SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મેધામૃત લઈ જાય. માટે તેના ઉપયોગ રાખવા. અગિયારમા ગુણસ્થાનક સુધી ગયેલા જીવ પણ એવા કમના ઉદય આવે છે કે નીચે આવી જાય છે. પ્રમાદથી કયાં જઈ પડે તેનુ કઈ પ્રમાણ નથી. જીવનું મૂઢપણું છે તે અહિતકારી છે. જ્ઞાનીપુરુષાનાં વચના આધારરૂપ છે, તે જીવને ટકાવી રાખનાર છે. શાંતપણુ વૃત્તિ ન રહે તેવા વખતે પણ ભક્તિ, સ્મરણુ, વગેરે કર્યાં જ કરવું. દુકાને ઘરાક ન આવતું હાય તે પણ દુકાન ખુલ્લી રાખી બેસવું પડે છે, તેમ આપણા ધારેલા ભાવ ન થાય તે પણ રેજ આરાધન કર્યાં કરવુ. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે, માટે જેમ બને તેમ ખરામ નિમિત્તોથી દૂર રહેવુ. સત્સંગમાં રહી જેવું આત્મસાધન સુલભપણે થાય તેવું ખીજે તા ન બને, પણ હાઈ એ ત્યાંથી નીચે આવવું ન થાય તેવા પુરુષાથ તે રાખવા જ. ‘સમાધિશતક' અહીં નિવૃત્તિએ મનન થયું તેવું ખીજે સ્થળે ન થાય. ગમે ત્યાં હાઈ એ, ત્યાં પણ ખાસ લક્ષ રાખવા-લક્ષ ન ચૂકવે. પેાતાનુ ધ્યેય શું છે, તે નક્કી કરવામાં તેા અર્ધું કામ થઈ જાય છે. પૂર્ણ થતાં સુધી જંપીને બેસવાનું નથી. માટે પુરુષાર્થ કર્યો કરવા. સુખ તે પાતે પાતામાંથી મેળવવાનું છે. તે કઈ બહારથી લાવવાનુ નથી કે જેથી લાવવામાં બહુ મહેનત પડે. રાજ્ય જીતવું હાય તા દારુગાળા, અકા, તાપા જોઈએ; પણુ આ તા સદ્ગજ છે. તે પોતાને સમજાવું જોઈએ, અને તે સમજાયુ' તે! પછી પેાતાને કેમ કરી આગળ વધવું તે સમજાતુ જાય છે. આત્માથી જીવા પેાતાના માર્ગ પાતે કરતા જાય છે. ગમે તેવી આંટીઘૂંટી આવી જાય પણ તેના ઉકેલ પેાતાને આવી જાય છે. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૧-૯-૪૫ રાગદ્વેષના ક્ષય કરવેા એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે. રાગદ્વેષનેા ક્ષય કરવા હાય તેણે જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન કરવું. સત્પુરુષ પ્રત્યે જીવને જેટલા પ્રેમ થશે તેટલે સૌંસાર પ્રત્યેથી ઓછા થશે. રાગ કોઈ પણ પદાર્થ ઉપર કરવા નહી. કરવા તે સત્પુરુષ ઉપર કરવા. આપણે સત્પુરુષ ઉપર પ્રેમ કરીએ છીએ પરંતુ તે પુરુષા આપણા ઉપર પ્રેમ કરતા નથી. તેથી એક તરફના પ્રેમ આખરે નાશ પામે છે અને જીવ સત્પુરુષ તુલ્ય થાય છે. દુનિયાના પ્રેમ અન્ને તરફના અરસપરસ એકખીજા ઉપર હાવાથી તેમાં જ ભ્રમણ કરાવે છે. સત્પુરુષ ઉપરના પ્રેમ પરિણામે સંસાર ક્ષય કરાવનાર છે. દરેક વસ્તુ ઉપરથી પ્રેમ ઉઠાવી સત્પુરુષ ઉપર કરવાથી બધાં શાસ્ત્રોના સાર હૃદયમાં માલૂમ પડે છે. આત્મપ્રાપ્તિના એ ખાસ ઉપાય છે. પ્રથમ તેા જીવને કંઈ ભાન હેાતું નથી, પરંતુ સત્પુરુષની આજ્ઞા જીવને જે મુજબ મળી હાય તે મુજબ તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખી આરાધન કર્યાં કરવું. ચિત્રપટમાં ધ્યાન રાખવું, માળા ગણવામાં ચિત્ત રાખવું, સત્પુરુષના શબ્દો તથા વચનામાં મનને પરાવવું. આવા અનુક્રમથી પુરુષાર્થ કરતાં જીવનું આગળ વધવુ થાય છે, સપુરુષનાં વચનાનુ પરિણમન થઈ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. ક્રમપૂર્વક જે કામ થાય તેનુ ફળ આવ્યા સિવાય રહે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy