________________
બેધામૃત તેટલે બોધ પરિણમે. સરલભાવ ન આવે ત્યાં સુધી બોધ ન પરિણમે. સરળતાવાળે સીધો છે અને માયાવાળે વક્ર એટલે વાંકે છે.
જ્યાં લોભ ન હોય ત્યાં સંતોષ અને સુખ છે. જેમ જેમ લેભ ઓછો થાય તેમ તેમ સમકિત થાય છે. લેભ જાય તે બધી આકાંક્ષા જાય. બધાય મહાપુરુષોએ આ સંસારને અસાર કહ્યો છે, છતાં આ જીવને તે બેસતું નથી. સંસારમાં ક્યાંય માલ છે નહીં. મહાપુરુષનાં વચને છે તે માખણ છે અને બીજા બધા જી છાશ ખાય છે. તુચ્છ વસ્તુ તે જવને મોટી લાગે છે. ઘરમાં કંઈક ચોરી થઈ ગઈ હોય તે આકુળવ્યાકુળ થઈ જાય; અને જેને ઘેર છ ખંડનું રાજ્ય હતું તે ક્ષણવારમાં છોડીને ચાલી નીકળ્યા. સમજણું કરી લેવાની છે. સમજણ થઈ તે એની મેળે છૂટી જશે. વૈરાગ્યની વાત છે. વિચારવા જેવી છે.
લેભમાં બધા દહાડા જાય છે. ઈચ્છા માત્ર લેભ છે. એ જ મોટી ભૂલ છે. “ક્યા ઈચ્છત ખેવત સબ, હૈ ઇરછા દુઃખમૂલ.” વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા એ જ પરિભ્રમણનું કારણ છે. જીવને ગ્રહણ કરવાની બુદ્ધિ છે, તો પછી સુખી ક્યાંથી થાય? માથે બે ઉપાડે તે દુઃખી જ થાય. ઇછા દુઃખનું મૂળ છે. એક લેભ જાય તે ચારેય જાય. છેક અગિયારમા ગુણસ્થાનથી પાડનાર લેભ છે.
મુમુક્ષુ–ઇચ્છા ન કરીએ તે ખાવાપીવાનું શાથી મળે?
પૂજ્યશ્રી—એ તે પૂર્વે જે બાંધ્યું છે તે મળશે. એક પરમાણુ માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. માટે જ્ઞાનીઓએ આત્માને આગળ રાખવાનું કહ્યું છે. “આત્માથી સૌ હીન.” સમજણ નથી ફરી તેથી બહાર ફરે છે. લેભને કાઢવા માટે પરિગ્રહની, જરૂર હોય તેટલી, અમુક મર્યાદા કરે કે આટલું થયા પછી ધર્મધ્યાન કરીશું. જ્યાં સુધી સમજણ ન કરી હોય, ત્યાં સુધી મર્યાદા પણ એવી જ હોય. જરૂર હોય એક લાખની અને મર્યાદા કરે ચાર લાખની, તે શાથી પાર આવે? લાભ શત્રુ છે એમ જાણે તે જ તેને કાઢવા લાગે. કંઈક પાછું વળવાની ઈચ્છા હોય, તે જ થાય, કષાયની ઉપશાંતતા તે આત્માર્થીનું પહેલું લક્ષણ છે.
૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. સુદ ૧૨, ૨૦૦૮ મુમુક્ષુ—“વચન નયન યમ નાહીં” એને શો અર્થ હશે? - પૂજ્યશ્રી-કર્મ બાંધવામાં મુખ્ય કારણ વચન અને નયન છે. કેઈથી વેર બાંધે તે વચનથી જ બાંધે છે. કેઈને ખરાબ વચન કહે તે કર્મ બાંધે. આંખથી દેખીને રાગદ્વેષ કરે તેથી કર્મબંધ થાય છે. તેને હે ભગવાન! મારાથી સંયમ થઈ શકતું નથી.V
Vબાહ્યદષ્ટિ છે તે ફેરવીને અંતરદૃષ્ટિ કરવાની છે. હું કોણ છું? કેણ બોલે છે? કોણ સાંભળે છે? તેને વિચાર કરવાને છે. આત્મા સિવાય બીજું કંઈ કરવું નથી. જીવની બાહ્ય દૃષ્ટિ છે, તેથી અંતરદૃષ્ટિ થતી નથી. કર્તાપણું અને મારાપણું એ બન્નેય ખરાબ છે. જવને સ્વભાવ જાણવાને છે. જવને “હું કરું છું, મેં આ કર્યું” એમ કર્તાપણાની ટેવ પડી ગઈ છે. જે જાણે તે બધું બેટું લાગે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org