________________
૧૬
બધામૃત જાગૃતિકાળમાં જેવા ભાવે કર્યા હોય છે, તેના રહસ્યરૂપે નિદ્રામાં ભાવ થાય છે. ખરાબ ભાવેનું સેવન કર્યું હોય તે વિશેષપણે તેવા ભાવે નિદ્રામાં થાય છે. તેનું કારણ કે તે વખતે કંઈ અંકુશ જેવું રહેતું નથી. ખરાબ નિમિત્તે જીવને પાછો પાડનાર છે. તેમાંથી બચવું ઘણું મુશ્કેલ છે. પણ જેમ જેમ અંતરાત્મવૃત્તિનું બળ વધતું જાય છે તેમ તેમ જીવનું આગળ વધવું થાય છે. V
૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩–૯–૪૫ સમાધિશતક' પ્રભુશ્રીજીની ત્યાગવૃત્તિ જોઈને કૃપાળુદેવે વાંચવા આપેલું, પ્રભુશ્રીજી ત્યારે મુંબઈમાં હતા. ત્યાં ધમાલ ઘણું જોઈને “પછીથી અધ્યયન કરીશું એમ મુલતવી રાખ્યું. થોડા દિવસ બાદ કૃપાળુદેવે પૂછ્યું કે પુસ્તક કેટલું વાંચ્યું? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આ ધમાલમાં વાંચવાનું મુલવતી રાખ્યું છે. કૃપાળુદેવ મૌન રહ્યા. પછી પ્રભુશ્રીજીને માલમ પડ્યું કે કૃપાળુદેવની હાજરીમાં વંચાયું હેત તે ઘણો લાભ થાત. જો કે સત્તર લેક પરમકૃપાળુદેવે વાંચી બતાવ્યા હતા. ત્યાર બાદ મુંબઈથી સુરત વિહાર કરી ત્રણ વર્ષ મૌન રહી એ પુસ્તકનું અધ્યયન પ્રભુશ્રીજીએ કર્યું હતું.
“સમાધિશતક પૂજ્યપાદસ્વામીનું રચેલું પુસ્તક છે. તે સમાધિ પ્રાપ્ત કરાવે તેવું છે. જેને આગળ વધવું છે તેને ઘણુ હિતનું કારણ છે. સત્તરમાં લેકમાં ઘણું સરસ વર્ણન છે. એક માસ જે પુરુષાર્થ ખરા હૃદયથી કરવામાં આવે તે આત્મા પ્રાપ્ત થઈ જાય. કલેક પચાસ સુધીમાં તે હદ કરી દીધી છે. ટૂંકાણમાં વાત છે, પણ તે ઉપરથી તે ઘણું શાસ્ત્રો બની શકે તેમ છે. પૂજ્યપાદસ્વામી એ નામ તેઓશ્રીને ગુણેને લઈને પાડેલું છે. અસલ તેઓનું નામ બીજું છે. એ પુસ્તકમાં પ્રથમ બહિરાત્માનું વર્ણન છે. આમા અને દેહ એકરૂપે જેને લાગે છે, તે બહિરાત્મા છે. અંતરાત્માનું વર્ણન ત્યાર પછી આવે છે. અંતરાત્મા અંદરના કષાયે ઘટાડવાનું કામ નિરંતર કરે છે; બહાર તેને કંઈ સંબંધ નથી. પુસ્તકનું મનન વિશેષ પ્રકારે કરવા જેવું છે.
પર્યુષણ પર્વ બાર માસે આવે છે. જેમ વેપારી બાર માસનું સરવૈયું નફા-નુકસાનનું કાઢે છે, તેમ આત્માર્થી જીવને દરેક પર્યુષણ પર વિચાર કરવાનો છે કે કષાય કેટલા ઘટયા છે? આગળ વધાયું છે કે નહીં ? સત્સંગમાં જીવની પરિણતિ ઉદ્ઘાસિત રહે છે. તે ન હોય તે પરિણામ તેવાં રહે નહીં અને ધાર્યા પ્રમાણે આગળ વધાય નહીં. સત્સંગ જીવને ઘણે સહારારૂપ છે. સત્સંગમાં જીવને આગળ વધવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી.
શ્રીમદ્ રા. આ. અગાસ, તા.
–૯-૪૫
[ એક ભાઈએ પૂછેલા પ્રશ્નને જવાબ ]
જ્ઞાની પુરુષોને ઉપદેશ સર્વસંગ પરિત્યાગ કરાવવાનું હોય છે. ન્યાયનીતિનું ધન પ્રાપ્ત કર્યું હોય, તે પણ મૂકવાને ઉપદેશ છે, તે અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન અશે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org