SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત પૂજ્યશ્રી—સાંભરે ભલેને, પણ જીવ ો તેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ કરે તે ક્લેશ થાય. જો ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ ન કરે અને વિચાર કરે કે મારે તેા છૂટવું છે અને મેક્ષે જવું છે, તે ક્લેશ નહીં થાય. મેક્ષે તે સમભાવ આવે ત્યારે જવાય તેવું છે. સમભાવ આત્માનુ નિજઘર છે. ઇષ્ટ-અનિષ્ટ કર્યે પાર આવે તેમ નથી. જે સાંભરે તેમાં માથું નહી” મારતાં, સમજ વડે તેને વિચાર કરી સમપરિણતિ જીવ રાખી શકે છે. સાંભરે છે તેમાં જીવને મીઠાશ હાય છે ત્યારે પરિણતિ ખગડે છે. મીઠાશ ન હેાય તે પરિણિત અગડે નહીં. જો સાંભરવાથી પરિણતિ બગડતી હાય તે મેક્ષ થાય નહીં, કારણ પૂર્ણાંકમ છે ત્યાં સુધી સાંભરે તે ખરું. માટે ચીલેા ખદલવાની જરૂર છે. એક પાટેથી ખીજે પાર્ટ ગાડી બદલીએ તે મુંબઈ ન જતાં અમદાવાદ તરફ જવા લાગીએ. તેમ જ રુચિ પલટે તે પછી સંસારથી ફરીને મેક્ષ તરફ વલણ થાય છે. રુચિ પલટે તા સ પુરુષાર્થ સવળે થાય. રુચિ ન પલટે તે સ ક્રિયા જપ તપ વગેરે સંસારનાં કારણભૂત થાય. ૩૮ જેમકે, ચમરેન્દ્ર પૂર્વભવમાં એક સુખી શ્રેણી હતા. તેને વિચાર આવ્યે કે પૂર્વ મેં કંઈ કર્યુ” છે તેના ફળથી હું અહીં સુખી છું અને હમણાં જો પ્રમાદમાં રહીશ તે મરણુ આવી જશે. માટે સવારમાં ઊઠી દીક્ષા ગ્રહણ કરી ધર્મ-આરાધન કરવું, એમ વિચારી સવાર થયે તેણે પ્રણામા નામની તાપસ દીક્ષા અંગીકૃત કરી. ઘણા વર્ષ પર્યંત કઠિન તપશ્ચર્યા કરી પણ રુચિ પલટાઈ નહી. છેવટે એક મહિનાનુ અનશન કરી ભવનપતિ દેવલેાકમાં ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા. ત્યાં ઊંચે સૌધમ ઇન્દ્રનું વિમાન અવધિથી જોઈ તેને ક્રોધ આવ્યે ને તેને હરાવવા તેની સાથે લડવા ગયેા, પણ પછી પેલા સૌધર્મઇન્દ્રના વજ્રના ભયથી ભગવાન મહાવીર કાયાત્સગમાં હતા ત્યાં આવી તેમના ચરણુ તળે મચ્છર થઈને પેસી ગયા અને તેથી ખચ્ચેા. પછી ભગવાનને વંદન કરી પશ્ચાત્તાપ વડે વિનતિ કરી કે હું પ્રભા ! મેં પૂર્વે અજ્ઞાન તપશ્ચર્યા કરી તેથી અહીં દેવ થવું પડયું પણ પ્રથમ આપને ચરણે જ દીક્ષા લીધી હાત તા એમ ઈષ્ટ થાત નહીં અને માન્ને જાત. આમ રુચિ રહી જાય છે તેથી મહુ પુરુષાર્થ કરવા છતાં પણ સંસારના સંસાર રહી જાય છે. તે માટે રુચિ પલટાવી નાખવી કે મારે કંઈ જોઈતું નથી અને મારું કંઈ છે નહીં. મારે તે છૂટવું છે અને પછી જ્ઞાનીની આજ્ઞા આરાધે તે અવશ્ય જીવ છૂટી જાય છે. વિચારે કરી રુચિ પલટાવીને પછી પુરુષાર્થ સતત જાગૃત ઉપયાગે કરવાની જરૂર છે. નિયમિત જીવન રાખવું, કે જેથી સહેજે વખત ઉપયેગી થઈ જાય. અમુક વખતમાં અમુક કામ કરી લેવું તે પ્રમાદ ન થાય. નિયમિત ન રહેવાય ત્યારે વખત નકામા જાય છે, મન જો નવરું હાય તે! એક પળમાં કંઈનું કંઈ કરી બેસે છે. એક પળ જો ખરાખ વિચારો તરફ ગયું તે પછી એ ખેાના હિસાબ પણ રહે નહીં. જિંદગીને વખત કેમ ગાળવે!? એ વિચારપૂર્વક કામ કરાય તે ઉપયેગી થાય. જીવનમાં બધા વખત સરખા જતા નથી. કોઈ વખતે નીરોગી હાય તા કેાઈ વખતે રાગી થાય છે. કોઈ વખત ઈષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy