________________
૨૬
મેધામૃત
સ્વભાવમાં સ્થિર થાય. જે બધા સોગે મળ્યા છે, તે સ્વવત્ છે. જેમ રાત્રે સ્વમ આવે અને બધું દેખાય, પણ જાગૃત થતાં સ્વમામાં જે જોતા હતા, ભાગવતા હતા, તે બધું જૂઠું હતું એમ લાગે. તેમ આ મેલું સ્વસ છે. આગળના ભવામાં જે ભગવ્યુ હશે તેમાંનું કંઈ અત્યારે છે? તેમ આ આયુષ્ય પૂરું થતાં આંખ મીંચાઈ જશે ત્યારે આમાંનુ કંઈ યાદ રહેવાનુ છે? કે સાથે આવવાનું છે? ખધું જ સ્વવત્ પડી રહેશે. માટે વૃત્તિઓને વારંવાર પાછી હઠાવી મેાળી પાડતાં દર્શનમેાહુને ક્ષય થશે.
""
પહેલાંના વખતમાં છોકરાઓને ભણવાને માટે પાટી ઉપર રેતી પાથરી એકડા કાઢી આપતા. એને છૂટતાં ઘૂંટતાં પાટીને જરા કેાઈની ઠેસ વાગે તે રેતી સરખી થઈ જતી અને બધું ચિતરામણ ભુંસાઈ જતું. તેમ જગતનાં કામ કરતાં આત્મામાં ચિતરામણ પડે કે પાછું સ્મરણમંત્ર યાદ કરવારૂપ ઠેસ મારવી અને એને ભૂંસી નાખવું. એમ વારંવાર સ્મરણમંત્ર “ સહજાત્મસ્વરૂપ પરમગુરુ યાદ કરતા રહેવું અને દનમેહરૂપી જગતનાં જે જે ચિતરામણા પડે, તેને સત્પુરુષના સ્મરણમત્રરૂપી બેધથી ભૂસતા જવું. એમ કરતાં આત્મા એના સ્થિર સ્વભાવમાં આવશે. અશાતાવેદનીને જોરમાં ઉદય હોય ત્યારે વધારે ખળ કરીને જોરથી સ્મરણ ખેલવું અને વેદનીને કહેવું કે તું તારું કામ કર, હું મારું કામ કરું છું. ૫. ઉ. પ્રભુશ્રીજી વેદનીના પ્રસંગે વધારે ખળથી બેધ આપતા :—
“ આત્માનું લક્ષણ · જાણવું, દેખવું તે સ્થિર થવુ' એ છે, તેને નિર'તર સ્મરણમાં, અનુભવમાં રાખવું; પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય ! પણુ જાણું દેખું તે હુ, બીજું તેા જાય છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા. જે જે દેખાય છે તે જવાને વાસ્તે. આળ્યું કે ચાલ્યું. વજાનાં તાળાં વાસીને કહેવું કે જે આવવુ હોય તે આવાને ! મરણ આવા, સુખ આવા, દુ:ખ આવેા, ચ્હાય તે આવે, પણ તે મારો ધર્મ નથી. મારા ધર્મ તે જાણવું, દેખવું, સ્થિર થવું એ જ છે. બીજી અધુ પુદ્ગલ, પુદ્ગલ ને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈ ને બેઠા બેઠા જોવાની મઝા પડે છે, પણ જાગૃત, જાગૃત ને જાગૃત રહેવું જોઈ એ. હાય ! હાય ! હવે મરી જવાશે, આ તે કેમ સહેવાય? એવું એવું મનમાં ન આવવું જોઈ એ. આગળ ઘણા એવા થઈ ગયા છે કે જેમને ઘાણીમાં ઘાલીને પીલેલા, પણ વિભાવમાં તેમનું ચિત્ત નહી ગયેલું.”
દીનબંધુની મહેર નજરથી સવ સવળાં વાનાં છે. સદા ઊણા, ઊંણા ને ઊણા એવી ભાવના રાખવી. અહંકાર તેા મારી નાખે એવે છે. જ્ઞાન એ આત્માને દેહ છે.
૩ર
બાંધણી, તા. ૧૨-૧૨-૪૭
મનેાવૃત્તિને જય કરવા જીવે પ્રયત્ન કરવા જોઈએ. સંકલ્પ-વિકામાં મન જાય તેને રોકવાના ઉપાય~પ્રથમ સમજાવવું અને પર ભાવમાં જતું રોકવું, સ્વભાવમાં વાળવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org