SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન પાંચ ઈન્દ્રિયેના વિષયેની વ્યાકુળતા અત્યંત છે એવા જ ઘણા છે. કર્મ બાંધવાનું કારણ મન છે. પશુઓને આપણું એટલે વિકાસ નથી તેથી તેમને ઓછાં કર્મ બંધાય છે. - હવે બીજા પ્રકારના છે કે જેમને પરમાર્થમાં વિહળપણું નથી થયું. સમજુ હોય તેને ચિત્ત વિક્ષેપ પામતું નથી. પિતે આત્માનું હિત થાય તેમ વર્તતા હોય અને બીજાને સંગ થાય તે પણ એ ભૂલી ન જાય. એને બીજે પ્રીતિ ન થાય. જગત સાવ સેનાનું થાય તે પણ એને તરણ જેવું લાગે. એ કઈ પુરુષ હોય તે તે રામ જેવું છે. રામને જે વૈરાગ્ય હતું તે વૈરાગ્યવાન એ પુરુષ છે. એવા ઘણું હોય તો કળિકાળ કહેવાય નહિ. અંશે પણ એવા ગુણ ધરાવતા જીવ થડા પણ દેખાતા નથી એ જોઈ ખેદ અને આશ્ચર્ય થાય છે કે આ કાળ કે આવ્યા છે! સારા માણસે મળતા ય નથી ! પરમાર્થ પ્રાપ્તિમાં ચિત્ત રહ્યા કરે તે વિહળપણુરહિત છે. વિહળપણું થાય ત્યારે એ પરવશ થઈ જાય. સંગની અસર જેને નથી થઈ તે કઈ પુરુષ હોય તો તે રામ જેવો છે. પ્રીતિ અનંતી પરથકી જે તોડે, તે જોડે એ પરમ પુરપથી રગતા.” પરમાર્થ કામ જેણે હાથમાં લીધું છે તેની વૃત્તિ બીજે ન જાય. સંસાર બધે દુઃખને દરિયો છે, ક્યાંય સુખ નથી. સંસારમાં કોઈ સુખી નથી, દેવલોકમાં કે બીજે સંસારના કોઈ ખૂણેખાંચરે પણ સુખ નથી. આત્માને વિશ્વાસ આવે તો બીજા કારણથી હું સુખી છું એમ ન લાગે. ત્યાંથી મન ઊઠી જ જાય. એવા વૈરાગ્યવાળા, પરમાર્થની ઈચ્છાવાળા આ કાળમાં જણાતા નથી. સંસાર છોડી મોક્ષે જવું એવી ઈચ્છાવાળા છે ડા છે. કૃપાળુદેવને ઉપાધિ એટલી બધી રહે છે કે નિદ્રા સિવાય બાકીને અવકાશ એક કલાક સિવાય ઉપાધિમાં ગાળવો પડે છે. જ્ઞાની ગમે તે અવસ્થામાં હોય, સુખમાં કે દુઃખમાં કે ઉપાધિમાં પણ સમભાવને ન ભૂલે. કોઈક જી મોક્ષે જાય છે. મેક્ષે જવા શું કરવું ? મોક્ષ કેમ થાય? એ રસ્તે જ જીવને હાથમાં આવતું નથી, કર્મ બાંધ બાંધ કરે છે. તે પછી સંસાર જ રહે. જીની દષ્ટિ સંકુચિત થઈ ગઈ છે. મોટા આશ્ચર્યવાળા દરિયા, પવન, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તારા આદિના ગુણે જેવા જેવા છે, તેનું તે માહાસ્ય નથી અને પિતાનું નાનકડું ઘર, કે થોડા પૈસા હોય તેની પણ મહત્તા લાગે છે. તેનું અહત્વ વર્તે છે. જીવને દષ્ટિરાગ છે. જેમ છે તેમ જીવને જણાતું નથી. મેહથી જીવ બંધ થઈ ગયા છે. સત્સંગ, સપુરુષનું એાળખાણ નથી. એ ભ્રાંતિ છેડવી હોય તે જ્ઞાનીને યોગે છૂટે. પણ સત્સંગના મહાભ્યનું ભાન નથી. જ્ઞાનીનું કદી ઓળખાણ થયું તો પણ પિતાની ઈચ્છા છેડી એને વર્તવું ગમતું નથી. સ્વછંદ શેકાત નથી. પોતાની ઈચ્છાએ જ વર્તવાનું મન થાય છે. એની ઈચ્છા હોય એ જ પ્રમાણે જ્ઞાની કહે, તો કરે. સ્વચ્છેદ ન રોકે તે કેમ મેક્ષ થાય? પાંચ ઇન્દ્રિયના વિષયે ઝેર જેવા છે, અનાદિકાળથી ભટકાવનારા છે. જ્ઞાની ઝેર કહે તે એને ઝેર લાગતું નથી, જ્ઞાનીને અંકુશ એનાથી સહન થતું નથી. જ્ઞાનીને ઉપદેશ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy