SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૧ આત્મામાં રાખવાને પુરુષાર્થ કરવાને છે, ચેતવા જેવું છે. આખરે તે સાતા અને અસાતા બનને સરખાં જ છે. આ જીવે ઘણું ભવમાં પિતાને દુઃખી કર્યો છે. માટે આ ભવમાં દેહને પ્રધાનપણું આપવા ગ્ય નથી. રસ્તામાં જતાં કેઈ શત્રુ મળે તે કંઈ તકરાર થાય નહીં તેમ સાચવીને રસ્તે ઓળંગી જઈએ પણ અંતરમાં શત્રુપણાના ભાવ જાય નહીં તેમ દેહે શત્રુનું કામ કરેલું છે, તેની સાથે સમજીને માત્ર કામ ચલાવવાનું છે. અંતરમાં તે તે ભેદ રાખવે. એમાં કદી એકાકાર થવું નહીં. અસાતામાં તે મંત્ર યાદ આવે તે મંત્ર, હે પ્રભુ યાદ આવે છે તે, પણ ત્યા કરવું બીજું કંઈ પેસવા દેવું નહીં. માનસિક દુઃખ કે શારીરિક દુઃખ હોય પણ ઉપગ ફેરવી લેતાં આવડતું હોય તે તેને દુઃખ માલમ પડે નહીં. ૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૮-૯-૪૪ ઉપદેશછાયામાં કહ્યું છે કે “તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછા હઠે નહીં.” માથું મૂકે તે મોક્ષ મેળવે. એથી દષ્ટિમાં “ધર્મ અર્થે બહાં પ્રાણનેજી છાંડે, પણ નહીં ધર્મ” એમ છે. ચાર દષ્ટિ પરિણામ પામે ત્યારે સમ્યગ્દર્શનને લાયક થવાય. ભાવાચારજ સેવનાર પછી ગઢષ્ટિ જીવ થાય. મહાત્મા જ્ઞાની પુરુષોએ સંસારનું સ્વરૂપ જાણ્યું ત્યારે એક નિશ્ચય ઉપર આવ્યા કે કઈ પણ પ્રકારે સંસારમાં સુખ નથી. પરમકૃપાળુ દેવે છએય દર્શનને નિર્ણય કરી મેક્ષમાર્ગ બતાવ્યો છે. વૈરાગ્ય આવ્યાં બાદ તે એક ભવ પણ કરે પડે તે સહન થાય નહીં. સંસારમાં રહેલે જીવ એમ જાણે કે આટલું કરી લઉં, એકાદ ભાવ વધારે કરે પડશે તે કરીશું. પણ સંસાર તે એ છે કે આંગળી આપતાં પચે પકડી લે અને છૂટવા દે નહીં. કેઈથંક્યું હોય તેના ઉપર માખી બેસે અને તેના પગ ભરાય ત્યારે જે કરે તે વધુ લખદાય, માથું મારે તો માથું ભરાય, પણ છૂટે નહીં. તેવું સંસારનું સ્વરૂપ જાણૂવું. સંસારમાં આસક્તિ રાખવી અને મેક્ષ મેળવો તે બને તેવું નથી. જેમ જેમ આસક્તિ ઓછી થતી જાય તેમ તેમ જ્ઞાની પુરુષનું કહેવું સમજાય. ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૧–૯–૪૪ પરમકૃપાળુ દેવનું એક એક વચન અલૌકિક છે. પિતે અનુભવ કર્યો તે જ બતાવ્યું છે. જેને મેક્ષ મેળવે છે, તેનું કામ થઈ જશે. બાકી આ કાળમાં મેક્ષ નથી વગેરે વાત કરી, પુરુષાર્થ કરે નહીં તે શું મળશે? પિતે અનુભવથી સિદ્ધ કરી આપ્યું કે પુરુષાર્થ કરે તે જરૂર મેક્ષ મળશે. પુણ્ય ઉપાર્જન કરી દેવકની આશા રાખશે તેને મેક્ષ કેવી રીતે થશે? જેમને મેક્ષને ખપ નથી, તે ગમે તેવી વાત કરી અટકી રહેશે. સંસારના પદાર્થો ઉપર જેટલું ચિત્ત ઓછું જશે તેટલું પુરુષનાં વચનામાં રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy