________________
બધામૃત સ્ત્રીનાં નેત્રોમાં શીતળતા માનવામાં આવે છે. પરંતુ તેના કટાક્ષ મનુષ્યને અગ્નિની જવાળા માફક બાળનાર છે. તેનું બોલવું મધુર લાગે પરંતુ તે વિષતુલ્ય છે. તેને સમાગમ મૃત્યુ સમાન દુઃખદાયી છે. મહાત્મા પુરુષો કે જેમણે સમક્તિ પ્રાપ્ત કરેલું છે અને નિરંતર આત્મરમણમાં મગ્ન રહેનારા છે તેમને પણ સ્ત્રીને સંસર્ગ મહા અનર્થકારક છે, તેમણે મહા પ્રયત્ન મેળવેલું આત્મધન ક્ષણમાત્રમાં નાશ કરી દે તેવું છે. પુરુષોએ આપેલા મહામંત્રનું જેને નિશદિન રટણ રહ્યા કરે છે તેવા પુરુષને પણ સ્ત્રીને સંસર્ગ તે મંત્રને ક્ષણ માત્રમાં વિલય કરી દઈ જન્માંતરે પણ તેને ઉદય થવા ન દે તેમ છે.
સ્ત્રીમાં એવી માહિની છે કે પ્રથમ જીવને તેને નીરખવાનું મન થાય છે પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે, પછી પિતાનાં યશ, કીતિ હોય તેને ધૂળમાં મેળવવા નિર્લજજ બને છે, પછી ભ્રષ્ટ થઈ આ લેક, પરલેક બને બગાડે છે. માટે જે મનુષ્ય આત્મહિત કરવું હોય તેણે સ્ત્રી તરફ દષ્ટિ પણ ન કરવી, તેનાં અંગેનું નિરીક્ષણ ન કરવું અને તેના સંસર્ગમાં કદી આવવું નહીં. સ્ત્રીઓની કથાવાર્તા સાંભળવી નહીં. નિર્વિકારી પુરુષોને સંગ કરે. જેવા પુરુષોને સંગ કર્યો હોય તેવા ગુણે પ્રાપ્ત થાય છે.
- “સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્દભુત આનંદમય જ છે, માટે એ દેષથી રહિત થવું.” (૭૮) V
જિતેન્દ્રિય થવું. તેમાં પ્રથમ જિલ્લા ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવવાની જરૂર છે. ગરિક પદાર્થોનું સેવન કરવું નહીં. આ શરીરરૂપી વૃક્ષનું મૂળ જિહ્યા છે. ઝાડનું મૂળ નીચે હોય છે અને ડાળી ઉપર હોય છે, પરંતુ આનું મૂળ તે ઉપર છે કે જ્યાંથી આખા શરીરને પિષણ મળે છે. આઠ કર્મોમાં મેહનીય કર્મ જીતવું કઠણ છે, પાંચ તેમાં બ્રહ્મચર્યનું પાલન કરવું કઠણ છે, ત્રણ ગુપ્તિમાં મને ગુપ્તિ પાળવી કઠણ છે અને પાંચ ઈન્દ્રિયોમાં જિહા ઇન્દ્રિય વશ કરવી કઠણ છે. જે
સમ્યકત્વ અનુભવ.
આત્માનાં શુભ પરિણામ ઘણું જ ઉચ્ચદશાને પામે છે અને તેમાં જ વૃત્તિ એકાકાર થઈ જાય છે. ત્યાર બાદ જગતની વિસ્મૃતિ થયે આત્માને અનુભવ થાય છે (આત્માનાં શુદ્ધ પરિણામ) તેનું વર્ણન તે કઈ શાસ્ત્રમાં નથી, કારણ, તે પિતાના અનુભવની વસ્તુ છે, અને જીવ તે સ્થિતિએ પહોંચે છે ત્યારે જ પોતાને અનુભવ થાય છે. તેના આનંદનું કંઈ વર્ણન થઈ શકે તેમ નથી. પ્રથમ એક સમયમાત્ર તેને અનુભવ થાય અને માલમ પડે, પછી તે અનુભવ વર્ધમાનતાને પામે તેની પૂર્ણ ખાતરી થઈ જાય છે. બનારસીદાસે પણું “નાટક સમયસારમાં કહ્યું છે કે
“વસ્તુ વિચારત વર્તે, મન પાવે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org