________________
બધામૃત
વૃત્તિ રહે છે, એ સિવાય બીજી ઈચ્છા થતી નથી.
વ્યાપાર કરે આદિ પૂર્વને લઈને કરવું પડે છે. જે વિશ્વ રાખે રામ તા વિધ રહીએ.” ગમે તેમ કરે પણ કમ તે જીવને છોડે નહીં. માટે જ્ઞાની સમભાવે વતે છે.
મોક્ષના સુખની પણ ઈચ્છા નથી, પણ બધું મૂકવું છે એવી ઈચ્છા રહે છે.
વનની મારી કેયલ અથવા વાની મારી કોયલ. પવનના ઝપાટે કોયલ વનમાંથી ગામમાં આવી જાય તેમ કૃપાળુદેવ આ કળિકાળમાં આવી પડયા છે. દુકાન ઉપર બેઠા બેઠા વન-ઉપવન બધું સંભારતા. વન, ઉપવન, તપનાં સાધને એમને પ્રિય છે.
[વ. ૩૮૩]
૧૭ શ્રી. રાવ આ૦ અગાસ, આસો સુદ૨, ૨૦૦૯ કલેશિતભાવ થવાનું કારણ અન્ય વસ્તુને મારી માનવી એ છે. મારું માને તો કલેશ થાય. મારું ન માને તો કલેશ શું? અને કલેશ ન થાય એ જ સમાધિ છે. આત્મા તે પરમાનંદ સુખસ્વરૂપ છે. તેમાં રહે ત્યાં આગળ કલેશ નથી. એને કલેશનું કારણ કંઈ રહ્યું નથી. યર એવાં કર્મ છે. સંસાર કહેશરૂપ અને આત્મા પરમાનંદરૂપ છે, એમ જેને ભાસ્યું છે તેને ભેદજ્ઞાન છે. પ્રારબ્ધ છે તે જ્ઞાનીને પણ ભોગવવું પડે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આ સંસાર ત્રણે કાળ અસાર જ ભાસે છે. જ્ઞાની પુરુષ બને તેટલાં કમ તે જ્ઞાન ધ્યાનથી ખપાવે છે, પણ જે કર્મો રહે છે તે જોગવવા પડે છે.
[વ. ૩૮૪].
૧૦૮ શ્રી રા. આ અગાસ, કારતક સુદ ૫, ૨૦૧૦ આ કાળને કળિયુગ કહેવાનું કારણ શું? તે કહે છે કે આ કાળમાં દુખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત ન થવામાં પંચેન્દ્રિયના વિષયમાં આસક્તિ કારણરૂપ છે, તેને લઈને કાળ એ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયે વગર ગમે નહીં એવા આ કાળના જીવે છે. ધર્મનાં સાધને ગમતાંય નથી. અંતરદષ્ટિ થાય તો પછી બહારની વસ્તુ એને ન ગમે. રૂપ આદિ પાંચ ઈન્દ્રિયના વિષયને અભ્યાસ ઘણા કાળથી છે, તેથી અતીન્દ્રિયસુખની શ્રદ્ધા થતી નથી. સિદ્ધને શું સુખ હશે? તેને ખ્યાલ આવતો નથી. વસ્તુ મળે ત્યારે તેમાં લીન થાય છે, તેથી પોતાનું સુખ ભૂલી જાય છે, તેથી વ્યાકુળતા છે અને ન મળે તેની પણ વ્યાકુળતા રહે છે. શાતા એ અંતરદાહ છે અને અશાતા એ બાહ્યાંતરદાહ છે. એટલે બધી વખતે (શાતા-અશાતામાં) જીવ વ્યાકુળ રહે છે. જીવનાં પરિણામ સ્થિર રહેતાં નથી. રાગદ્વેષ થયા કરે છે એ જ ખરી બળતરા છે. જીવની જેમ જેમ શક્તિ ઓછી થાય છે, સામગ્રી ઓછી થાય છે, તેમ તેમ જીવને વ્યાકુળતા વધે છે, આસક્તિ વધારે થાય છે. આ કળિકાળમાં પંચેન્દ્રિયના વિષયનું સુખ છે તે અ૫માત્ર છે. ટૂંકમાં આયુષ્ય છે. પહેલાં તે ઇન્દ્રિયનાં સુખનાં સાધને બહુ હતાં તે પણ વ્યાકુળતા આટલી બધી નહતી. દેખત ભૂલીમાં આખું જગત પડયું છે. આ કાળમાં સમજણવાળા છે ડા છે. જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org