________________
બધામૃત અને સવળા વિચારે ચઢયા કે જે હું તેની દીકરી સાથે પરણ્ય હેત તે કપડાની પાઘડી બંધાવત તે ફાટી જાત અને સંસારભ્રમણ કરવું પડત, પણ ઘણું સારું થયું કે તેણે મોક્ષરૂપી પાઘડી બંધાવી. આવી રીતે ચિંતવન કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા./
Vઆગળના વખતમાં મુનિઓ શરીરને કષ્ટ આપી તપશ્ચર્યા કરતા તાપમાં કાઉસગ્ગ કરે, ઠંડીના વખતે ઉઘાડા શરીરે કાઉસગ્ગ કરે, તે એટલા માટે કે મરણ પ્રસંગે જે વેદના આવે તેમાં સમભાવ રહે. સહન કરવાને પ્રથમથી અભ્યાસ પાડ્યો હોય તે ગમે તેવા દુઃખમાં પણ સહનશીલતા રહે. જે તે અભ્યાસ ન પાડ્યો હોય તો તેવા પ્રસંગ આવ્યે બધું ભૂલી જવાય.
પરવસ્તુ ઉપર આ જીવને મેહ થાય છે, પણ તે દુઃખદાયક જ છે. જ્ઞાની પુરુષોએ તે એક આત્મા સિવાય બધું પુદ્ગલ જ જોયું. આજે રત્ન દેખાતું હોય પણ પછી તે વિષ્ટારૂપ થઈ જાય છે. શરીરનો ફેટે લીધે હોય તે સારે દેખાય પણ અસરેથી ફેટે લીધો હોય તે હાડકાં જ દેખાય અને તેમાં મેહ થાય નહીં. તેમ જ્ઞાની પુરુષની દૃષ્ટિ હોય છે. તેમને મેહ થતા જ નથી. કારણ, વસ્તુનું સ્વરૂપ યથાતથ્ય દીઠું છે.જે
- ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૯-૯-૪૪ અહંભાવ મટે તે પછી આત્મા પ્રાપ્ત થાય. “આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા” અહંભાવ મટ્યા પછી તેને સંસાર છૂટી જાય છે. પિતાને સમજણ આવી ગઈ તે પછી સંસારના પદાર્થો કલપના માત્ર જ લાગે. કલ્પનાથી જ સંસારપરંપરા ચાલ્યા કરે છે.
ઊપજે મેહ-વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતરમુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” (૫૪) મહાધીન છવ સંસારના પદાર્થોને પિતાની કલ્પનાથી સાચા માનીને તેમાં એકાકાર થઈ જઈ ફરી નવે સંસાર વધારે છે. પરંતુ જે અંતરવૃત્તિ થઈ જાય તે સંસારને ક્ષય થતાં વાર ન લાગે. સંસાર તે જેમ છે તેમ જ રહેવાને છે, પણ પોતે સમજી ગયે તે મુક્ત થતાં વાર ન લાગે. બીજ વગર થયેલા વૃક્ષની માફક ફક્ત કલ્પનાથી સંસાર ઉત્પન્ન થાય છે.
સર્વ જીવ છે સિદ્ધસમ,” જીવ માત્ર એક જ જાતિના છે, પરંતુ કર્મને આધીન હાવાથી જુદા જુદા પ્રકાર માલમ પડે છે. જેમ ગાડીમાંથી ઊતરેલા મુસાફરો જુદી જુદી જગ્યાએ પિતાનાં સગાંવહાલાને ત્યાં જાય છે, તેમ જીવમાત્ર કરેલાં કર્મ અનુસાર તેવી ભાગ્ય જગ્યાએ જાય છે. “તે તે ભાગ્ય વિશેષનાં સ્થાનક દ્રવ્યસ્વભાવ.” પણ જેમ સાધુપુરુષ કોઈને ત્યાં નહીં જતાં ધર્મશાળામાં ઉતારે કરે છે તેવી રીતે મુક્ત આત્માઓ બીજી કેઈ નિમાં નહીં જતાં સિદ્ધપદને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org