SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૨ મોક્ષને ઉપાય કરે; જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે ભાવના બીજા ભાવમાં પણ કાયમ રહે. તેનું ફળ મેક્ષ છે. માટે પુરુષાર્થની જરૂર છે. સર્વ કરવું છે તે એક લક્ષ થવાને અર્થે કરવું છે. લક્ષ ન થાય તે લક્ષ વગરના બાણની પેઠે બધાં સાધને નિષ્ફળ જાય. લક્ષ થવા માટે સત્સંગ એ સર્વોત્તમ અને સહેલે ઉપાય છે. સત્સંગથી જે લક્ષ કરવાનું છે તે લક્ષ સહજે થાય છે. જે લક્ષ થઈ જાય, તે પછી બધા સાધન સફળ થાય. માટે લક્ષ કરી લેવાનું છે. તે સત્સંગથી થાય છે. સત્સંગમાં વિઘ કરનાર આરંભ અને પરિગ્રહ છે. માટે આરંભપરિગ્રડથી નિવૃત્ત થઈ સત્સંગ કરે તે સહજે લક્ષ થાય. અને લક્ષ જે પિષાય તે કરવાનું થઈ જાય. જીવને ત્યાગની ઘણી જરૂર છે. ત્યાગ એ રાજમાર્ગ છે, અનંત સુખસ્વરૂપ છે. જગતના પ્રપંચથી જે પાછો વળે તે ઘણું નિવૃત્તિ મળે. સાવ નવરે અને કેરો થઈ જાય. માટે ત્યાગ ઉત્તમ છે. સારું કામ કરવું હોય તેને અનુકૂળ યુવાવય છે. હવે સારામાં સારું શું છે? તેને વિચાર કરે તે આત્મપ્રાપ્તિરૂપ ધર્મ જ સારરૂપ નીકળે છે. એને માટે યુવાવય ઘણું અનુકૂળ છે. બાળવયમાં સમજણ ઓછી હોય છે અને વૃદ્ધાવસ્થામાં કશું થાય જ નહીં. માટે યુવાવર્ષમાં જ ધર્મ-આરાધન કરી લેવું. મરણ ક્યારે આવશે તે આપણે જાણી શકતા નથી. ઘડપણ દેખી શકાશે એ નિશ્ચય નથી. માટે વરાથી અનુકૂળતામાં કામ કરી લેવું. પ્રબળ ઇચ્છાવાળા જ આ કાળમાં ઘણું જ ઓછા જોવામાં આવે છે, માટે જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે તેણે તે પછી એ ઉત્તમ કામમાં પ્રમાદ કરે ઉચિત નથી. સંગે પલટાય છે. આત્મા કાયમ તેને તે જ રહે છે. જેમ ઠરેલું ઘી આપણે જોયું હોય અને પછી તેને ગરમ કરીએ તે તે જ ઘી ખાપણને તેલ જેવું દેખાય; પણ જે પહેલેથી તે ઘીની સુગંધથી, ચાખવાથી ખરી. ખાતરી કરી લીધી હોય તે પછી ગમે તે રૂપમાં તે ઘીને આપણે ઓળખી શકીએ. તેવી જ રીતે આત્માને પણ તેના ગુણે વડે, અનુભવ વડે તપાસી ખરી ખાતરી કરી લીધેલી હોય તે પછી ગમે તે સંગોમાં પણ આપણે તેને ઓળખી શકીએ. નહીં તે અંગે પલટાતાં શ્રદ્ધા પણ પલટાઈ જાય. માટે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય અને ઉપશમ વડે આત્માને ઓળખવાની આજ્ઞા કરી છે. દેખાય છે તે બધું પલટાઈ જવાનું છે, તે પછી તેમાં રાગ કરી બેટી થવું નકામું છે. જે વસ્તુ હમણાં છે તે સાંજે દેખાતી નથી. એવી વસ્તુને વિશ્વાસ કેણ સમજુ હોય તે કરે ? તે પરથી વિશ્વાસ ઊઠે તે સહજે ઉપશમ થાય, ઉપશમ એટલે કષાયોની મંદતા જે વસ્તુનું સ્વરૂપ સમજાય, તે પછી તેની પ્રાપ્તિઅપ્રાપ્તિમાં હર્ષશેક થાય જ ક્યાંથી ? માટે વૈરાગ્ય વધારવાની જરૂર છે. વિરાગ્ય લાવવા માટે બાર ભાવનાએ વિચારવી. ૫૬ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વ. ૧૧, ૨૦૦૮ હું દેહથી ભિન્ન છું એ લક્ષ રાખ. પિતાની કલ્પનાએ વર્તવામાં ધર્મ નથી, જાણનારને ભૂલ નહીં. દરેક અવસ્થામાં કૃપાળુદેવનાં વચને હિતકારી છે. કૃપાળુદેવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy