SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ to ધામૃત ઝેર ખાઈને અથવા કટાર પેટમાં મારીને મરવું પણ વ્રતમાં આંચ આવવા દેવી નહીં. ત્યાગેલી વસ્તુ પ્રત્યે તે વિષ્ટા સમાન છે તે તુચ્છ ભાવ રાખો. તેનું કંઈ મહાભ્ય નથી. પંચેન્દ્રિયના વિષયે આ જીવનું ભૂંડું કરનાર છે, માટે તેને આધીન થવું નહીં. જે ઈન્દ્રિયે વડે પુગલ દેખાય છે, તેને માને છે, પણ જે અંદર જેનાર બેઠો છે તેને વિસારી દીધું છે. વર વગરની જાન જેવું કર્યું છે. પંચેન્દ્રિયના વિષયેનું સુખ તે ઇન્દ્ર પણ ભગવે છે અને એક ભૂંડ પણ તેવું જ માનીને વિષમાં આસક્ત રહે છે. એ રીતે તે બન્ને સરખા જ છે. આ મનુષ્યભવ પામીને આત્મકલ્યાણ થાય તે જ સાર્થકતા છે. ૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૫-૪-૪૪ પિતાના જે દોષ હોય તે જોઈને કાઢવાના છે. એમ જ કરવાનું છે. કૃપાળુદેવનાં વચનો છે તે લબ્ધિવાક્યો છે. જેવી જેની પાત્રતા તે પ્રમાણે તેને તેમાંથી બધું મળી રહે તેવાં છે. જેને આગળ વધવું છે તેને માર્ગદર્શક છે, મૂંઝવણ ટાળનાર છે. જેને વખત જ પસાર કરવાનું ધ્યેય છે તે વાંચે તે તેને તેટલું ફળ મળે. કર્મબંધ ન થાય તેને માટે વિચાર કરવાનું છે અને તે જ પુરુષાર્થ કરવાનું છે. ગદ્વેષથી કર્મ બંધાય છે. સત્પરુષની ભક્તિ, સત્સંગનું સેવન કરવું તે રાગદ્વેષ ન થવાનું કારણ છે. સંસારના પદાર્થો ઉપર જે મન દેડે છે, તેને રેકી સત્સંગ ને ભક્તિમાં મન જોડવું તે પુરુષાર્થ જ છે. મનને ભટકવા ન દેવું. જે સત્પરુષે રાગદ્વેષથી મુક્ત થયા તેમની અંતરચર્યા જાણવા પ્રયત્ન કરવાને છે. જેથી આપણે પણ રાગદ્વેષથી મુક્ત થઈ એ. તે પુરુષે ગમે તેવા સંગેમાં પણ આત્મામાં સ્થિર રહી શકતા. થાંભલે હોય તે સ્થિર રહે, તેને પવન વગેરે કંઈ અસર કરી શકે નહીં, તેમ જ્ઞાની પુરુષોની સ્થિતિ સમજવી. છતાં જેની દશા, વ દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.” “સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન.” (આત્મસિદ્ધિ) “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫) આવા પુરુષ જગતનું કલ્યાણ કરી શકે. કેવી અદ્ભુત દશ છે! પુરુષાર્થ તે કર્યા કરે, નદીમાં પથ્થર હોય છે તે પાણીના વહેણને લઈને ઘસાય છે, તે આ તે સત્ય વસ્તુ છે, તેનું ફળ જરૂર આવશે. જેને આત્માની દયા જાગી છે તેનું જરૂર કલ્યાણ થશે. આત્માની દયામાં બધાં વ્રતપચ્ચખાણ સમાય છે. ૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૭-૯-૪૪ સત્ય બોલવાની ટેવ પાડવી. સત્ય બોલવું હોય તેણે કામ સિવાય બોલ બેલ કરવું નહીં, મૌન સેવવું. (ચારેય પ્રકારની) વિથાને ત્યાગ કરવો અથવા તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy