SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૧ દેહમાં વ્યાધિ પીડા થાય ત્યારે મૂંઝવણ આવે છે, ગભરાટ થાય છે, તે દર્શનમિહને લીધે થાય છે. દર્શન મેડ એટલે રૂ૫ રસ ગંધ આદિ પુદ્ગલના ધર્મ છે અને જાણવું, દેખવું, સ્થિર થવું એ જીવના ધર્મ છે, તેમાં ભેદ નહીં રાખતાં તદાકાર થવું તે. જેમકે, મરચું પુદ્ગલ છે, એમાં જાણવાને ગુણ નથી, પણ આપણે એને ખાઈએ છીએ ત્યારે આત્માના જાણપણાના ગુણને લઈને એ જણાય છે. આહાર લેતાં તીખું, મીઠું, ખારું, ખાટું એ બધા પુદ્ગલના ગુણમાં જીવને રાગદ્વેષ થાય છે, તે ચારિત્રમોહ દર્શન મેહને લઈને થાય છે. મડદાને બાળે તો કંઈ થાય નહીં પણ અંદર ચેતન હોય તો ખબર પડે કે ગરમ લાગે છે, બળે છે. તેમ દેડમાં પૂર્વકર્મ અનુસાર શાતા-અશાતા આવે છે, તેની દેહને ખબર નથી, પણ ચેતનને લઈને સુખદુઃખની ખબર પડે છે. જે એમ વિચારે કે દેહને જે થાય છે એમાં ચેતનને કંઈ લેવાદેવા નથી, તે એ વેદનીયકર્મ આવીને નિર્જરી જાય છે, કારણ કે વેદનીયકર્મ અઘાતિ છે અને આત્માને આવરણ કરનાર નથી. પણ શરીરની અંદર એકમેક તન્મયપણે રહેલે ચેતન તેને શરીર (પુદ્ગલ)ની સાથે અનંતકાળથી રહેવાથી એકરૂપનો અધ્યાસ તેને થઈ ગયેલ છે, એટલે મને દુઃખ થાય છે, હું મરી જઈશ, હું સુખી છું, દુઃખી છું વગેરે તન્મયભાવ કરે છે એ દર્શનમોહ છે. જે જે પુદ્ગલ જેવામાં, સાંભળવામાં, ખાવાપીવામાં, સૂંઘવામાં, સ્પર્શવામાં આવે છે તેમાં આત્મા તન્મય થઈને સારું-ખરાબ, પ્રિય-અપ્રિય, મીઠું–કવું, સુવાસિત-દુર્ગધવાળું, સુંવાળું-કઠણ, એમ જે પુદ્ગલના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ સ્વભાવ છે, તેને પિતાના માની તેમાં તન્મય થઈ જાય છે. પરંતુ પુરુષના બોધથી તે પુદ્ગલ પિતાથી એટલે ચેતનથી ભિન્ન છે, એમ સમજાય; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરી ધન, ઘર, કરાં, સ્ત્રી, દેહ વગેરે પિતાનાં નથી, એ ચિતન્યથી ભિન્ન છે, એમ સમજાય; પછી વારંવાર વિચારી જ્ઞાન-જાણવું, દર્શન-દેખવું, ચારિત્ર-સ્થિર થવું એ ચૈતન્યના ગુણ પુદ્ગલથી તદ્દન ભિન્ન છે, એમ સપુરુષના બોધથી લક્ષમાં રાખી દરેક પ્રકારની સાંસારિક ક્રિયાઓ કરતાં વૃત્તિને મળી પાડતાં દર્શન મેહને નાશ થાય છે. જેમ આપણે આગગાડીમાં બેઠા હોઈએ અને બાજુની ગાડી ચાલતી હોય અને તેના તરફ નજર રાખીએ તે આપણને એમ જણાય કે આપણી જ ગાડી ચાલે છે, પણું દષ્ટિ ફેરવીને પ્લેટફેર્મ તરફ નજર કરીએ તે જણાય કે આપણી ગાડી સ્થિર છે. તેમ બાહ્ય પદાર્થ તરફ દષ્ટિ રાખીને વર્તીએ આપણને લાગે કે હું સુખી છું, દુઃખી છું, પૈસાદાર છું, ગરીબ છું, વગેરે. એમ જેવા સંજોગો મળ્યા હોય તે રૂપ આત્મા થઈ જાય છે. પણ સત્પષના બધે દષ્ટિ ફેરવે અને આત્મા તરફ લક્ષ રાખે તે જણાય કે આત્માને સ્વભાવ સ્થિર છે, તેમાં બીજું દેખાય છે તે પુદ્ગલને સ્વભાવ છે, એની સાથે આત્માને કંઈ લેવાદેવા નથી, તે દર્શનમેહ નાશ પામીને આત્મદષ્ટિ થતાં આત્મા પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy