________________
૩૩૦
બોધામૃત પછી દિશાએ જઉં. એટલામાં આ જીવ આવી ચઢો. પુણ્ય ચઢે ત્યારે એ યુગ બની આવે છે.
૭૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આ વદ ૧૪, ૨૦૦૯ - જીવને સંસાર વધારે છે અને જ્ઞાની કહે કે સંસાર છોડવાને છે, તે એને ગમે? દિવસે દિવસે લેભ વધારતે હેય તેને લેભ છેડવાનું ક્યાંથી ગમે? અન્યાય ન કરે તે નીતિ કહેવાય. આ પ્રકારને વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લેભને લઈને એ વ્યવહાર કરે તે અનીતિ જ છે. પ્રાણ જાય પણ મારે નીતિ છેડવી નથી, દુરાચાર સેવ નથી, એમ જેને હોય તેને જ્ઞાનીને બોધ પરિણામ પામે. પ્રાણ જાય પણ ધર્મ ન છોડે એવું થાય ત્યારે ધર્મ પરિણમે. આ કાળમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સાતે ય વ્યસન અનીતિ છે. એ સાત વ્યસનને ત્યાગ જીવ બરાબર પાળતું નથી. પાળે તે એમાં નીતિ બધી આવી જાય છે. આ વિપરીત કાળ વર્તે છે, માટે ક્ષણે ક્ષણે સાવચેતી રાખવાની છે.
સમયે સમયે કર્મ બંધાય છે. તે એની સામે પડવા સમયે સમયે પુરુષાર્થ કરે પડશે. અનાદિકાળને અભ્યાસ ફેરવે છે. આત્માનું ભાન થયું હોય છતાં ક્યારે મિથ્યાત્વને ઉદય થશે તેની ખબર નથી. માટે ચેતતા રહેવાનું છે. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ગણધરેને પણ તીર્થકર ભગવાને એક સમય માત્રને પ્રમાદ ન કરે એમ કહ્યું. જીવને પડવાનાં ઘણું સ્થાનકે છે. વૈરાગ્ય વગર ધર્મમાં આગળ વધાય નહીં અને વૈરાગ્યમાં આ કાળમાં ઘણું વિડ્યો છે, માટે પુરુષાર્થ કરવાનું છે. જીવ ભણે છે, પણ ગણતું નથી. એનું ભણવું કંઈ ગણતરીમાં નથી. અજ્ઞાન છે તે અંધારા જેવું છે. અંધારામાં બધું સરખું લાગે, તેમ અજ્ઞાનદશામાં દેહ અને આત્મા એક માને છે, બધું સરખું માને છે.
૭૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૦)), ૨૦૦૯ મરણ વખતે બહુ સાચવવાનું છે. ચાર દિવસમાં જેટલી માળા ફેરવે તેટલું સમાધિ ખાતે જમે થયું કહેવાય. ભગવાને સમાધિમરણ કર્યું તેથી આ દિવાળી પર્વ થયું. તે પછી લૌકિક થઈ ગયું, પણ પ્રભુશ્રીજીએ પાછું તાજું કરાવ્યું. મુમુક્ષુ જીવને ચેતવાનું છે. ગમે તે વખતે એક આત્માર્થે જ જીવવું છે. એમ કરતાં કોઈક વખતે સમ્યક્ત્વ થઈ જાય. એકને એક ભાવ એક્તાર રહે એવું કરવાનું છે, જીવ જે વિચાર કરે તે ઘણું લાભ થાય. આત્મસિદ્ધિને દિવસ, દિવાળી પર્વ એ દિવસે એવા છે કે જીવ રંગાઈ જાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સમાધિમરણની ચાર આરાધના કહેવાય છે. કર્મ તે છૂટવા માટે આવે છે. કર્મ તે અમને છોડો અમને છોડે એમ કહે છે, પણ જીવ કર્મના ઉદયે ગભરાઈ જાય છે. પહેલાં કંઈ મહાવરે કરી મૂક્યો હોય તે વેદના સમભાવે વેદાય. ઉપશમ
એટલે કષાય પ્રત્યે અભાવ, કષાયની મંદતા. મારું તારું વગેરે કલેશ સમાય ત્યારે ઉપશમભાવ થાય. પાંચ ઈન્દ્રિયેના વિષમાં રાગ ન થાય તે વૈરાગ્ય, ઉપશમ વેરાગ્ય હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org