________________
30
બેધામૃત મુમુક્ષુ—માબાપ પિતે પાંચ રૂપિયાનું ઘી ન વાપરે અને છોકરાને ભણવા મહિને પચાસ રૂપિયા
મોકલે. હવે જ્યારે માબાપને તેની જરૂર હોય ત્યારે છેક છોડીને ચાલ્યા જાય છે ? પૂજ્યશ્રી–આત્માર્થે જતો હોય તે કંઈ વધે નહીં, માબાપને મેહ છે એટલે થોડા દિવસ
લાગે પછી તેય ધર્મ પામે. નેમિનાથના દેહમાં રાજુલને મેહ હતે. નેમિનાથે દીક્ષા લીધી તે રાજુલે ય પાછળ દીક્ષા લીધી. ઋષભદેવનાં માતાએ એમની પાછળ રહીરડીને આંખે ગુમાવી હતી. તેમને કેવળજ્ઞાન થયું.
પિતાને દેહભાવ હોય, પુત્રાદિ ભાવ-કલ્પના હોય, ત્યાં તેણે ત્યાખ્યું શું? ત્યાગીને પણ ભેગવિલાસનું આરાધન કરે તે માબાપ અને પિતે બને ય રખડે.
સત્સંગ કરે, આત્માર્થ સધાય, તે વેગ હોય ત્યારે ત્યાગે તો બધાને, આખા જગતને લાભકારક. પણ ત્યાગ અને આર્તધ્યાન રહેતું હોય તે- ઘરડો થાય અને કમાઈ શકે નહિં એવું થાય તે–પહેલેથી વિચારવું ઘટે.
મુમુક્ષ–wisest Fool (મૂર્ખ પંડિત) જેવી દશા થઈ હોય તેણે શું કરવું? પૂજ્યશ્રી–“હું કંઈ જાણતું નથી, મારે તે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે.” એમ રાખવું.
મુમુક્ષુ–આત્મા સિવાય બીજુ જેવા જેવું નથી, એમ લક્ષ થઈ ગયા પછી મંડી પડે તો? પૂજ્યશ્રી– એ જ કરવાનું છે. એક મત આપડી : ઊભે માર્ગે તાપડી.
_ '
તા. ૩- ૬-૪૯ આત્મા સત્ ચિતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામિયે, એક્ષપંથ તે રીત.” કેવળ આત્મા પામવા માટે બધું કરવાનું. તેવા થવાનું છે. “જાણનાર તે માન નહીં !” જે જાણનાર છે તેને ન માનવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે! છોકરે હોય તે પછી તેને ઘરેણાં, કપડાંલત્તા વગેરે થાય. આત્મા છે એમ થાય ત્યાર પછી શું કરવાનું છે તેની સંભાળ રાખે. આત્માની શ્રદ્ધા પહેલી કરવાની છે. આત્મા દેખાય તેવો નથી, તેની શ્રદ્ધા રાખીને પુરુષાર્થ કરવાને છે.
આત્મસિદ્ધિ” અને “મોક્ષમાળા” એ બેમાં કૃપાળુદેવે જે કહેવાનું હતું તે બધું કહી દીધું છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કહે છે એમ માનીને વાંચે વિચારે તે થાય. એ સત્સંગ છે. આત્મા શાંત થાય.
વિચારે કલ્પના કે રમત કરવા નથી કરવાના વિચારીને તે પ્રમાણે કરવાનું છે.
વૈરાગ્ય-ઉપશમની ખામી છે. આરંભ પરિગ્રહ ઓછાં કરવાનાં છે. ક્રોધ, માન, માયા કોઈનું ન માને ત્યારે લેભ ભાઈ તૈયાર થાય છે. જંગલમાં ગયે હોય ત્યાં આ ગુફા સારી છે એવું થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org