SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૫ ૩૧૩ એનું ઘણું વેદન કર્યું છે. નિરંતર સત્સંગની ઉપાસના તે જ આ કળિયુગથી બચવાનું સાધન છે. જેને કઈ પણ પ્રકારની ઈચ્છાઓ પ્રાયે ઉત્પન્ન થતી નથી તેમને પણ આ કળિકાળ “ગળકાં ખાતાં ખાતાં સંસાર સમુદ્ર માંડ તરવા દે છે.” (૪૫૩). સમયે સમયે થાકી જવાય એટલે પુરુષાર્થ એમને તરવા માટે કરે પડે છે. જેટલું બળ હોય તેટલું બધું વાપરવું પડે. સત્સંગ સત્સંગ એમ એમને થયા કરે છે. સત્સંગ હોય તે આત્મભાવ પિષાય, નહીં તો વૃત્તિ ઠેકાણે રાખવી બહુ મુશ્કેલ છે. મેહની સાથે એમને લડવું પડે છે. સત્સંગની તરસ એમને લાગે છે અને સત્સંગને વેગ મળે નહીં. ક્ષેત્ર, પ્રારબ્ધ કે કઈ પ્રત્યે દ્વેષ પરિણામ ન થાય તેમ એઓ સાચવે છે. સમભાવ રાખે છે. સમ્યગ્દર્શન છે તે બચાવે છે. એટલી બધી પ્રવૃત્તિ કરવી પડે છે છતાં એમને આત્મા જાણે કંઈ કરતો નથી એમ લાગે છે. “ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ.” કર્મ આવીને જાય અને નવાં કર્મ ન બંધાય તે તે દેવું પડે એવું છે. એમને આત્મા સમભાવમાં રહે છે. વ્યવહાર કરતાં પણ એમને કર્મની નિર્જરા થાય છે. જ્યારથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું ત્યારથી બધું અસાર લાગે પણ પ્રારબ્ધને લઈને ઉપાધિમાં પ્રવર્તવું પડે છે. કર્મ પકડી રાખે છે. આ ઉપાધિ છે તેના કરતાં વધારે આવે અને કર્મો વહેલાં ક્ષય થાય તે સહન કરવાની એમને ઇચ્છા છે. ચિત્ત નિગ્રંથદશાને ગ્ય થઈ ગયું છે. કશી કામના રહી નથી. કૃપાળુદેવને એવું જ્ઞાન હતું કે આગળપાછળનાં કર્મો કેવાં છે, તે જાણુ શક્તા. નિર્ચથદશા પ્રાપ્ત કરવી છે, તેની ભાવના રહ્યા કરે છે. અને વચ્ચે પ્રારબ્ધ આડું આવે છે, તેથી મુઝવણ થાય છે. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” (૧૫) જ્ઞાની જાણે છે કે આ ભેગવવાનું છે, તેથી ધીરજ રાખે છે. આત્મજ્ઞાન હોવા છતાં, ઘણા જીને લાભ થાય એ સંભવ છતાં પ્રારબ્ધ એવું છે કે કેઈનું હિત કરાતું નથી. કેઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય રાગદ્વેષ થતાં નથી. જગતની કઈ વસ્તુ ગમતી નથી, પણ સત્સંગની ઈચ્છા રહે છે. નિવૃત્તિ ક્ષેત્ર-કાળની ભાવના રહે છે, તે એક આત્મવિચાર કરવા માટે રહે છે, સર્વસંગપરિત્યાગ અત્યારે થાય એવું નથી, પણ નિવૃત્તિક્ષેત્રને વેગ ક્યારે મળે, કયારે મળે એમ ઈચ્છા રહે છે. સેભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે. તે પણ સહેજે થાય તે કરો. તમને અહીં બોલાવીને સત્સંગ કરે એમ નથી રહેતું. કેમકે આ ક્ષેત્ર (મુંબઈ) ઉપાધિવાળું છે, તેથી જેવો જોઈએ તે લાભ ન થાય. ઉદય એ છે કે પરાણે પરાણે આત્મા સાધન કર્યા કરે છે. સોભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે તમે પણ સમભાવપૂર્વક ઉપાધિયોગને વેદ. મૌનપણે વેદવું, એટલે આમ કરું તેમ કરું તે આ ઉપાધિગ મટી જાય એવાં ઝાવાં ન નાખવાં, એ સંબંધી બહુ વિકલ્પ ન કરવા. સમભાવ રાખીને સહન કરવું. સમભાવ આવશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy