________________
બધામૃત ની જરૂર છે. વીશે દેહરા અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે, એ ભાવે રાખીને ભક્તિ કરવી. બડબડ એકલું બોલી જવું નથી. આપણે માટે ભક્તિ કરીએ છીએ
એ લક્ષ રાખવે. કૃપાળુદેવે પ્રભુશ્રીજી ઉપર એક પત્ર (૫૩૪) લખે છે તેમાં વિશ દેહરાનું મહામ્ય કહ્યું છે. ભૂલા પડેલા જીવને ઠેકાણે લાવે તેવું છે. “યમનિયમ” પણ તેવું જ છે. આ કાળમાં ભક્તિ જેવું એકે સાધન નથી. બધું એમાં સમાય છે. અહંકાર થાય નહીં એવું છે.
સંસારની કઈ પણ ચિંતા કરવી નહીં. કૃપાળુદેવે લખ્યું છે કે “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.” (૬૦). જે હું ચિંતા કરું તે મારી શી વલે થશે? એમ વિચારવું. સંસારનું કામ કરવું પડે તે મનમાં રાખવું કે એ કામ મારું નથી. જેને પુરુષની શ્રદ્ધા થઈ છે, અને તેની આજ્ઞાને જે ઉઠાવે છે, તે પુરુષ ભાગ્યશાળી છે. જેટલી ભક્તિ થાય તેટલું આપણું જીવન સફળ છે. ક્ષણે ક્ષણે જીવન જાય છે, તેમાં જ્ઞાનીના વચનમાં, ભક્તિમાં એટલે કાળ ગાલે તેટલે સફળ છે. એવી ભક્તિ કરવી કે દુકાન ઉપર કામ કરતાં પણ યાદ આવે, અસર રહે. પુસ્તક વાંચીએ ત્યારે કૃપાળુદેવ આપણે ઘેર પધાર્યા છે એ લક્ષ રાખીને વાંચવું. જ્યારે યાદ કરે ત્યારે સામે ઊભા જ છે.
જ્યારથી મુનિ થાય ત્યારથી એક મેક્ષ તરફ લક્ષ હોય અને પુરુષાર્થ પણ તેને જ હોય છે. તેથી કર્મ ખપે છે. “દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છૂટવાના કામને બાંધે નહીં અને બંધાવાના કામીને છેડે નહીં.” (૧૭૬) છૂટવાને કામી હોય તેને પરમાત્મા પણ બાંધતા નથી. કૃપાળુદેવ લખે છે કે “કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું ?” (૫૭૬). સાચી વસ્તુ પડી રહી અને કલ્પિતની માન્યતા થઈ ગઈ છે. આવાં વચનને સંગ્રહ કર્યો હોય તો આપણને બીજાં કામ કરતાં પણ સાંભરે. દેહ કરતાં અનંતગણુ કાળજી આત્માની રાખવાની છે. પુરુષાર્થ કરવાનું છે. કૃપાળુદેવનાં વચન મળ્યાં છે તે ગ્રહણ કરવાં. “સહજત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર બહુ ચમત્કારી છે. એ જપતાં કોટી કર્મ ખપે છે.
૫૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કા.. વ. ૧૦, ૨૦૦૮ મરણ કરવું. હું દેહથી ભિન્ન છું એ લક્ષ રાખ.
એક ભાઈ–જેમ કેઈ પત્ર મુખપાઠ કરીએ અને ફેરવીએ નહીં તે તે ભૂલી જવાય છે, તેમ પુરુષોના બંધથી જે કંઈ ભાવમાં ફેરફાર થાય તે આ દેહ છોડ્યા પછી રહે કે ભૂલી જવાય?
પૂજ્યશ્રી—પત્ર એક જ દિવસમાં મુખપાઠ કર્યો હોય તે તે થોડા વખત સુધી યાદ રહે અને વારંવાર રેજ યાદ કરે છે તે ઘણા દિવસ સુધી યાદ રહે. તેમ પુરુષને બોધ એકવાર જીવ સાંભળે, કંઈક સંસાર અનિત્ય લાગે; પાછો તે નિમિત્તથી દૂર થાય કે તે અસર મટી જાય છે. ઘણુ કાળ સુધી સત્પષના બોધને માત્ર છૂટવાની ભાવનાએ સાંભળે તો તેની અસર ઠેઠ મરણ સુધી રહે અને ખાતા–પીતાં, કામ કરતાં, સૂતાં--જાગતાં જ્ઞાનીની આજ્ઞામાં રહે, તેને જીવનને સાર સમજીને બીજી બધી ઈચ્છાઓ ત્યાગીને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org