SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ ૨ ૫૩ ૨૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૫, ૨૦૦૭ શુદ્ધભવ જો ન રહેતા હૈાય તે શુદ્ધભાવ જ મારૂં કરવા યાગ્ય છે એવેા અંતરમાં લક્ષ રાખીને શુભભાવમાં પ્રવર્તે તે મેડેવહેલે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય. મુમુક્ષુ—શુદ્ધભાવની જીવને ખબર નથી તે લક્ષ કેવી રીતે રહે ? પૂજ્યશ્રી—જ્ઞાની પુરુષના અવલખને શુદ્ધભાવના લક્ષ રખાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, હું તે કંઈ જાણતા નથી, એવા ભાવ રાખે તે શુદ્ધભાવના લક્ષ રહે છે. શુદ્ધભાવને અર્થે જે શુભભાવ કરવામાં આવે છે તે પુણ્યાનુબંધી પુણ્ય એટલે પરપરાએ મેાક્ષનુ કારણ થાય છે. અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની ક્રિયા કરવામાં આવે છે તે શુમભાવ નથી પણ શુભક્રિયા છે. તેનુ ફળ સંસાર છે. જગતમાં કયાંય રાચવા જેવું નથી. જેને પેાતાના સ્વરૂપનું ભાન નથી અને જે પેાતાની ઇચ્છાએ વતે છે તે મિથ્યાદષ્ટિ છે. જે વ્રતાદ્ધિ સાધના કરવાં છે તે પેાતાના આત્મા માટે કરવાં છે. આત્મા ત્રણે લેાકમાં સાર વસ્તુ છે. આત્મા જેવી બીજી એકે વસ્તુ નથી. સત્સંગમાં જે કંઈ સાંભળવા, વાંચવા મળ્યું હાય તેને બહુ વિચારવું. મુમુક્ષુ—વિચારવું કેવી રીતે ? પૂજયશ્રી—પેાતાની શક્તિ પ્રમાણે, જે કંઈ સાંભળ્યુ હાય વાંચ્યુ હોય તે, યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાવવું. એમાં જે વાત કહી તે મારામાં છે કે નહીં ? એમાંથી મારે શુ લેવા ચેાગ્ય છે ? શુ ત્યાગવા ચેાગ્ય છે? એમ વિચારવાથી આપણને ઉલ્લાસભાવ આવે; તેથી ક ખપે નહીં તે એકલુ' સાંભળ સાંભળ કરે તે સામાન્ય થઈ જાય અને કહે કે એ તે મેં વાંચ્યું છે, માઢે કહ્યુ... છે. સત્પુરુષનાં વચન ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરે છે. જેમ જેમ તેને વાંચે, વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે. જીવને મનુષ્યભવની મહત્તા લાગી નથી. મનુષ્યભવની એક પળ પણ ચિંતામણિરત્ન સમાન છે. એક પળમાં એને સમકિત થઈ જાય, એક પળમાં એને ચારિત્રને ઉદ્દય થઈ જાય છે, એક પળમાં કેવળજ્ઞાન થઈ જાય, એક પળમાં એના મેક્ષ થઈ જાય. એવી એવી પળા મનુષ્યભવમાં છે. તે હારી જવા જેવી નથી. આ મનુષ્યભવ સંસાર ભેગવવા માટે નથી મળ્યે, પણ એક આત્મકલ્યાણ કરવા માટે મળ્યા છે. નથી (નિવ) જાણ્યા જે આત્મા તેને જાણવા છે; અને જે પુદ્ગલાદિ જાણ્યુ છે તે નથી જાણવું. આત્મા જેવી એકે સાર વસ્તુ નથી. જેને સત્પુરુષ સુધી પરમા સાધવાને માટે સાધના મળ્યાં છે તે પણ ન ચેતે તે તે ક્યારે ચેતશે ? માટે આપણે ચેતી લેવું. આખું જગત નાશવ ́ત વસ્તુઓને વળગી રહ્યું છે, અવિનાશી શુદ્ધ ચૈતન્ય એવા જે આત્મા તેને તે ભૂલી જાય છે. જે છ પદ છે તે સર્વોપરી છેઃ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભેાક્તા છે, મેાક્ષ છે, મેાક્ષના ઉપાય છે. છ પદના પત્ર રોજ વિચારવા અને તેને દૃઢ કરી લેવા. “ અનાદ્વિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy