________________
સંગ્રહ ૫
૩૨૫ ૬૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે વદ ૨, ૨૦૦૯ રિજ કંઈ ને કંઈ નવું શીખવું. સ્મૃતિને કેળવવાની છે. મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તે ઘણું જીવનચરિત્ર જેવું છે. એક ભવમાં ઘણું ભાને સરવાળો થયેલ છે. ખરું જીવન તે એમના પત્ર છે. આ કાળમાં એવા ગંભીર ભાવે કઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આખે મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ સમજાય તે આપણું જીવન ઉત્તમ થાય. મહાપુરુષના જીવન સંબંધી જાણે તે એને ભક્તિ જાગે. એમાંથી મારે કામનું શું? એ લક્ષ રાખે તે કંઈ ને કંઈ શીખવા મળે. એક કરતાં બે જણ ભેગા થઈને વાંચવું એ સત્સંગ કહેવાય. એકલે ભક્તિ કરતે હેય તે ઊંઘ આવે, આળસ થાય. પણ સમૂહમાં ભક્તિ કરવાની હોય તે ઉલ્લાસ આવે. “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૬૬). જેમ જેમ ગરજ વધશે તેમ તેમ વિશેષ સમજાશે. જ્ઞાનને શરણે રહી આત્માનું કામ કરવું છે.
જ્ઞાનાવરણીય કર્મ એવું છે કે પુરુષાર્થ કરે તે ખસી જાય, પણ મોડનીય કર્મ ખસવું બહુ અઘરું છે. બધું કરીને મેહુ દૂર કરવાને છે. “રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ.” મેહનીયકર્મથી આઠે કર્મ બંધાય છે. મેહનીયકર્મ બધી પ્રકૃતિને કર્મો વહેંચી આપે છે. મેહનીય ઓછું થાય તે પછી બધાં કર્મ ઓછાં થાય. લાયકસમક્તિ હેય તે તે ન જાય. ક્ષપશમ કે ઉપશમ હોય તે જતું રહે. સમ્યગ્દર્શન વિના બધું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. ચૌદપૂર્વ સુધી ભર્યો હોય પણ સમક્તિ જતું રહે તે બધું અજ્ઞાન. એ મેક્ષના કામમાં ન આવે. આત્મા છે એવું દઢ થાય તે પછી આત્માનું હિત કરવું છે એવું દઢ થાય. હું દેહ છું' એમ થાય, તે દેહને પોષનારાં કારણ મેળવે. પોતાને દેહરૂપ માની પોતાના જ્ઞાન ઉપર આવરણ કર્યું છે.
દે ટાળવા માટે સત્સંગ એ ઉત્તમ સાધન છે. જ્યાં સુધી અસંગદશા ન આવે ત્યાં સુધી સત્સંગ કરવાનું છે. સત્સંગનું ફળ અસંગપણું છે. સત્સંગ કરીને એ કરવાનું છે. જ્ઞાન થયા પછી પણ બીજો પરિચય વધારે રહેતે હેય તે આત્મામાં રહેવા વધારે બળ કરવું પડે. કૃપાળુદેવ લખે છે કે “પ્રાયે સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વે વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે.” (૪૫૩). પુરુષાર્થ વગર સંસારસમુદ્ર તરાય નહીં.
આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે દરેક પ્રદેશ જાણવાનું કામ કરે છે. સંસારમાં હોય ત્યાં સુધી શુદ્ધ રીતે જાણતા નથી. જે જાણે તેમાં રાગદ્વેષ થાય છે. તેથી આત્મા ખેંચાય છે. આ જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉપગ પ્રવર્તે છે. નિમિત્તવાસી જીવ કહ્યો છે. જ્યારે એની સામે પડે ત્યારે વૃત્તિ ભટકતી અટકે છે. અત્યારે રાગદ્વેષ ભણી ઉપગ પ્રવર્તે છે. સંસારનું સ્વરૂપ રાગદ્વેષ કરાવે એવું છે. “પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયેગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org