SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન સંકલ્પવિકલ્પ એમને એમ રહેતા નથી, આવી આવીને જાય છે. એ બધી મનની ક્રિયા છે. જ્ઞાનીને પણ અજ્ઞાન દશામાં બાંધેલાં કર્મ આવે, પણ એથી એ જુદા રહે છે. કૃપાળુ દેવ કહે છે કે અમે અમારું પ્રારબ્ધ આઘું પાછું કરવા ઈચ્છતા નથી. સહેજે થાય તે જ કરવું છે. જેમ હાથપગમાં ધૂળ ચટેલી હોય તો કંઈ ન લાગે, પણ આંખમાં પડે તે ખટક ખટક થાય; તેમ સંસારમાં એમને વૈરાગ્ય છતાં રહેવું પડે છે તેથી આંખથી રેતી ઉપાડીને બીજે મૂકવા જેવું દુઃખ થાય છે. બીજા નાં ચિત્ત હાથપગ જેવાં છે. જે ઉદયમાં આવે તે જ, સંચા કામ કરે તેમ, ક્રિયા થયા કરે છે. એવી દશા છતાં પણ ઉપાધિ બહુ છે. જેને સામાન્ય વૈરાગ્ય હોય તેને ઉપાધિ ગમતી નથી તે પછી જેને આત્મજ્ઞાન સાથે વૈરાગ્યદશા ઝપાટાબંધ વધે છે તેમને ઉપાધિથી આંખ પાસે રેતી ઉપડાવવા જેટલું દુઃખ લાગે છે. પણ સમભાવ રાખવાની ટેવ પડી ગઈ છે તેથી ચિત્ત સ્થિર રહે છે. આમસમાધિને નાશ થતો નથી. આટલે બધે વૈરાગ્ય છે અને પાછી ઉપાધિ પણ એટલી બધી છે એવા આ પ્રસંગને કે ગણ? તે વિચારવા એગ્ય છે, એમ કૃપાળુદેવ સભાગભાઈને લખે છે. વિષમ પરિણામ થાય એવા પ્રસંગ હોય, તેમ છતાં સમ રહે તો વિશેષ કર્મક્ષય થાય. નવી કંઈ ઈચ્છા થતી નથી, પણ પૂર્વ પ્રારબ્ધને લઈને આ ઉપાધિમાં ખળી રહ્યા છે. પણ એ છોડવાયેગ્ય છે એમ રહે છે. જગતના કોઈ પદાર્થની ઈચ્છા થતી નથી, પણ એક સત્સંગની ઈચ્છા રહે છે. કેઈ પદાર્થમાં રુચિ રહી નથી. એવી વાત કોઈને કહીએ તો કઈ માને નહીં. લેકની દષ્ટિ તે ઉપાધિ પ્રત્યે હોય છે, તેથી આ તો વેપારી છે એમ ગણે. અપૂર્વ સામગ્રી મળી છે, તે ભવિષ્યકાળે મળે એવી નથી. પૂર્વે જીવને જ્ઞાની તો મજ્યા, પણ બાહાદષ્ટિ રહેવાથી ઓળખાણ થયું નથી. તેથી કલ્યાણ થયું નથી. કૃપાળુદેવ સહજરૂપ જ છે. વ્યવહારમાં લખવું પડે, કરવું પડે, પણ ચિત્ત એમાં ખેંચાતું નથી. એવી અસંગદશા થઈ છે. ઉપાધિમાં રહેવા છતાં પાણીમાં કમળ રહે તેમ ભિન્ન રહે છે. [વ. ૩૯૩] ૧૧૦ શ્રી. ર૦ ૦ અગાસ, કા૦ સુદ ૩, ૨૦૧૦ જિન એટલે જે છે રાગ, દ્વેષ અને અજ્ઞાન જીત્યા છે તે. ચેાથે ગુણસ્થાનકે પણ એ અંશે છતાય છે, તેથી સમ્યગ્દષ્ટિને પણ જિન કહ્યા છે. પણ અત્યારે તો એવા વિશાળ અર્થ રહ્યા નથી. જિન એટલે હાલમાં તે અરિહંત જ કહે. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ. ” [વ. ૩૯૪] “મન મહિલાનું વહાલા ઉપરે” એ પદ આપણે રાજ બેલીએ છીએ, તેને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy