________________
બધામૃત પૂજ્યશ્રી–હા. પણ જ્ઞાન કયું? પુરુષના બધે પ્રાપ્ત થયું હોય તે. બીજુ જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. એમ તે જગતમાં ઘણું જ્ઞાન છે, તે નહિ.
પ્રશ્ન-જ્ઞાનયોગ અને કિયાગ બનેની જરૂર છે? ઉત્તર–હા, બનેની જરૂર છે. પ્રશ્ન-વટામણના પત્રમાં આવ્યું છે કે ઠાર ઠાર ઓળખાણ રાખવી એટલે શું?
ઉત્તર–ઠાર ઠાર એટલે ઠેકાણે ઠેકાણે, સત્સંગની ઓળખાણ રાખવી. કેઈ સત્સંગી હિોય તેની ઓળખાણ કરવી. આપણને કંઈ ન આવડતું હોય તે બીજાઓને પૂછવું. સભામંડપમાં પણ વંચાતું હોય ત્યારે પોતાને ખબર ન પડે તો પૂછવું. અહીં આવીને કંઈ એકાંતમાં બેસી રહેવાનું નથી, સત્સંગ કર.
પ્રશ્ન–સમ્યગ્દષ્ટિ કોને કહેવાય?
ઉત્તર—જેને શુદ્ધ આત્માને અનુભવ થયે છે અને તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે, જેને જે કર્મ આવે તે સમભાવે વેદવ્યાં છે તેને. “મૂળમાર્ગમાં કહ્યું છે?
“જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત,
કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત.” તેને મિક્ષ સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તેને છૂટવાની ઇચ્છા છે, પણ કર્મ ઉદયમાં આવે તે સમભાવે વેચે છે. કષાય કરવાની ઈચ્છા નથી, છતાં પૂર્વકર્મથી થઈ જાય તે પણ તેને બેટા જાણે છે તેથી તે જાય છે.
પ્રશ્ન-સમ્યગ્દષ્ટિ સંસારમાં શા માટે રહે છે?
ઉત્તર–તે છૂટવાની ઈચ્છાથી રહે છે. પૂર્વે જે શુભાશુભ કર્મ બાંધ્યાં તે ભેગવ્યા વિના છૂટકે નથી, તેથી સમભાવે તેઓ કર્મને વેદે છે.
પ્રશ્ન-એ વેદવાં જ પડશે એમ તેઓને શાથી ખબર પડે?
ઉત્તર—તેઓ છૂટવાનું કામ કરવા જાય પણ ન થાય તેથી જાણે કે એ ભેગવવું પડશે. બનતા સુધી કષાને શમાવે તેમ છતાં થઈ જાય તે તેને બેટા જાણે. તેમને કષાયથી નિવૃત્ત થવાની ઈચ્છા છે. પ્રશ્ન-છદ્મસ્થ એટલે શું? “આત્મસિદ્ધિમાં આવે છે–
જે સગુરુ-ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન,
ગુરુ રહ્યા છે પણ, વિનય કરે ભગવાન.” ઉત્તર–જેને જ્યાં સુધી કર્મ આવરણ રહ્યાં છે તે ત્યાં સુધી છદ્મસ્થ કહેવાય. વિશેષ પણે અગિયારમે ગુણસ્થાનકે તથા બારમે છઘસ્થ વીતરાગ કહેવાય છે, તે છઘસ્થ છે. સામાન્યપણે જેનું મિથ્યાત્વ ગયું છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી તે વચ્ચેની દશાવાળા છવાસ્થ કહેવાય છે.
વિનય એ ધર્મનું મૂળ છે. “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” એ ઉપર શાસ્ત્રમાં એક કથા છે. ( જુઓ શ્રી લઘુરાજસ્વામી ઉપદેશામૃત પૃષ્ઠ ૩૦૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org