________________
વચનામૃત-વિવેચન સાંભળે, કલ્યાણ થાય એવો ધમ. એ ધર્મ કોને હોય? તો કે જેનું મન વિક્ષેપરહિત થયું છે, વિચારદશા થઈ છે તેને–વચ્ચે વિષયકષાયમાં તેની વૃત્તિ જાય નહીં, જે વિચાર કરે છે, તે જ એને આવે, બીજા ન આવે; એવું જેનું વિચારજ્ઞાન દઢ થયું છે, જ્ઞાની પાસે સાંભળ્યું તેને વિચાર કરી સ્થિરતા વધારે છે, તેને એ ધમ હોય છે. રોજ આપણે આ કડી બેલીએ છીએ પણ કૃપાળુદેવે આમાં રંગ પૂર્યા છે.
એક તે જ્ઞાની પાસેથી જે સાંભળ્યું છે તેમાં જ એ મનને સ્થિર કરે છે. બીજું તેમાં ભક્તિનું બળ જોઈએ તે બતાવવા માટે “મન મહિલાનું” એ દષ્ટાંત આપ્યું છે. એનું મન બીજે જાય નહીં. જ્ઞાનીની જ અપૂર્વતા લાગે. જેમ પતિવ્રતાનું મન બીજા કામ કરવા છતાં પતિમાં રહે તેમ તેનું મન જ્ઞાની પુરુષ પાસે સાંભળેલાં વચનમાં જ રહે છે. જેને આત્મકલ્યાણ કરવું છે તેણે જ્ઞાની પુરુષ પાસેથી કંઈક કલ્યાણ થાય એવું સાંભળ્યું હોય તેમાં મનને કેવી રીતે રાખે છે, તે બતાવવા આ દષ્ટાંત આપ્યું છે. દષ્ટાંતમાં સાંસારિક પ્રેમની વાત છે, પણ અહીં મુમુક્ષુએ પુરુષ પ્રત્યે, તેમના વચન પ્રત્યે, તે વચન આશય આત્મા જગાડવાને છે તે પ્રત્યે પ્રેમ કરવાનો છે. અહીં પતિવ્રતારૂપ મુમુક્ષુ છે. પતિવ્રતા જેમ પતિને ભૂલતી નથી, તેમ મુમુક્ષુ જ્ઞાની પાસેથી જે સાંભળ્યું છે તેને ભૂલતો નથી.
પ્રભુશ્રીજી કહેતા કે જીવે બધું સામાન્ય કરી નાખ્યું છે. જ્ઞાની પ્રત્યે પ્રીતિભાવપૂર્વક જ્ઞાન થાય છે. “જે પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ માટે અને સહેજે આત્મબોધ થાય.” નિષ્કામભક્તિ શેડી હોય તે પણ ઘણે લાભ કરે, પણ જ્ઞાન અપ હેય તે કંઈનું કંઈ માની બેસે. જુદા જુદા ધર્મો થવાનું કારણ એ અલ્પજ્ઞાન જ છે. એથી ભ્રાંતિ પિષાય છે. સંપૂર્ણ વસ્તુ ન સમજાય તેથી એકાંતે માને. આત્મા નિત્ય છે અથવા અનિત્ય છે એમ એકાન્ત માને. ભક્તા છે કર્તા નથી અથવા કર્તા છે લેતા નથી એમ પણ કેટલાક માને છે. એ બધાં મતભેદ થવાનું કારણ અલપજ્ઞાન જ છે. આખી જિંદગી સુધી ભક્તિ જ કરવાની છે. એનું ફળ તે આવશે. ફળ જેવાનું નથી. કર્યા કરવી. તે નિષ્કામભક્તિ છે. આત્માનું કલ્યાણ થાય એ સિદ્ધાંત છે તેને સમજાવવા માટે “મન મહિલાનું” એ દષ્ટાંત આપ્યું. જ્ઞાનીએ જે કહ્યું હોય તે શ્રત ધર્મ પ્રત્યે ઉલાસપૂર્વક સ્નેહ કરવાનું છે. બધેથી પ્રેમ ઉઠાડી, બધેથી વૃત્તિ ખેંચી લઈ શ્રત ધર્મ પ્રત્યે જોડવાનો છે. ખાવાનું મળે કે ન મળો, લેકે વખાણ કે નિજો, પણ મારે તે આટલા ભવમાં આ જ કરવું છે. બીજે ઉપયોગ જાય નહીં એવું કરવું. સંસારની ઈચ્છા છે તે બધી ભૂલી જવી. નિર્વિકાર થાય ત્યારે બોધ પરિણમે છે. કામ્ય પ્રેમ છે તે પલટાઈ થતપ્રેમ થઈ જાય. પતિવ્રતાને પ્રેમ છે એટલા સુધી જ અટકી રહેવાનું નથી, તેનાથી અનંતગણે પ્રેમ કરવાનું છે, અપૂર્વભાવ આવે જોઈએ. પહેલાં જે ભાવ આવ્યા નથી તે આવે ત્યારે આત્મા ઓળખાય. અહીં તે પ્રેમ કહેવો છે તે મોક્ષને માટે છે, એને બીજે પ્રેમ રહે નહીં. અનાદિથી જીવ સંસારી રહ્યો
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org