SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૨ બહુ દૂર દૂરથી આવી અહીં આશ્રમમાં એકઠા થયા છે અને જ્ઞાનની આજ્ઞાએ જે કંઈ ભક્તિ, વાચન, શ્રવણ કરી જ્ઞાનીની વીતરાગદશા ઓળખવા માટે પુરુષાર્થ કરો છો તેમાં બધાએ પોતપોતાના ભાવ તપાસવાના છે કે હું અહીં બધું કામકાજ છોડી જે અર્થે આવ્યું છું તે થાય છે કે નથી થતું? એ વિચાર કરી પ્રત્યેક ક્રિયા કરતી વખતે મનને તપાસવું કે શું કરે છે? જે કરવા આવ્યો છે તે કરે છે કે કંઈ બીજું થાય છે? એમ જે તપાસ કરીએ તે ચોર આપણને જણાય, દોષ જણાય. દેષ વારંવાર જુઓ તો ખૂચે અને અવશ્ય તેને ટાળે. એ માટે નિરંતર ઉપગ રાખવાને છે; નહીં તો પછી કરીએ તો ભક્તિ અને મન ઘરના વિચારે ઘડે કે ખાવાના વિચાર આવે, તો આત્માર્થ ન થાય. માટે સાવચેતી રાખવી. ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૩, ૨૦૦૭ કરના ફકીરી, ક્યા દિલગીરી? સદા મગન મન રડના જી.” સંસાર અને શરીર નાશવંત છે; આત્મા અવિનાશી છે અને અનંત સુખનું ભાજન છે, તે પછી ફિકર શાની? નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિએ, જેથી ચિંતા જાય ? ” જે બનવાનું છે તે જ બને છે, તે પછી ફિકર કરવાથી શું વળવાનું છે? માટે કઈ પ્રકારે ભૂત-ભવિષ્યની ચિંતા ન કરતાં વર્તમાનમાં કેવા ભાવ થાય છે એ સંભાળી જે જીવ વર્તે તે ફિકર ન થાય. “ફિરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.” એક પણ વચન જે સાચા થઈ પકડે અને આચરણમાં મૂકે તે કલ્યાણ થઈ જાય. નહીં તે અનંત શાસ્ત્ર મુખપાઠ કરે અને તથારૂપ વર્તન ન કરવામાં આવે તે કોઈ દિવસે કલ્યાણ થાય નહીં. વેદની શુભ કે અશુભ એ તે બાંધ્યા પ્રમાણે ઉદય આવે. પણ જે સમભાવ રાખે તે નવાં કર્મ ન બંધાય. ખમી ખૂંદવાને રસ્તો છે. જે કંઈ થાય તેમાં રાગદ્વેષરહિત પરિણામે-સમભાવે સહન કરવામાં આવે તે બધાં શાસ્ત્રોને સાર સમજે કહેવાય. ભલેને બેલતાં ન આવડે, પણ કરવાનું એ જ છે. સુખદુઃખ તે આવે. શ્રીપાલ સરખાને પણ કઢની વેદના થઈ. પણ એની મુદ્દત ફરી ગઈ. પછી આપણે રાખવી હોય તે પણ ન રહે. માટે નિશ્ચય કરવાની જરૂર છે કે મારું બાંધેલું મારે ભેગવવું છે. નવીન ન બંધાય તો ભેગવ્યા પછી એ તે એની મેળે નાશ થઈ જાય છે. માટે આજ્ઞામાં ચિત્તને રેકી સમભાવ કરવાને છે. જે મનને આજ્ઞામાંથી છૂટું પડવા દઈએ તે નકામા સંકલ્પ-વિકલ્પ કરી અનંત કર્મબંધ કરે છે. નકામે બેઠે હોય ત્યારે કહે કે તડકે બહુ પડે છે, વરસાદ થતું નથી, ઠંડી એકદમ પડે છે. હવે એના કહેવાથી કંઈ તડકે ઓછો પડે નહીં કે વરસાદ થાય નહીં, પણ મનમાં એમ નકામું કર્યા કરે છે. માટે મન ઉપર ચોકી રાખવી. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૭ પૂજ્યશ્રી–સાંસારિક પ્રસંગે જીવને સાંભરે છે અને પછી રાગદ્વેષ પરિણતિ થાય છે. મુમુક્ષુ-સંભારવા નથી ધારતા, છતાં પણ સાંભરે છે અને કલેશિત પરિણામ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy