________________
વચનામૃત-વિવેચન રવું. તજ્ઞાન જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પાસેથી એ “સમયસાર સમજવાયોગ્ય છે. જ્ઞાનીપાસે મારે સમજવું છે, એમ રાખી વાચન કરવું. નિશ્ચયથી આત્મા અકર્તા છે અને વ્યવહારથી આત્મા કર્તા છે. એના ઉકેલ બધા આત્મસિદ્ધિમાં મૂકી દીધા છે. પિતાથી વિચાર જેટલા થાય તેટલા કરવા. જ્ઞાની કહે તે સાચું અને જ્ઞાની પાસે મારે સમજવું છે એમ રાખવું.
| સ્વરૂપ સમજવાયેગ્ય છે, તે નિર્વિકલ્પ જ્ઞાની દ્વારા સમજાય છે. જ્ઞાનીના ભાવે જ્ઞાની સમજાવે છે. [વ. ૩૭૯]
૧૦૬ શ્રી. રાત્રે આ અગાસ, કારતક સુદ ૫, ૨૦૧૦ જેનાથી કંઈ છાનું રાખ્યું નથી, તેવા સોભાગભાઈ છે. બેયનું હૃદય એક જ છે.
અનંતકાળથી જીવ ભિખારીની પેઠે ફર્યા કરે છે. મને જેવા, ચાખવા, દેખવાનું મળે એમ ભિખારીની પેઠે ફરે છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારીપણું જતું રહે તે એ જ આપણા તરણતારણ છે. ઈચ્છા એ જ ભીખ છે. જે માગે તે ભિખારી છે. લાખ રૂપિયા હોય અને બે લાખ કરવા હોય તો એ ભિખારીપણું જ છે. જેનાથી અનાદિનું ભિખારીપણું મટી જાય તે તરણતારણ છે. જેની ઈચ્છાઓ છૂટી ગઈ છે તેનાથી જ ઈચ્છા છૂટે છે.
આ કાળમાં ઘણું જીવો એવા છે કે જેને સત્સંગનું ભાન નથી. એટલા માટે કળિકાળ કહ્યો છે. આ કાળમાં પણ મોક્ષ થાય છે, પણ એ ભેગ નથી બાઝ. “તું છો મોક્ષસ્વરૂપ” આ દેહાધ્યાસ મૂકી દે તે એ જ મોક્ષ છે.
“ શું પ્રભુ ચરણ કને ધ, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વતું ચરણધીન. ” આત્મા આપે એ જ મોક્ષ છે.
અંતરંગમાં જેને પરમાર્થનો નિશ્ચય થયો છે, તેને પછી કમ આવે તે સમભાવે દવાનાં છે. ઉપાધિ કરવાની ઈચ્છા નથી, પણ પૂર્વકર્મને લઈને ભોગવવું પડે છે, તેથી સમભાવે વેદે છે.
એમને સંસાર છોડે છે પણ સંસાર એમને છોડતો નથી.
સત્સંગની ઘણી ઈચ્છા રહે છે. એ યોગ થાય તે શાંતિ થાય, પણ એ ભેગ થાય એમ નથી. એટલે મેંપે છે ભગવાનને હાથ કે તારે કરવું હોય તેમ કર.
- પ્રવૃત્તિ બધી કરવી પડે છે, પણ એ કરવાની ઈચ્છા કે બુદ્ધિ નથી. કર્મના ધક્કાને લીધે કરવું પડે છે. આત્મામાં સમાઈ જવું એ જ ભાવના રહે છે. અથવા એનું કારણ સત્સંગ છે, તેમાં જ વૃત્તિ રહે છે. કોઈને એમ કહેવું કે તેમ કહેવું, એવી બુદ્ધિ થતી નથી. “સમજ્યા તે સમાયા.” એમને આત્મા જેવી કોઈ વસ્તુ પ્રિય લાગતી નથી. આત્મામાં હોય ત્યારે બેલવા ચાલવાનું નથી. એ આત્માપણું તે મૌનપણું છે. આત્મા સંબંધી પ્રસંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org