ ભૂલા પડેલા છે. તેથી બીજામાં આનંદ માને છે. જ્ઞાનીનુ વચન અનુભવતુ છે, તે સામા જીવને જાગૃત કરવા સમર્થ છે, દુઃખ મટાડવા સમર્થ છે. કૃપાળુદેવનાં વચનેા અનુ ભવપૂર્ણ છે, તે આત્માને જાગૃત કરવા સમ છે. અપૂર્વભાવની ખામી છે. અપૂતા લાગે તેા તરત સમકિત પામે અથવા વધારે કમ હાય તે અનુક્રમે પામે. [વ. ૩૯૬] 113 શ્રી॰ રા॰ આ॰ અગાસ, કાર્તિક વદ ૪, ૨૦૦૯ ત્રણે કાળ આત્મા સ'સારી જ થઇ જાય એમ નથી, બન્ને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે. ' ભક્તિ અને સત્સ`ગ કરવાનાં છે. ભક્તિમાં જે લીનતા છે તે ખરા સત્સંગ છે. ભગવાનના ગુણેામાં વૃત્તિ રાખવી તેા વધારે લાભ થશે. જ્ઞાનીનું સ્વરૂપ જાણે તે એનુ પેાતાનું ખરું સ્વરૂપ પ્રગટે. બીજી એને પછી ગમે નહીં. ભક્તિના સત્સ ંગથી અત્યંત શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. એવુ આ ભક્તિના સત્સ ંગનું ફળ છે. 46 વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થવાનું કારણ સદ્ગુરુ છે. સદ્ગુરુ પ્રત્યે આપણુને શુદ્ધ ભક્તિ જોઈએ. પૈસા મળે, માટા થઇએ, એવી ઇચ્છા ન કરવી. ‘ કામ એક આત્મા તુ, જો નહી. મન રોગ.” એમ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ વિચારવું. જ્ઞાનીના સ્વરૂપને એળખીને જે ભક્તિ કરે છે, તેને આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, એમાં કાંઇ શંકા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy