SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સંગ્રહ ૨ કોઈ અલૌકિક હોય છે! જે પિતાના આત્માનું હિત કરવું હોય તે બીજા જીવોનું હિત ઇચ્છવું. જે બીજાનું ભલું ઇચછે તે પિતાનું એની મેળે થઈ જશે. ૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવ વદ ૧૩, ૨૦૦૭ (પર્યુષણ પર્વ, અઠ્ઠાઈ ઉત્સવ પ્રારંભ) કઈ પુસ્તક વાંચ્યું હોય અને ન સમજાય તો ફરીથી વાંચવું. પુસ્તક વાંચતી વખતે વિચાર કરવો કે આ પુસ્તક મારે માટે વાંચું છું, એમાં ત્યાગવા ગ્ય શું છે? ગ્રહણ કરવા યોગ્ય શું છે? જ્યારે અહીં આશ્રમમાં ગમ્મસાર' નામનું પુસ્તક વંચાતું ત્યારે બધાંને સમજવું અઘરું પડતું. તેથી પુસ્તક વાંચતાં “વીતરાગને કહે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે.” (૫૦૫) એ પત્ર બોલવાની પ્રભુત્રીજીએ આજ્ઞા કરી હતી. વીતરાગે જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. મારા સમજવામાં નથી આવતું પણ એમ જ છે, એવી જે શ્રદ્ધા રાખીને શ્રવણ કરે તે આગળ જતાં સમજાય. જીવના અનધિકારીપણને લીધે ધ્યાનમાં આવતું નથી. ૪ આત્માના પાંચ મહા શત્રુઓ છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયે છે, અને બીજા પણ ક્રોધ માન માયા લાભ આદિ મહા શત્રુઓ છે. જ્યારે જીવ એમાં પરેવાય છે ત્યારે સશાસ્ત્રને એને લક્ષ નથી રહેતો. સ્વચ્છેદથી આ જીવ અનાદિકાળથી રખડ્યો. સ્વચ્છેદ કાઢવા માટે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા કહ્યું છે.જે સપુરુષને વેગ થાય અને અધિકારીપણું મટે તે કાર્ય થાય. મનુષ્યભવ મળ્યો છે તે ફેગટ ન જાય એવી સાવચેતી રાખવી. અજ્ઞાનને લઈને આ જીવ ઘણું કર્મ બાંધે છે. જે મેક્ષ મેળવ હોય તો મોક્ષને ઉપાય કરવું પડશે. જીવને પૂછવું કે તારે મોક્ષે જવું છે? જે મેક્ષે જવું હોય તો સંકલ્પ-વિકલ૫, રાગદ્વેષને મૂક; અને તે મૂકવામાં તને કંઈ વાંધો છે? અભ્યાસ પાડવાની કાળજી રાખે તે સમજાય એવું છે. એક મધનું ટીપું ખાવાથી સાત ગામ બળે તેટલું પાપ લાગે છે, એમ કહ્યું છે. બિચારા અજ્ઞાની લોકો દવામાં ખાય છે અને તેથી બહુ કર્મ બંધાય છે. માને કે એનાથી રેગ મટશે, પણ ઊલટે રેગ વધે છે તેનું ધ્યાન નથી. જેટલી ગ્યતા ઓછી હશે તેટલું રખડવું પડશે. પ્રભુશ્રીજી કહેતા કે યોગ્યતા લાવે. પુરુષને વેગ અને ગ્યતાની જરૂર છે જીવને વૈરાગ્ય અને ઉપશમની જરૂર છે. વૈરાગ્ય એટલે ભેગમાં અનાસક્તબદ્ધિ. ઉપશમ એટલે જે કષાયે પિતાને થાય છે તેને ન થવા દેવા તે. જીવે કેટલાય જન્મમરણ કર્યા, પણ હજુ સુધી થાક્યો નથી. પહેલાંના વખતમાં પુસ્તક વાંચતા ત્યારે પ્રથમ તેની પૂજા કરતા, પછી મનમાં ભાવના ભાવતા કે આ પુસ્તકથી મને લાભ થશે; અને ઉપવાસ, એકાસણું આદિ તપ કરી પછી આજ્ઞા લઈને તે પુસ્તકનું વિધિસહિત વાચન કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy