________________
૩ર
બધામૃત ધ્યાન જ છે. અભ્યાસની ખાસ જરૂર છે. પરમકૃપાળુદેવને ઘણું ભવને અભ્યાસ હતો એટલે સહેજે ધ્યાનમાં જ રહેતા હતા.
૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૩ ૮-૪૯ નિયમ કર્યો હોય અને અતિચાર વગેરે દેષ લાગે છે તે માટે પિતાના આત્માને નિંદ, પરંતુ એમ ન થવું જોઈએ કે દોષ થશે તે ફરી તે પ્રમાણે કરી લઈશું. એમ થાય તે તેવા ભુલાવામાં ત્યાંનું ત્યાં રહેવાય. ગુરુ પાસે દેશનું પ્રાયશ્ચિત લેવું તે ગહ કહેવાય. ગુરુ પાસે દેષનું પ્રાયશ્ચિત્ત લેવાથી નિઃશલ્ય થવાય. વિષયે ઘટાડવા વેરાગ્યવાળાં પુસ્તક વાંચવાં. કર્મની વિચિત્રતા એવી છે કે આવરણ આવી જાય, પરંતુ તે કાયમ રહે નહીં. પોતાના દોષ જેવા અને આપણે આગળ વધીએ છીએ કે કેમ? તે પણ તપાસ રાખવી. પરમકૃપાળુદેવનાં વચનથી શાંતપણું આવે છે, તેનું વાંચન વિશેષ રાખવું. નિયમ લીધે હોય તેમાં અતિકમ, વ્યતિક્રમ વગેરે દોષો માટે વિચાર કરે. સામા જીવને પણ સમજણ પાડવી જરૂરી છે.
૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૫-૮-૪૯ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. પરમકૃપાળુદેવે એક મુમુક્ષુને કહેલું કે તમે તેનું સ્વરૂપ સમજવા માટે યોગ્ય નથી. મુખ્યપણે તો જ્ઞાની પુરુષ તથા તેના આશ્રિતને દ્રોડ થાય તે અનંતાનુબંધી કષાય કહેવાય. જે પાછળથી સવળી સમજણ આવી જાય તે જીવ માર્ગે આવે અને ઓટો આગ્રહ પકડી રાખે છે તે દુરાગ્રહ કહેવાય.
પિતે જ્ઞાનીના વચનો વિચાર્યા હોય અને સત્સંગમાં પણ તે મુજબ અર્થની ચર્ચા થતી હોય તે પણ તે એમ જ છે, એમ દઢ કરી ન દેવું. કારણ, જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ અર્થ અલોકિક ભાસે. માટે જ્ઞાનીએ કર્યું તે ખરું એમ રાખવું, જેથી અટકી જવાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org