________________
બધામૃત જ્યારે આપણે ભાવ મળે પડવા લાગે ત્યારે ઝટ ચેતીને સત્સંગ કરવા જતા રહેવું.
નેળિયે સાપ સાથે લડવા જાય ત્યારે સાપ તેને દંશ મારે કે તરત જઈને જડીબૂટી ઝૂંધી આવે તેથી ઝેર ઊતરી જાય. ફરી તેની સાથે લડવા જાય, ત્યારે સાપ કરડે કે તરત બૂટી સૂધી આવે. એમ કરતાં કરતાં નેળિયે નિર્વિષ થઈને ઝેરીલા સાપને મારી નાખે છે. તેમ સંસારરૂપી સાપ છે, જીવરૂપી નેળિયે છે અને સત્સંગરૂપી બૂટી છે. જ્યારે જીવને સંસારરૂપી સાપનું ઝેર ચઢે ત્યારે સત્સંગરૂપી બૂટીને સૂધી આવે તે ઝેર ઊતરી જાય. એમ કરતાં કરતાં સંસારને નાશ કરીને મેક્ષે જાય. માટે ભાવ બગડે કે તરત ચેતી લેવું.
૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૫, ૨૦૦૭ ધર્મધ્યાનમાં વૃત્તિ રાખવાની છે. જીવે લૌકિક ભાવે તે બહુ કર્યા છે. કેઈ લોકો એમ કહે છે કે દિવાળી આવે છે, માટે ઘેર ગયા વિના ન ચાલે, પણ આપણે તો નવા દિવસોમાં નવા નવા ભાવ થાય તેવું કરવાનું છે. પર્વોમાં છ રૂઢિ પ્રમાણે વર્તે છે. મનુષ્યભવ આમ ફરી નહીં મળે, માટે કંઈક કરી લેવું.
મુમુક્ષુ-ને ઓપરેશન કરાવ્યું છે. બે ગાંઠે નીકળી છે.
પૂજ્યશ્રી-કર્મની ગાંઠ મોટી છે. “રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ દેહને માટે ઘણું કરે છે, પણ આત્માને મેટી ગાંઠો પડેલી છે, તેને તે વિચાર જ નથી ! જેમને એક ભવમાં જ મોક્ષે જવાનું હતું તેવા એ પણ કેટલે પુરુષાર્થ કર્યો હતે ! ખાધું ય નહીં, પીધું ય નહીં, એ પુરુષાર્થ કર્યો હતે. તે એને તે કેટલે પુરુષાર્થ કરવાની જરૂર છે?
આત્મભાવ મોટી વસ્તુ છે, માટે આત્મદષ્ટિ કરવાની છે. દેહદૃષ્ટિ છેડીને આત્મદષ્ટિ કરવી છે. આ મનુષ્યભવમાં જુદા પ્રકારનું મરણ કરવાનું છે. આત્મા ન ભુલાય એ લક્ષ રાખવાને છે.
એક શેઠ હતું. તેને છોકરે ન હતું. તેને ધન માલ બહુ. વૃદ્ધાવસ્થામાં તેને છેક થયે એટલે સારું સારું ખાવાપીવાનું આપ્યું. ઘરેણું વગેરે પહેરાવીને બહુ પ્રેમથી ઉછેર્યો. તેને પછી પરણાવ્યું. પણ પિતાને તે પૂર્વ સંસ્કારને લીધે વૈરાગ્ય હતું, એટલે ઘેરથી નીકળી પડ્યો. તે શેઠ રાતદિવસ તેની ચિંતામાં રહે કે મારે છોકરે ક્યાં રહેતું હશે? તેને ખાવાનું કેણુ આપતું હશે? એમ આખે દિવસ ને રાત ચિંતા કરે, પણ ભૂલે નહીં. તેમ આત્માને માટે લક્ષ રાખવાનું છે. મનુષ્યભવમાં આત્માને ભૂલવાનું નથી. રાતદિવસ એક આત્માને જ ઈચ્છ, તેની જ ચિંતના અને તેમાં જ ચિત્ત રાખવાનું છે. એ જ કરવાનું છે.
અંતરમાં સુખ છે; સંસારમાં નથી. જીવ પિતાની કલ્પનાથી માને છે. આત્માથી બહાર બધું દુઃખ જ છે. રાગ-દ્વેષ અગ્નિ જેવા છે. આત્માથી બધી વસ્તુઓ હીન છે. જીવ કલ્પનાથી દુઃખી થાય છે. કલ્પના માટે તે સુખી થાય. કૃપાળુદેવે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org