________________
૪
મેલામૃત
પેાતાના આત્માનું હિત કરવુ એ છે, પણ પેાતાને કાંઈક ઉપદેશ મળ્યા તે બીજાને દેખાડતા કરે. લેાકેા મને સારે કહે એમ કરે છે. એને પેાતાના દેષ દેખાવા અઘરા છે. ખીજાના દેષા દેખાડે. જ્ઞાનીની દીર્ઘદૃષ્ટિ હેાય છે. કેમ બંધાય ? કેમ છૂટે? એ બધું જ્ઞાની જાણે છે, પણ જીવ ન માને ત્યારે જ્ઞાની શુ કહે? જ્ઞાની મળ્યા, આજ્ઞાથી કલ્યાણુ છે એમ જાણ્યું, છતાં વાતેમાં જીવ ભૂલી જાય છે.
[વ. ૩૮૫]
૧૦૯ શ્રી રા॰ આ॰ અગાસ, કારતક સુદ ૪, ૨૦૧૦
સૂર્ય'માં કેાઈ રાતદિવસ છે નહીં. આપણે ન દેખીએ ત્યારે અસ્ત કહેવાય અને દેખાય ત્યારે ઉદય એમ કહેવાય છે, પણ સૂર્યને કઈ ઉદય-અસ્તપણું નથી. તેમ જ્ઞાનીપુરુષા છે તેમ છે,' પણુ જગતના જીવાને બીજી બીજી લાગે છે, એમની દશા લક્ષમાં આવતી નથી. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ જ છે. એ સ્વરૂપને ભૂલતા નથી. જ્ઞાની તેા બધી અવસ્થામાં જેમ છે તેમ છે. લેાકેાને એમ લાગે કે ઉપાધિમાં આપણને ચિંતા થાય છે તેમ જ્ઞાનીને પણુ થતી હશે. પણ જ્ઞાનીને તેા બધે સમભાવ છે. જ્ઞાનીને 'શાક કશું નથી. બધું માંડી વાળ્યું છે. પણ લેાકેાની જેવી દશા છે તેવી તેમને જ્ઞાનીની દશાની કલ્પના થાય છે. આ કલ્પનાથી જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ છે. તે વેદનાથી જુદા રહે છે. પણુ જગતના જીવે એમ ક૨ે છે કે એમને બહુ દુ:ખ છે. એ કલ્પના એને જ્ઞાનીને સમજવા દેતી નથી. એ કલ્પના મૂકવાની છે. જ્ઞાની તેા હુંમેશાં હુ શેક મૂકી સમભાવમાં રહે છે. દેહાધ્યાસ એમને છૂટયો છે, તેથી દેહ તે હું' એમ એમને નથી. આત્મામાં જ સુખ છે, આત્મામાં જ તૃપ્તિ છે, એમ જ્ઞાનીને રહે છે. જ્ઞાની આત્માથી ધરાયલા છે; ખીજી વસ્તુની એમને જરૂર નથી. આત્માના ગુણેામાં એમની વૃત્તિ સમાયેલી છે, બીજે વૃત્તિ જતી નથી. આત્મા સિવાય બીજા કેાઈ પદાર્થમાં સુખ છે નહી, સતાષ પણ આત્મામાં જ છે. આત્મજ્ઞાની તા મુક્ત છે. દેહને ગમે તેમ થાય પણ એએ એથી જુદા રહે છે. જ્ઞાનીને આત્મામાં પરિતાષ એટલે સતષ, તૃપ્તિ છે. મૂર્તિમાન મેક્ષ તે સત્પુરુષ છે” (૨૪૯) સત્પુરુષના આત્મા એ જ મેાક્ષની મૂર્તિ છે. પેાતાની કલ્પના ખસે ત્યારે જ્ઞાની મુક્ત જ છે એ સમજાય. કલ્પના મૂકે તે સમજાય; નહીં તે કેમ એાળખાય ? જેને સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થઈ છે, તે જ્ઞાનીને ગમે તેવાં કમ દેખે તે પણ ન ફરે. જ્ઞાની આત્માને અસગપણે રાખે છે. એની બીજાને કેમ કરી ખબર પડે?
પ્રારબ્ધ જેમ દોરે તેમ દેરાઇએ છીએ. છૂટવાના ક્રમમાં જ છીએ. આમાને કાઈની સાથે લેવા દેવા નથી. આત્માનું કામ જોવાજાણવાનું છે. એ જ કામ એએ કર્યાં કરે છે. જ્ઞાની કર્માંથી મુક્તરૂપે જ રહે છે. બીજા જીવા કમ ઉદયમાં જે પ્રમાણે રહે છે, તે પ્રમાણે જ્ઞાની પણ લાગે છે, પણ એ એથી જુદા છે. માત્ર જોનાર રહેવું એ રસ્તા જ્ઞાનીને સુગમ લાગે છે. સ`કલ્પવિકલ્પ એ કર્મનું ફળ છે. જોનારા છે તે સંકલ્પવિકલ્પથી જુદે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org