SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત આશ્ચર્ય લાગશે ત્યારે તેમાં પ્રેમ રુચિ જાગશે અને તે મેળવવા પુરુષાર્થ કરી શકશે. ભલે હાલ જીવનીતે દશા ન હોય, પણ નિશ્ચયથી હું સિદ્ધ સમાન જ છું. સિદ્ધ પરમાત્મા નિરંતર આત્માનંદ કે ભગવે છે, તે અંતરમાં સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરીને જોવાય તે પિતાનું મૂળ સ્વરૂપ આવું છે ! એ જાણીને ઉલ્લાસ આવે, કર્મ ઘટે. મંત્રનું સ્મરણ કર્યા કરવું, મનને રખડતું ન રાખવું. મંત્રનું સ્મરણ કરતાં કરતાં હાલ નથી સમજાતું તે સમજાશે. ૨૯ શ્રીમદ્ રા, આ. અગાસ, તા. ૧૫-૧૦-૪૬ કપના એ પરપોટા જેવી છે. વિચાર આવે તેને આકાર કલપનાથી થાય છે. કલ્પના એ સંસાર છે અને અસત્ છે. કલપના વડે જ સર્જન થાય છે. જીવ કલ્પના વડે ચાર ગતિમાં ભટકે છે. કલપના એ જળ પર મેજાં જેવી છે. શાંત રહેવા દેતી નથી. જળમાં જેમ તરંગો આવે છે ને શમાય છે તેમ કલ્પનાઓ આવે અને જાય છે, તેમાં કેટલીક લાંબું રૂપ લે છે. પણ જળતરંગને બદલે જળને જ જુએ તે કલ્પનાને સ્થાન ન મળે. એમ શાંત થાય તે પિતાનું જેવા વિચારવાને અવકાશ મળે. મૂળ સ્વરૂપમાં કલ્પના નથી. કલ્પના નાશવંત વસ્તુઓને જ પકડે છે. કલ્પના જવા “બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા એ વિચારવું. ૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૪-૧૧-૪૬ તૃષ્ણએ જીવનું ભૂંડું કર્યું છે. વાસના, તૃષ્ણ કે ઈચ્છા એ વડે કર્મના જાળામાં જીવ ભરાઈ ગયે છે. તૃષ્ણા કઈ પણ રીતે કરવા જેવી નથી. જીવ છે એવો નિર્ણય થઈ જાય તે પછી તેને માટે પ્રશ્ન થાય કે તે કેવો છે? તે કે જ્ઞાનીએ કહ્યો છે તે તે છે અને તે જ આત્મા મારે માન્ય છે. પિતાની કલ્પનાએ આત્માની પકડ કરવા જશે તે તે પકડાશે નહીં, પણ વધુ ગૂંચવણમાં પડશે, કારણ કે દેઆય તેવો નથી. માટે જ જ્ઞાની કે જેમણે પ્રત્યક્ષ આત્માનુભવ કરે છે, તેમનાથી જાણીને તે જ આત્મા છે એવી શ્રદ્ધા કરી લેવી. તે જ માન્ય કરવાનું છે. તેના વિના આ જડ શરીર શું કરી શકે? આત્માની જ સુંદરતા છે. એને મહિમા જીવને આવે તે પછી આ દેખાતી નાશવંત વસ્તુઓમાંથી મમતા ખસી જાય અને બહાર જવાનું બંધ થાય. અંતરમાં આત્માને વિચાર આવે તે તેને પિતાનું ભાન થાય. આ તે ઘરની વાત છે, તે દૂર નથી. તે બહાર શોધવાથી મળે તેમ નથી. બાહ્યદષ્ટિને અંતર્મુખ કરે ને જુએ તે દેખાય તેમ છે. આ ભૂલ અનાદિની છે અને આ ભૂલ સપુરુષ મળે ત્યારે તેની શ્રદ્ધાથી જ મટે તેમ છે. ૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૮-૮-૪૭ દર્શનમેહ વ્યતીત થઈ ઊપજે બેધ છે; દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy