SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ધામૃત બે ત્રણ પત્રોમાં વિસ્તાર કર્યો છે. પતિવ્રતા સ્ત્રી આખો દિવસ કામ કરે પણ પતિને વિસરે નહીં, તેમ મુમુક્ષુને બીજા કામ કરવાં પડતાં હોય તેય જ્ઞાની પાસેથી જે શ્રવણ કર્યું છે તે ભુલાય નહીં, ચિત્ત બીજે જાય નહીં, ત્યારે લીન થયું કહેવાય. જ્યાં પ્રેમ હોય ત્યાં જ ચિત્ત રહે છે. દેહ ભલે બીજે હોય પણ જે વસ્તુમાં પ્રેમ હોય ત્યાં ચિત્ત રહે. પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત બીજાં કામ કરવા છતાં પતિ સિવાય બીજામાં ન રહે. પતિ એને વિસરાતે નથી. એવું આ એક દષ્ટાંત છે. બધા કરતાં પતિવ્રતાને પ્રેમ સંસારમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે. પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે પ્રેમ હોય છે. સવારમાં ઊઠીને બધી સતીએનાં નામ લે છે, તેનું કારણ એ પવિત્ર છે. પતિવ્રતાને પ્રેમ તે સંસારપ્રત્યયી પ્રેમ છે. એ દષ્ટાંત ઉપરથી અસાંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનું છે. જીવની પાસે પ્રેમ મૂડી છે, લૌકિક પ્રેમ શરીરાદિ પ્રત્યે છે તે પલટાવી પુરુષ પ્રત્યે કરે તો કેવળજ્ઞાન સુધી લઈ જાય. પરપ્રેમ-પ્રવાહ બંઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, ” સંસારને ક્ષય કરવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સાધન છે. જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો હાય, લક્ષ રાખવા કહ્યું હોય તે પ્રત્યે એટલે પ્રેમ હોય કે દેહ પ્રત્યે પણ તેટલે પ્રેમ ન રહે. જ્ઞાનીનું એક વચન પણ મેક્ષે લઈ જાય એવું છે. તેમાં જ એનું ચિત્ત રહે છે. છઠ્ઠી કાનતા દષ્ટિમાં એ પ્રેમ હોય છે. પાંચમી સ્થિરા દષ્ટિમાં ક્ષાયક સમકિત થાય છે. તેથી પણ ચઢિયાતી દશામાં એ પ્રેમ કહ્યો છે. રાગ, પ્રેમ, સ્નેહ બધું એક જ છે. જે પ્રેમ સંસાર પ્રત્યે છે તે સંસાર પ્રગટાવે અને તે ધર્મ પ્રત્યે થાય તે ધર્મ પ્રગટે. કાન્તા શબ્દનો અર્થ પણ એ જ છે–પતિવ્રતાનું ચિત્ત પતિમાં જ રહે છે, તેમ મુમુક્ષુનું ચિત્ત સપુરુષનાં વચનમાં જ રહે. ભક્તિમાં સ્વછંદ આદિ દોષો થતા નથી. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. જ્ઞાનમાર્ગ બહુ અઘરે છે. તેમાં અ૫ જ્ઞાન હોય તે નુકસાન કરે. ભક્તિમાં હું કઈ જ જાણતો નથી એમ થાય છે અને આજ્ઞામાં વતે તેથી ચિત્ત બીજે જાય નહીં. સત્પષનું ચિત્રપટ હૃદયમાં દેખાય તે કરતાં પુરુષના સ્વરૂપની ભક્તિ કરે, સ્મૃતિ કરે એથી વધારે લાભ છે. પુરુષની દશા સમજવા ગુણોનું સમરણ કરવા માટે ચિત્રપટ છે. [વ. ૩૫] ૧૧૨ શ્રી. રાવ આ૦ અગાસ, કાર્તિક સુદ ૪, ૨૦૧૦ “તેમ કૃતધમેં રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે” એટલું જ કહ્યું. અક્ષેપક એટલે જેનું જ્ઞાન વિક્ષેપરહિત થયું છે, તેનું મન બીજે જાય નહીં. મૃતધર્મ એટલે જ્ઞાની પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy