SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધામૃત તે, વિચારતાં બહુ ઊંડે ઊતરે ત્યારે ખબર પડે. બીજાં ઘણાં શાસ્ત્રો જોયાં પણ આત્મ સિદ્ધિ જેવું કઈ શાસ્ત્ર નથી જોયું. બીજાં શાસ્ત્રોમાં પ્રથમ કાળ, આકાશ આદિનું વર્ણન કર્યું છે. તે ભણતાં અને વિચારતાં બહુ વખત લાગે. તેમાં જગતના બીજા પદાર્થોનું વર્ણન કર્યું છે, તેમાં જ ખેંચી જાય તો આત્માનું જે કરવું છે તે રહી જાય. અને આત્મસિદ્ધિમાં તે પહેલેથી જ મૂળ વસ્તુ લીધી છે. જેટલી ગ્યતા હોય તેટલું સમજાય. જીવને જે પિતાનું અસ્તિત્વ સમજાય તો તેમાં લય લાગે. કામ બહુ અઘરું છે, પણ કરવું જ છે એવી જે દઢતા હોય તો થાય એવું છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મ કર્યા છે, તે કર્મને ભક્તા છે, તેને મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે. જ્ઞાની પુરુષે કંઈ બાકી નથી રાખ્યું. મેને ઉપાય પણ કહી બતા – જ્ઞાન, દર્શન, સંયમાદિ મેક્ષના ઉપાય છે. આત્મા જેવી કઈ વસ્તુ નથી. આત્મા અપૂર્વ વસ્તુ છે. એક આત્મા જેવાને છે. જે જે દેખાય છે તેને નથી જેવું, પણ જેનારને જેવો છે. દેહમાં જે જેનાર છે તેને જે છે. આત્મા જ સારી વસ્તુ છે. “આત્માથી સૌ હીન.” એક દિવસ કૃપાળુદેવ બારણામાંથી બહાર આવતા હતા ત્યારે ઉપરનું લાકડું તેમને વાગ્યું. તે જોઈ પાસે ઊભેલા માણસેએ પૂછ્યું, તમને વા? કૃપાળુદેવ બોલ્યા, અમને નથી વાગ્યું. તેમણે ફરી પૂછ્યું, વાગ્યું છે? ફરી કૃપાળુદેવે ના પાડી કે નથી લાગ્યું. તે લેકેએ તે પ્રત્યક્ષ જોયું હતું એટલે ફરી પૂછ્યું ત્યારે કૃપાળુદેવે કહ્યું કે “અમે જઉં બોલતા હોઈએ? અમને નથી લાગ્યું.' સર્વ જીનું સ્વરૂપ સિદ્ધ સમાન છે. તે સ્વરૂપે પ્રગટ કરવા માટે સશુરુની આજ્ઞા અને જિનદશા એ બેની જરૂર છે. ગમે તેમ છે, પણ સદ્દગુરુ કહે એમ કરવું. ભલે સેમલ આપે તે પણ ખાઈ જે. એવી શ્રદ્ધા જોઈએ. જેમ છાશ લેવીને માખણ કાઢે છે અને તેને પાછું નાખી છાશ અને માખણ એક કરવા જાય તે ન થાય. તેવી જ રીતે એક વખત જે શ્રદ્ધા થઈ ગઈ તે કઈ દિવસ નહીં ફરે. હા, કર્મની વાત જુદી છે, કઈ મિથ્યાત્વ કર્મને ઉદય હેય તે ફરે. કાલે સભામાં પ્રભુશ્રીજીના બેધમાં આવ્યું હતું કે, “હું એક આત્મા છું” એવી અંતરમાં ગાંઠ વાળતું નથી. જે ગાંઠ વાળી હોય તે કઈ દિવસ ન ફરે. એક આત્મા જ સાર વસ્તુ છે. આ જીવને ઘણ સંજોગે મળ્યા છે, પણ તે કશા કામના નથી. પ્રભુશ્રીજી કહેતા કે વરનાં ગીત ગાવાનાં છે. જાનમાં ઘણાં માણસો આવે, પણ કામ એક વરનું છે. જે વર ન હોય તે બધું નકામું. તેમ આત્મા ન હોય તે બધું નકામું. ૨૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૭ નિયમિત રેજ વાચન કરવું. એક આત્માને માટે કરવું છે, એ લક્ષ રાખીને કરવું. જ્યાં સુધી સમતિ ન થયું હોય ત્યાં સુધીની ક્રિયા જપતપાદિ બધાં સાધનો મોક્ષને માટે નથી હતાં. જે વખતે એક મોક્ષની રુચિ થાય ત્યારે તે મેક્ષને જ પુરુષાર્થ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy