SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૨ પ૯ નીચું જાય, તેમ ગ્રહણ કરવાની બુદ્ધિ કરે તે નીચો જાય છે. ત્યાગમાં સુખ છે, ત્યાગમાં સુખ છે, એમ મેઢે બોલે તેથી ખબર ન પડે; પણ જેણે માત્ર એક પરમાણુ ય ત્યાગ કરીને જોયું છે તેને જ ખબર પડે છે. ગ્રહણ કરવું એ સુખને નાશ છે એમ જ્ઞાનીએ જાણ્યું છે. જે કંઈ સાધને કરવાં છે તે અસંગ થવા માટે કરવાં છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને માટે કરવાનું છે. અસંગ થવાને લક્ષ ભૂલી ન જવો. વાત માનવી દુર્લભ છે. લૌકિકથી છૂટે તે અલૌકિક થાય. અલૌકિક દૃષ્ટિની ભાવના કરવાની છે. સત્સંગે કંઈક સાંભળવાનું મળે અને તેની અપૂર્વતા લાગે તે થાય એમ છે. જગતમાં શેધે તો દુઃખ સિવાય કંઈ ન મળે. એક પુરુષને શેધે તે કામ થાય. “બીજું કાંઈ શેધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) ગેરંટી આપી છે. જગતમાં અપૂર્વ પદાર્થની ઈચ્છાવાળા થડા છે; પિતાની ઇચ્છાએ વર્તાનારા ઘણા છે. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે આ કાળમાં પરમાર્થની વૃત્તિ બહુ ક્ષીણપણને પામી છે. પહેલી માન્યતા સુધારવાની જરૂર છે. જેવી ઇચછા કરે તે થાય. ૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આ વદ ૧, ૨૦૦૭ (“નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે” એ પત્ર બેલાઈ રહ્યા બાદ ) પૂજ્યશ્રી–નિશક્તા એટલે શું ? એક મુમુક્ષુ-આત્મા છે તેને વિષે શંકારહિતપણું. બીજા મુમુક્ષુ–સપુરુષને વિષે શંકારહિતપણું. પૂજ્યશ્રી–મૂળ પાયે પુરુષ છે. પુરુષને વિષે નિઃશંકપણું હોય કે આ જ સપુરુષ છે તે જ તેની આજ્ઞાનું આરાધન થઈ શકે. પુરુષમાં જેને દઢ નિશ્ચય હોય છે તેને મહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેને લીધે વ્યાકુળતા મટે છે અને તેથી નિઃસગતા પ્રાપ્ત થાય છે. ખરી નિઃસંગતા તે વ્યાકુળતા મટે ત્યારે થાય છે. “મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કર.” “તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દેષ જોવામાં અપક્ષપાતતા એ છે.” (૨૫૪). મારામાં મુમુક્ષતા ઉત્પન્ન થઈ છે કે નહીં એમ કેઈને જેવું હોય તે વિચારવું કે હું મારા દોષ જોવામાં અપક્ષપાતતા રાખું છું કે નહીં? એમ દેખે તો ખબર પડે. જે દોષ દેખાય તે કાઢવાને પ્રયત્ન કરે તે નીકળી જાય. છ પદના પત્રમાંથી ઘણું જાણવાનું મળે છે. એ છ પદ સમ્યગ્દર્શનનાં મુખ્ય નિવાસસ્થાન છે. પ્રભુશ્રીજીને એક વખતે માંદગી આવેલી તે વખતે એક શ્રાવકને પણ માંદગી આવી અને મરી ગયે. એ શ્રાવકની અને પ્રભુશ્રીજીની જન્મરાશિ એક હતી એટલે પ્રભુશ્રીજીએ વિચાર્યું કે મારે પણ એના જેવી માંદગી આવી છે; માટે મારું પણ મરણ થઈ જશે, વધારે જિવાશે નહીં. એમ વિચારીને કૃપાળુદેવને એક પત્ર લખ્યું. તેમાં લખ્યું કે મને માંદગી આવી છે, મારાથી વધારે જિવાશે નહીં. મને આપને જેગ મળે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy