SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ આધામૃત પ્રેમ આવે તે રુચિ જાગે અને પછી આજ્ઞા પણ આરાધાય. સત્શાસ્ત્રાદિ સાધના છે, પણ તેમાં અટકી રહેવાનું નથી. જ્યારે સત્સ ંગના અભાવ હૈાય ત્યારે જીવની રુચિ તાજી રહે તે માટે છે. આજ્ઞા એ જ જીવન છે, દિવસેા જાય એ જીવન નહી; પણ જેટલી આજ્ઞા આરાધાય તેટલું જીવન છે. સત્પુરુષનું એકેક વચન લઈને તેને માટે ઝૂરશે ત્યારે થશે. અનાદિકાળથી પરિભ્રમણ થાય છે તે કેમ મટે ? એના વિચાર કરવાના છે. મુમુક્ષુતાની ખામી છે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) જ્યારે પ્રેમ આવશે ત્યારે બધુ થશે. “પર પ્રેમપ્રવાહ ખટે પ્રભુસે, સબ આગમભેદ સુઉર અસે.” સત્પુરુષ અને સત્સંગ એ જોઈએ. કૃપાળુદેવે વચનામૃતમાં ઠેકાણે ઠેકાણે સત્પુરુષ અને સત્સંગ એ એને ગાયાં છે. શરીરને લઈને કમ ખાંધે છે. શરીરને લઈને અા સંસાર છે. જેટલા એને શરીર ઉપર વૈરાગ્ય આવશે તેટલુ' મેક્ષ ભણી વલણુ થશે. પાંચ ઇન્દ્રિયાના વિષયેાની લેાલુપતા મટે તે કષાય મટે, કારણ કે પાંચ ઇન્દ્રિયાના વિષયને લઈને કષાય ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયાના વિષયે પરથી ભાવ ઊઠી જાય તે કષાય કૈાના ઉપર કરે ? ૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૩, ૨૦૦૭ ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ તરીકે નથી માન્યા. તેઓ કહેતા કે શ્રીમદ્ રાજચંદ્રજીએ મારા ઉપર અપાર ઉપકાર કર્યો છે, બહુ અસર થઈ છે. પણ અંતરથી ગુરુ તરીકે નહી માનેલા. અનંતકાળથી પેાતાને સારું લાગ્યું તે તે કરતા આવ્યે છે, પણ સત્પુરુષની આજ્ઞાએ કયુ નથી. જ્યારે ત્યારે પણ સત્પુરુષની આજ્ઞા આરાધશે ત્યારે જ સુખી થશે. શ્રીમંત હા, ધીમંત હા, ગરીખ હા કે ગમે તે હા, પણ જ્યારે ત્યારે પણ ‘હું કઈં જાણતા નથી' એવું થશે ત્યારે જ છૂટકારો થશે. આ કાળમાં શ્રીમદ્રે અપાર ઉપકાર કર્યો છે. ‘આત્મસિદ્ધિ’ તેમણે નડિયાદમાં રચી હતી. તેમાં કહ્યું છે કે અનાદિકાળથી પેાતાનું સ્વરૂપ ન સમજવાથી અનંત દુઃખ પામ્યા, તે સ્વરૂપ જેણે સમજાવ્યું તે સદ્ગુરુદેવને નમસ્કાર. આ વમાન કાળમાં મેાક્ષમાગ બહુ લાપ થઈ ગયા છે તે મુચુક્ષુને વિચારવા માટે આત્મસિદ્ધિ’માં પ્રગટ કહી દીધા છે. જીવને લક્ષ થવા જોઈએ. અહુ ભાવ એ મેટા દ્વેષ છે. એનેા નાશ કરવાના છે. આ જીવ અનંતકાળથી દુઃખ ભગવતે આવ્યા છે; છતાં હજી સુધી સસારમાં સુખ માને છે ! એ ખરું સુખ નથી, પણ કલ્પિત સુખ છે. જેવી ઈચ્છા કરે તેવું તેને મળે તેા સારું લાગે, નહી મળે ત્યારે ખાટુ' લાગે છે. સથી ભક્તિ એ મળવાન સાધન છે. ભક્તિ અને સત્સંગ આરાધવાથી સહજે આત્મખાધ થાય. કૃપાળુદેવે છ પદના પત્રમાં લખ્યું છે.જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy