SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૬ છૂટક વચનો ૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૪ પ્રકૃતિ શાંત રાખવી. ખરું સુખ આત્મામાં છે. કર્મો આવે છે ને જાય છે તે પ્રમાણે સુખદુઃખ આવે છે ને જાય છે. તેમાં શાંતિ રાખીએ તે નવાં કર્મ બંધાતાં નથી અને જલદીથી વેદીને છૂટા થવાય છે. પણ ગભરાટ કરવાથી દુઃખ વધે છે અને નવાં કર્મો બંધાય છે. જે માથે ઉપાડે, ખભે લે કે હાથમાં રાખે, પણ ઉપાડયે જ છૂટકે છે, તેમ આત્માએ ભેગએ જ છૂટકે છે. કર્મો એક બાજુથી ખસેડો તે બીજી બાજુથી પસશે, એવાં છે. સમતા રાખવી. ધીરજથી દુઃખ સહન કરી લેવું. સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ મરણમાં જ લક્ષ રાખવું. પ્રભુશ્રીજી કહેતા મોક્ષ એટલે શું? છૂટવું એ મોક્ષ. જેટલા કર્મ છૂટે તેટલે મેક્ષ. બધાં કર્મ છૂટી જાય એટલે સંપૂર્ણ મોક્ષ.” એ કંઈ ન બની શકે એવું કામ નથી. નિર્મોહી થઈ જવું. ૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૩, ૨૦૦૫ પૂજ્યશ્રીએ અતિ ગંભીર મુદ્રાએ શાંતિથી કહ્યું, “પરમકૃપાળુદેવનાં વચને વાંચીએ છીએ અને એના ઉપર વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણે એક શબ્દ પણ કેઈને ઉપદેશવાને, કહેવાને અધિકારી નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાંસુધી ઉપદેશ આપી શકાય નહીં. મૌન રહેવું જોઈએ. કૃપાળુદેવનાં વચને અતિ ગંભીર છે. ગંભીરતાપૂર્વક વિચારવાં જોઈએ.' શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૯-૯-૪૪ જાત્રા કરવાનું ધ્યેય એટલું કે તેવા સ્થળે જતાં કોઈ જ્ઞાનીને ભેટે થઈ જાય અને તેટલે લેભ એ છે થાય. લેભ બહુ ખરાબ છે. જેને લેભ ઓછો થયે તેને જ્ઞાની પુરુષને બોધ અસર કરે. તે આગળ વધી શકે. શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૯-૯-૪૪ જ્ઞાની પુરુષને ટાઈમની કેટલી કિંમત છે. એક સમય પણ નકામે જવા દેતા નથી. નદીનું પાણી વહ્યું જાય, તેમ જીવન વહ્યું જાય છે. જેમ નદીનું પાણી દરિયામાં ગયા બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy