________________
*
કવું ,
૩૦૮
બધામૃત નહીં. સ્મરણથી એવું થાય છે, માટે સ્મરણ મૂકી દેવું, એમ ન કરવું. વધારે વિકલ્પ આવે તે મોટેથી ઉતાવળે “સહજત્મસ્વરૂપ પરમગુરુ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” “સહજાત્મસ્વરૂપ પરમગુરું એમ ધૂન લગાવવી. મુઝાવું નહીં. મરણ કર્યા જ કરવું. એ છોડવું નહીં. ક્યાંય હવે જવું નથી અને આવવું ય નથી.
૬૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૯ જીવને કર્મ બંધાય છે તે ન બંધાય એવું કરવાનું છે. સમયે સમયે અનંત કર્મ બંધાય છે. એ આત્માને રોગ થાય છે. મુઝવણના વખતમાં આત્માના વિચાર આવવા મુશ્કેલ છે. “તેવા પ્રસંગમાં કંઈ છેડો વખત ગમે તેમ કરી કામકાજમાં મન જે, નિર્વિકલ્પ જે કરી નાખ.” (૭૩). જે થવાનું હોય તે જ થાય છે, એમ જાણ મુઝવણના વખતમાં ગભરાવું નહીં. મનને કઈ સારા કામમાં જોડી દેવું. ત્યાં મન તલ્લીન થાય એવું કરી દેવું. - સત્સંગને નામે જીવ ઠગાય છે. જ્યાં આત્માનું કામ થાય ત્યાં સત્સંગ છે. જ્ઞાનીનું એક એક વચન કીમતી છે. એ તે આત્માને ઉદ્ધાર કરવા માટે જ કહે છે. બહુ હિતકારી શિખામણ છે. કાળ એ છે કે પિતાને કંઈક સંસારી વાસના હોય તે પુરુષ સિવાય બીજાને જણાવવાની જરૂર નથી. કેમકે બીજાને જણાવે છે તે વાસનાને પિષે અને સપુરુષને જણાવે તો, તેઓ તે કઢાવી નખાવે. સત્સંગને નામે પણ જીવ ઠગાય છે. એ તે મુમુક્ષુ છે ને ! એમ કરી જીવ સંસારી ઈચ્છાઓને પોષે, સંસારી વાત કરે, એ કંઈ સત્સંગ નથી. બે ચાર મુમુક્ષુ ઓટલા ઉપર બેસી સંસારી વાત કરે તે કેટલાંય કર્મ બાંધે. વાતે કરતાં કરતાં ક્યાંય ચઢી જાય. એ કંઈ સત્સંગ નથી. કુસંગ છે. જીવે બહુ ચેતવા જેવું છે.
૬૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૧, ૨૦૦૯ મન જે દુરિચ્છા કરે તે એને આપવું નહીં. વિલાસ વગેરે ઇછે તે એને આપવું નહીં. સામા પડવું તે એ વશ થાય. મન નાના છોકરા જેવું છે. તેને વશ રાખે તે વશ રહે, નહીં તે ભટકે. વિવેકની જરૂર છે. જેનું ફળ સંસાર આવે તે ઈચ્છા રેકવાની છે. જેનું ફળ મેક્ષ આવે તે ઈચ્છા કરવાની છે. સૂક્ષમ અવલોકનની જરૂર છે. મન ક્યાં ક્યાં જાય છે? એ તપાસવું. મન શી શી ઇચ્છાઓ કરે છે? શા સંક૯૫વિકલ્પ કરે છે? તે થેડી ડી વારે જવાની જરૂર છે. મન ઉપર ચાકી રાખવાની જરૂર છે. નહીં તે નિરંકુશ થઈ જાય. કઈ પણ વસ્તુ આપણામાં ઘર કરી બેસે એમ ન કરવું. નહીં તે કર્મ બંધાય. જેને છૂટવું છે તેણે નવું ન બંધાય એ પુરુષાર્થ કરે. એ કર્મ બંધાવનાર મન છે.
કયા ઇચ્છત? ખોવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ;
જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” (હા. ૧-૧ર) ઈચ્છાઓ રોકવાની છે. પિતાની ઇચ્છાએ વર્તે તે સંસાર વધે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે મક્ષ થાય. સ્વછંદ હોય તે સંસાર થાય અને આજ્ઞા હોય તે મેક્ષ થાય. જ્ઞાનીનું કહેલું માન્ય થાય અને લોકોનું કહેલું અમાન્ય થાય એવું કરવું. સાંસારિક લૌકિકભાવમાં મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org