SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૧ ન માનવાથી અનાદિકાળથી આ જીવ ભટક્યો છે. હવે સાચા સદ્ગુરુ પરમકૃપાળુદેવ મળ્યા છે. તેમનું જ માનેલું મારે માન્ય છે. હું દેહ નહીં પણ આત્મા છું, આ લક્ષ રાખીને વર્તવું. આત્માને આગળ રાખે, સંભાર, તે આત્મહિત થઈ શકશે. ૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧-૧૦-૪૬ જેમ જેમ પુરુષ પર ભાવ વધે છે તેમ તેમ અનંતાનુબંધી ઓછા થાય છે. તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે.” (૪૩). મહાપુરુષોને મહિમા જ્યારે જીવને લાગશે ત્યારે ગુણે પ્રગટશે અને દેશે દૂર થશે. તેઓને અપૂર્વ ગુણ સમજાય ત્યારે જીવમાં અપૂર્વતા આવે. જગતના ભાવે જીવ છોડે તે તત્ત્વને પ્રકાશ અંદરથી મળે. માટે બહિરામભાવ છોડી સાધકભાવે દે દૂર કરી ભક્તિ કરવી જોઈએ. જીવ બહારના ભાવથી છૂટો થઈ પરમાત્માના ગુણેમાં ભાવ ર્યા કરે તો પિતે પરમાત્મા થાય તેમ છે. કાયા ને વચનને વ્યાપાર બંધ કરીને મનને અંતરમાં વાળવું. અંતર્જ પરૂપ વિકલ્પ બંધ કરે તે ઉપગ આત્મા ભણું વળે, તે જ પરમાત્મસ્વરૂપને પ્રકાશ થાય, પોતાના સ્વરૂપમાં રમણતા થાય. અંતરાત્મામાં રહી સાધકભાવે પરમાત્માનું રટણ કરે તે પરમાત્મપદ મળે. કોઈ સાથે વાત કરવી તે આત્માની કરવી. વિચાર કરે તે આત્માને કરે. મનન ચિંતન પણ આત્માનું કરવું. દેહ હું નથી. એ તે જડ છે, કંઈ જાણતો નથી ને કંઈ કરી શકે તેમ પણ નથી, નાશવંત છે. દેહ દો દેનાર છે. દેખાય છે તે પદાર્થોમાં વિશ્વાસ કરવા જેવું નથી. તે બધા નાશવંત છે, આત્માની સાથે રહેવાના નથી. ૨૭ શ્રીમદ્ રા. આ અગાસ, તા. ૬-૧૦ ૪૬ હું દેહ નથી, આત્મા છું. આ ભાવ એ થ જોઈએ કે સ્વમામાં પણ હું દેહ નહીં” એવું ભાન રહે. એને માટે જ પુરુષાર્થ કરવાનું છે. જીવને સત્પષમાં લય લાગવી જોઈએ. તેમના વચનમાં અટલ શ્રદ્ધા આવે, ઉલ્લાસ થાય તે કર્મ ખપે. આ માર્ગ માટે ગૂરણ આવવી જોઈએ. સંસારથી મન ઊઠવું જોઈએ. આ ર્યા વિના છૂટકો નથી. પ્રથમ તે જીવને નકકી કરી લેવું જોઈએ કે મારે શું કરવું છે? આ નકકી થાય તે ત્યાં જ જીવ જાય ને તેમાં જ રહ્યા કરે. બીજું કંઈ ગમે નહિ. હું દેવું નહીં પણ આ મા છું. આ નિર્ણય થયે કે દર્શન દૂર થાય અને આત્માને ઉપગ રહે. આ બધું જડ નકામું છે, દો દેનાર છે. તેને જોયા કરવાનું છે. વિકલ્પ છોડવા દેહાધ્યાસ જ જોઈએ. જેટલે તે ઘટે તેટલે જીવને પિતા તરફ વળવા અવકાશ મળે. ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૭-૧૦-૪૬ જીવને બહાર દેખાય તેમાં આશ્ચર્ય લાગે છે, પણ સિદ્ધસ્વરૂપનું આશ્ચર્ય નથી લાગતું. તેનું અનંતજ્ઞાન, અવ્યાબાધ, અનંત શાશ્વત સુખ, અનંતશક્તિ આદિ અનંતગુણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy