SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૨ “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં માય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” દેહને મારે માને છે તે વિભાવભાવ છે. તે માટે ત્યારે દેહને ને મારે લેવાદેવા નથી, મારે દેહના વિકલ્પ કરવા જેવા નથી એમ જાણે. ત્યાર પછી “જ્ઞાન થતાં દૂર થાય” –બધું ય નાશી જાય. ૪૬ શ્રીમદ્ રા. આ અગાસ, કા. સુ. ૧૩, ૨૦૦૮ મૂળમાં ભૂલ રહી જાય છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પડવાનાં ઘણાં કારણે છે. ખરું સમતિ આવી જાય તે વાંધો નહીં. પહેલું, સમકિત કરી લેવાનું છે. ત્યારથી એ બધાં સાધને સવળાં છે. મૂળમાં ભૂલ હોય અને ગમે તેટલાં સાધન કરે, પણ બધાં અવળાં; કર્મનું કારણ થાય. ઉપગ એ આત્માનું લક્ષણ છે. “ ઉપગ ત્યાં ધર્મ છે.” (૬) મુમુક્ષુ-ઉપદેશબોધ અને સિદ્ધાંતબેધમાં ફેર શું છે? - પૂજ્યશ્રી–-સિદ્ધાંતબેધમાં જે છ દ્રવ્ય અને તેના ગુણપર્યાયની વાત વગેરે હોય છે, તે કઈ દિવસે ન ફરે, અને ઉપદેશધ છે તે સામાન્ય છે. અમુક શેડા પાપવાળું કંઈ હોય અને તેને કરવાથી નરકે જાય એમ કહ્યું, પણ તેથી બધાય નરકે જાય એમ નથી. જીવનું ભલું થવા અથવા વૈરાગ્ય થવા માટે કહે તે ઉપદેશબંધ છે. મુમુક્ષુ ઉપદેશબંધ પરિણમ્યા વિના સિદ્ધાંતબાધ ન પરિણમે? પૂજ્યશ્રી—ન પરિણમે. મેક્ષની રુચિ થઈ હય, સદ્ગુરુ પ્રત્યે ભક્તિ હય, વૈરાગ્ય હોય તેને સિદ્ધાંત પરિણમે. તે વિના ન પરિણમે. ૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. સુદ ૧૫, ૨૦૦૮ પૂજ્યશ્રી–સત્સંગની જરૂર છે. પુરુષના ચોગ વિના પોતાની મેળે ગમે તેટલા પુસ્તકે ભણે છે તેથી પાર આવે નહીં. ઘર, પૈસાટકા મારાં માની રહ્યો છું અને મારે થોડાક દિવસોમાં તે જવું છે એમ જેને વૈરાગ્ય હોય તેને સમજાય. “પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય.” (૧૦૭) ભગવાનની ભક્તિ હોય ત્યાં કેવળજ્ઞાન તરફ લક્ષ રહે છે. જ્યાં પ્રભુભક્તિ હોય ત્યાં ઉત્તમ જ્ઞાન હોય. ભક્તિની અપૂર્વતા સમજાય તે પિતાના સ્વછંદને રેકે, ત્યાં સાચું જ્ઞાન છે. સદ્દગુરુના ચોગે ભક્તિ જાગે છે. ૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૧, ૨૦૦૮ એક ભાઈ–વાણીનું સંયમન શ્રેયરૂપ છે” (૪૭૯) એટલે શું? vપૂજ્યશ્રી–મન, વચન, કાયા એ કર્મ બંધાવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન છે તે વિશેષ કર્મ બાંધવાનું કારણ છે." વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનને સંયમ રાખવા જેવું છે. જરૂર પડે તેટલું જ બેસવું. ઘણું લેકને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે, જેમાં કંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy