SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧-૯-૫ આ જીવને મડત પુણ્યદય હોય છે ત્યારે જ ચિત્તસ્થિરતાનો ક્રમ હાથ આવે છે. તે જ કરવાનું છે. તે જ વૃત્તિને પિષણ મળે તે પુરુષાર્થ કર્યા કરે. શાંતપણું એ જ પિતાને સ્વભાવ છે. તે અનુભવ થયે બીજા ભાગમાંથી આત્માનું છૂટવું થાય છે. પિતાને આત્મા આનંદનું ધામ છે, તેવી પ્રતીતિ થયે પરવસ્તુ તરફ ચિત્તને પ્રવાહ વહેતું નથી. પોતાનું વીર્ય ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવાથી આત્માનું આગળ વધવું થાય છે, તેમ તેમ અપૂર્વતા માલમ પડતી જાય છે. પ્રથમ શાળામાં દાખલ થનાર વિદ્યાર્થીને પણ એમ લાગે છે કે પોતે કરે છે તે બરાબર જ છે, પણ તેથી આગળ અભ્યાસ વચ્ચે તેને પછી વિશેષતા લાગે છે કે અગાઉના કરતાં હાલમાં કરવામાં આવે છે તે બરાબર છે. એમ આગળ આગળ ફરી ફરી વિશેષતા લાગે છે. તેમ મુમુક્ષુને પણ લાગે છે. પણ પૂર્ણ દશા થતાં સુધી આગળ વધ્યા જ કરવાનું છે. અપૂર્વ વાત છે, અને તે જ અનુભવ જેમ જેમ આગળ વધવું થાય તેમ તેમ વિશેષ પ્રકારે થાય છે. પૂર્ણ શાંતિપદ પ્રાપ્ત કરવાનું છે, તે લક્ષે પુરુષાર્થ કર્યા કરે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને સમાધિ પ્રાપ્ત થવા “સમાધિશતકનું. મનન કરવા આજ્ઞા કરેલી. તે પુસ્તક મનન કરવા ગ્ય છે. તેમાં અંતરાત્મા, પરમાત્માનું વર્ણને ઘણું ઉત્તમ પ્રકારે કરેલું છે. જેને પરમકૃપાળુદેવનાં વચને રહસ્ય સાથે સમજાયાં છે તેને અન્ય શાસ્ત્ર સમજવા સરળ છે. પરમકૃપાળુદેવ એક વખત જ્યારે ધ્યાનમાં લીન હતા ત્યારે એક ભાઈએ કાગળના નમૂના તેઓશ્રીને બતાવતાં ખરીદી માટે સલાહ માગી, ત્યારે એ જવાબ મળે કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તે ઠીક થાત. આવા પ્રકારે ધ્યાનમાં આત્માનંદ વર્તે છે ત્યારે પરપદાર્થને પરિચય મૃત્યુ સમાન લાગે છે. ગૃહસ્થ વેશમાં પ્રવૃત્તિમાં રહી ધર્મ સાધન કરવું એ ઘણું દુષ્કર છે. તેઓશ્રીને મુંબઈ મશાનતુલ્ય લાગતું. તેમના વખતમાં તે તે એકલા જ રહી આત્મસાધના કરતા. તે સત્સંગને બહુ ઇચ્છતા અને પૂજ્ય સભાગભાઈને ઘણુ વખત પિતા પાસે સત્સંગ અર્થે લાવતા હતા. એક વખત બન્નેએ સાથે ચિત્રપટ પડાવેલ છે. કેવી બન્નેની વૈરાગ્યમય અદ્ભુત દશા હતી ! Vપરમ ઉપકારી પ્રભુશ્રીજીએ આપણું ઉપર અનંત ઉપકાર કરી સત્સંગના નિમિત્ત કરી આપ્યાં છે. તેઓશ્રીની આજ્ઞા પણ મળી છે. પુરુષાર્થ કરી આગળ વધવાનું કામ આપણું છે. જેનું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ વિષે વાત છે. શ્રવણ પિતાના અંધ માતાપિતાને લઈને પાછું પતના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેને વિચાર કરતાં જણાવ્યું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ પુરુષ જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy