________________
બેધામૃત શુદ્ધ ભાવ ન રહેતા હોય ત્યારે શુદ્ધ ભાવ પામેલા પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખવું. મરુદેવા કેળના ઝાડમાંથી આવીને જમ્યાં હતાં અને મોક્ષે ગયાં. આત્માની અનંત શક્તિઓ છે. આ મનુષ્યભવ મેક્ષની બારી સમાન છે. તેમાં પેસી જાય તે થાય. નહીં તે ફરી એવી બારી મળવી મુશ્કેલ છે. વાસનાથી આખું જગત ભરેલું છે. વાસના એ જ દુઃખ છે. માટે આપણે વાસનાથી બચવું. મનુષ્યભવ ચિંતામણિ સમાન છે. જે ઈ છે તે મળી શકે. વાસના ભૂત જેવી છે. જેમ કેઈને ભૂત વળગ્યું હોય ત્યારે ગાંડો બની જાય છે તેમ વાસનાથી મનુષ્ય ગાંડે બની જાય છે. “માટે જેની (સત્) પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે, અને પછી “સત્રની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (૨૧૧)
૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૫, ૨૦૦૭ મનુષ્યભવ બહુ દુર્લભ છે. તેમાં પણ સત્સંગને જેગ મળ બહુ દુર્લભ છે. સત્સંગ વગર કંઈનું કંઈ થઈ જાય છે. ઘણું લેકે ઉપનિષદ્, ન્યાય, વ્યાકરણ, વગેરે શાસ્ત્રો ભણવામાં આખી જિંદગી ઈદે છે. જવને કંઈક વૈરાગ્ય અને ઉપશમનું બળ વધે એટલા માટે શાસ્ત્ર વાંચવાનું છે. અનાદિકાળથી જીવ સ્વચ્છેદે ચાલે છે અને તેથી જ રખડતે આવ્યા છે. સંસ્કાર પડેલા મટવા બહુ મુશ્કેલ છે.
મહાવીર ભગવાનને જીવ પૂર્વભવે બ્રાહ્મણને ઘેર જમેલે. ત્યાં વેદશાસ્ત્ર ભણીને તાપસ થયે ત્યાંથી મરીને ફરી જન્મેલે અને ફરી તાપસ થશે. એમ ઘણી વાર તાપસ થયે. છેવટે જ્યારે મુનિ મળ્યા ત્યારે તે સંસ્કાર મળ્યા. કેઈ વખતે ભલું થવાનો વખત આવે ત્યારે જ એવા સંસ્કારે મટે છે.
શું કરવા જ છે અને શું કરી રહ્યો છે? એ તે ધ્યાનમાં જ નથી લેતે. જરાય ભૂલી જાય તો જવું હેય ક્યાં અને જાય ક્યાંય. કંઈ ખબર ન પડે તે મરણમાં ચિત્ત રાખવું. બીજું કંઈ ડહાપણ કરવા જાય તે પાર આવે તેમ નથી. “મોક્ષમાર્ગ પ્રકાશમાં કહ્યું છે કે સત્સંગ ન હોય ત્યારે સશાસ્ત્રનું વાંચન કરવું, વિચારવું, પણ ભાવના સત્સંગની રાખીને કરવું. કુસંગ ત્યાગ. “સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે, સંત વિના અંતની વાતમાં અંત પમા નથી.” (૧૨૮) સર્વમાં ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ છે, અને એ મુખ્ય સાધન છે.
પ્રશ્ન-સત્સંગ એટલે શું?
ઉત્તર–આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ, એકાંતમાં બેસીને પિતાનો વિચાર કરે તે સત્સંગ, ઉત્તમને સહવાસ તે સત્સંગ, આત્માભણ વૃત્તિ રહેવી તે સત્સંગ. જીવ દેખતભૂલીમાં પડ્યો છે. પિતાને ભૂલી ગયેલ છે. પિતાને ભૂલી ગયા પછી પોતે પિતાને હાથ આવ બહુ મુશ્કેલ છે. જ્ઞાની પુરુએ ભક્તિ, મરણ આદિ સાધને કહ્યાં છે તે અંતરવૃત્તિ થવા માટે કહ્યાં છે. યેય ઊંચું રાખવું. સર્વથી બળવાન સાધન આજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org