SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૫ ૩૩૧ જીવની બુદ્ધિ નિર્મળ થાય. પછી જેમ છે તેમ સમજાય. પિતે કોણ? તેની ખબર નથી. તેથી બીજામાં પિતાપણું કરે છે. દષ્ટિ ફેરવી નાખવાની છે. આત્માને માટે જ બધું કરવું. કેઈ ગળે ભાંડે, મારે, તેય તેને શત્રુ માન નથી. શત્રુ તે કર્મ છે. દીર્ધદષ્ટિ નથી તેથી તાત્કાલિક વસ્તુ પર દષ્ટિ કરે છે. કર્મ દેખાતાં નથી, પણ નિમિત્ત દેખાય છે તેથી જીવ ભૂલે પડે છે. કૃપાળુદેવે લખ્યું છે કે કેઈને વાંક નથી. અમે કર્મ બાંધ્યાં છે, તે અમારે ભેગવવાનાં છે. દષ્ટિ જે પિતાના ભણું વળે તો હિત થાય. સારામાં સારાં નિમિત્ત મળ્યાં, છતાં જીવ ફર્યો નથી. પિતાને રંગ ના મૂકે તે તીર્થ કર જેવાને સંગ નિષ્ફળ જાય. કર્મ એવો છે કે બળવાન નિમિત્તમાં પણ સારી વસ્તુને પર્શ ન થવા દે. માટે કર્મ બાંધતાં પહેલાં વિચાર કરવાનું છે. જ્ઞાનીને શરણે જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે. દેડ જેવાને નથી, પણ આ જીવ ને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તે એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઈચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તે પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તેય તીર્થંકરગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તે લાવ છે એમ રાખવું. સમ્યફ થાય એવા ગુણે મારામાં ન આવ્યા તે બધું પાણીમાં ગયું. એમ મનમાં રાખવું. પહેલી દષ્ટિમાં પહેલામાં પહેલે ગુણ “અદ્વેષભાવ” આવે છે. નહીં વળી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે.” બધાનું ભલું થાઓ એવી જેની ઈચ્છા હોય તેનું કલ્યાણ થાય. તેષ કલ્યાણને નાશ કરનાર છે. કઈ પ્રત્યે કિંચિત માત્ર ઠેષ ન કરે, એટલું શીખી લે તે બહુ છે. પહેલામાં પહેલું પગથિયું મૈત્રીભાવ છે. ૮૦ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧, ૨૦૧૨ જે કૃપાળુદેવને શરણે આવ્યા છે તે બધાનું કલ્યાણ થશે. એક વખતે શ્રી રણછોડ ભાઈએ પ્રભુશ્રીજીને પૂછ્યું કે આ અહીં બેઠા છે, તે બધાનું કલ્યાણ થશે કે નહીં ? પ્રભુશ્રીજીએ કહ્યું કે શાળા જેવાનું થશે તો આ બિચારા એ શો દોષ કર્યો છે? પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે પણ એમ કહેવામાં લાભ નથી. પૂજ્યશ્રો–(મુમુક્ષુઓને ઉદ્દેશીને) તમને એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બધે વખત નકામે જતું રહે છે, કંઈ થતું તે નથી? મુમુક્ષુ–નકામું તે નથી લાગતું, પણ કંઈ થતું નથી એમ તે થાય છે. પૂજ્યશ્રી—એમ થાય તે પુરુષાર્થ જાગે. નહીં તે આશ્રમમાં રહ્યા છીએ ને? બધું થશે. એમ થઈ જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનું નથી. તરવારની ધાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તે અધીરજ આવી જાય. તેથી પુરુષાર્થ થાય નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy