________________
સંગ્રહ ૨
૪૩
રસ્તે ચાલતા હોય તે જ્ઞાની તેમને કડવું લાગે તેવું વચન કહીને પણ છોડાવે છે. તે પર પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા–
એક છોકરો હતો. તેણે સાંભળ્યું કે આજે રાત્રે અગિયાર વાગે વરઘોડો આવશે. તે ઘેર ગયે અને તેની માને કહ્યું કે મને રાત્રે અગિયાર વાગે જગાડજે. માએ કહ્યું કે તું તે જાગશે નહીં. છોકરે બે, મારીને જગાડજે. જ્યારે અગિયાર વાગ્યા ત્યારે તેની મા તેને જગાડવા લાગી ત્યારે તે જાગે નહીં, પણ તેને એક થપ્પડ મારી એટલે જાયે.
- જ્ઞાની પુરુષ જીવને જગાડે છે. બહુ પુણ્યના ભોગે આ મનુષ્યભવ મળે છે તેમાં પદ્રવ્યની ચિંતા કરીને વ્યર્થ બેઈ દે છે. આ જીવ બધું બીજાઓને માટે જ કરે છે. જે પિતા માટે કરવાનું છે તે તે ભૂલી ગયા છે.
જડ તે હું નહીં એ નિશ્ચય થવો જોઈએ. જે કાયા ઉપરથી મેહ, માન છૂટે તો બધા પરથી છૂટે, કેમકે કાયાને લઈને બધે મેહ છે. જે જડને પર માને અને ચેતનને પિતાને માને તે મુનિ કહેવાય.
“જડ ને ચૈતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.” ચેતન અને જડ બન્ને જુદાં છે.
સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર.” સ્વરૂપ ચેતન નિજ એટલે જ બેલ જે હદયમાં ઉતારી દે તે મેક્ષે લઈ જાય તે છે. આ ચેતનની સાથે જે શરીર આદિ છે, તે તે સંબંધ માત્ર છે. તે છૂટી જવાનાં છે, તે પછી એમાં શું મેડ કરે ? એક પરમાણુ માત્ર ગ્રહણ કરવાની બુદ્ધિ તે સુખને નાશ છે. કૃપાળુદેવના વચન ઉપર એને વિશ્વાસ નથી. જે વિશ્વાસ હોય તે અગ્નિમાં કેણ બળે? હમણાં જે અહીં આગ લાગી હોય અને મેડા ઉપર ઊભે હોય તે પણ નીચે પડતું નાખે.
ઉદાસીનતામાં બહુ સુખ છે. “ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ.” જે ઉદાસીનતા ન રાખતો હોય તો એને દુઃખમાં જ પડવાના ભાવ છે ને ?
દઢતાની જરૂર છે. ભીલને જે આજ્ઞા મળી હતી તે તેણે દૃઢતાથી પાળી તો કામ થઈ ગયું. પહેલાંના જે મનુષ્ય હતા તેઓને જ્ઞાની પુરુષનું એક પણ વચન મળતું તો પકડ કરી રાખતા અને તેને વિચાર કરવામાં આખી જિંદગી કાઢી નાખતા એવી ધીરજ હતી. અને હમણાં તે ત્રણ પાઠ કરવા પડે છે, તેમાં થાકી જાય છે. જ્યારે નવું નવું હોય ત્યારે તે કરે અને પછીથી છોડી દે. પહેલાં જે માણસે હતા તે પૂર્વના આરાધક હતા.
ડું કંઈક અનિત્ય દેખાતું કે ત્યારે જ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જતે; અને હમણું તે ઘરડા થઈ જાય તે પણ ઘર છોડીને બહાર જવાનું નથી ગમતું. હું તો એક જ છું અને મારે તે એકલા જ રહેવું છે, એમ વિચારે અને છૂટવાની ભાવના રાખે તે મોક્ષ થાય.
ભરત ચક્રવતી હતા. તેઓને ઘેર છ ખંડનું રાજ્ય હતું, છતાં છોડીને ચાલી નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org