SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ બેધામૃત પ્રસન્નતા હોય ત્યારે મંત્રનું સ્મરણ કરવું એ ઘણું લાભનું કારણ છે. કષાયનું નિમિત્ત ન હોય તે તેવા ભાવ વધુ વખત સુધી ટકી રહે છે. આનંદઘનજીના સ્તવનમાં પણ એ જ આવે છે – ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું કે, પૂજા અખંડિત નેહ, કપટરહિત થઈ આતમ-અરપણા રે, આનંદઘનપદરેહ.” (આ. ૧). પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે તેવા ભાવે એ મોક્ષનું કારણ છે. તેવા જીનો નિશ્ચયે મેક્ષ થવાને જ છે. પર પ્રેમપ્રવાહ બ પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે, વહ કેવલ બીજ ગ્લાનિ કહે, નિજક અનુભી બતલાઈ દિયે.” વિશુદ્ધભાવની વર્ધમાનતા થાય એ જ પુરુષાર્થ કરવાનો છે. કર્મો વચ્ચે આવે પણ લક્ષ એ જ રાખો. નિમિત્તા સારાં રાખવાં; કારણ, પ્રથમ તો જીવની વૃત્તિ નિમિત્તાધીન થઈ જાય છે. પણ આત્મામાં બળ આવે તે પછી નિમિત્તે કંઈ કરી શકે નહીં. પછી તે સહેજે પરિષહે સહન થઈ શકે. તે માટે એકાન્તનું સેવન વધુ શખવું. મનને જીતવામાં અઢાર વિધ્ર –દોષ મેક્ષમાળામાં કહેલ છે તેને લક્ષ રાખ. બાર–ભાવનાઓ ભાવવી. ચારિત્રમેહ છે તે દર્શનમેહ ગયા બાદ સહેજે દૂર થાય છે. બીજી દષ્ટિમાં કહ્યું છે તેમ સિહેજે ઉચિત વર્તાય તે તે ઉત્તમ છે. શ્રદ્ધા વર્ધમાન થાય તે વીર્ય સ્કુરે. માટે આધાર શ્રદ્ધા ઉપર છે. [ તા. ૨૨-૭-૪૯ ] આ ૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૮-૯-૪૬ જીવે શ્રદ્ધા સપુરુષમાં લાવવી જોઈએ. પોતે આત્મા નથી જે, પણ સત્પરુષે જે છે અને કહ્યો છે તેવો જ મારો આત્મા છે. આ શ્રદ્ધાએ આત્માને જાણવાની ઈચ્છાએ વર્તે તે તેને વખત જતાં આત્મદર્શન થાય છે. શરીર હું નહીં, એ તો જડ, હું રૌતન્ય તેને જાણનાર જુદો છું. શરીર મારું સ્વરૂપ નહીં. મને રેગ નથી, શોક નથી. એના વિકલપ કરવાના નથી. એ તે કર્મ છે. આવીને ચાલી જનાર છે, નાશવંત છે. મારે નાશ નથી. જ્ઞાનીએ આનંદ સ્વરૂપ જોયે તે હું છું. મારે તે બંધાયેલાને છોડાવવાને છે, છૂટા થવાનું છે. જે વડે છૂટા થવાય તે જ કરવું છે. 'રમાવમાં જવા જેવું નથી. શાંતિ એ મારે ધર્મ છે. તે જ મેળવવા પુરુષાર્થ કરું, તે જ મેળવું. આ દેખાય તે હું નહીં, એ તે જડ છે. તે કાંઈ કરવા શક્તિમાન નથી, મારવડે જેવાય છે ને સમજાય છે. હું તે આનંદઘન સ્વરૂપ છું. આ ભાવ રહ્યા કરે, તે તે સ્વરૂપ પ્રાપ્ત થાય. દુઃખસુખ આવે તે કર્મ છે. આવશે ને જશે. મારો તે એક આત્મભાવ જ છે અને તે મારા હાથમાં છે. આ ભાવ હવે બંધાયેલાને છોડવા માટે જ કરે છે, મારે તે છૂટવું જ છે. જ્ઞાનીએ કહ્યું છે તે મને માન્ય છે, બીજું માનવું જ નથી. આત્મા નિત્ય શાશ્વત છે. જ્ઞાનીનું કહેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy