________________
બોધામૃત
તે રાગદ્વેષ ન કરવાની છે. વિભાવથી છૂટી સ્વભાવમાં આવવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. રાગ છેડ્યા વિના આજ્ઞા આરાધાતી નથી. “હું દેહાદિસ્વરૂપ નથી.” દેહાદિસ્વરૂપ મારે માનવું નથી. “દેહ સ્ત્ર પુત્રાદિ કોઈ પણ મારાં નથી.” એ બધું એને સમજણ પડે, આંખે દેખાય એવું કહ્યું. આવે જેને નિર્ણય થયે તેને વૈરાગ્ય સહેજે રહે. પછી થાય કે હું કોણ છું? “શુદ્ધચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” (૬૯૨). એવી જ્ઞાનીએ કહેલી આજ્ઞા આરાધે તે રાગદ્વેષ ક્ષય થઈ મેલ થાય.
જન્મમરણ થવાનું કારણ જ્ઞાનીની આજ્ઞા આરાધી નથી એ છે. કૃપાળુદેવ આપણને પૂછે છે કે તમે આત્માનું કલ્યાણ કરવા ધારે છે કે પ્રમાદમાં રહેવા? એતાન થયા વિના તે છૂટકે નથી. આટલું વિચારાય તેય ઘણું છે. જ્ઞાનીની આ વચનરૂપી લાકડી લાગશે નહીં ત્યાં સુધી સંસારની કેડ ભાંગશે નહીં.
૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૪, ૨૦૦૯ વધારે સત્સંગની જરૂર છે. સત્સંગે ઘણી શંકાઓનું સમાધાન થઈ જાય એવું છે.
કૃપાળુદેવનાં વચને વાંચતી વખતે એ લક્ષ રાખ કે કૃપાળુદેવ આપણને જ કહે છે. એ વસ્તુ જે હું હૃદયમાં રાખીશ તે કલ્યાણ થશે, એ ભાવ રાખ. જીવને માહાભ્ય લાગ્યું નથી. એટલે અંદર ભાવ પેસે તેટલું કામ થાય. ભાવ જેટલું આવ્યું હોય તેટલું કામ થાય. ગોળ નાખે તેટલું ગળ્યું થાય. સમજાય ન સમજાય તે પણ જ્ઞાનીનાં વચન કાનમાં પડે છે, તે હિતકારી છે. ત્યાં આગળ એનું ચિત્ત નિર્મળ થાય છે, પરમાર્થથી રંગાય છે. જીવ પહેલાં આગલા દેહમાં હતું ત્યાં એણે સાધન કર્યા હતાં પણ ફરી જન્મવું ન પડે એવું સાધન કર્યું નથી. જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તે મોક્ષ થાય. દૂધ હોય તે વધારે વાર પડ્યું રહે તે બગડી જાય અને જે મેળવણ નાખે તે દહીં થઈ જાય. તેમ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે સવળું થાય, નહીં તે કેટલાય ભવ બગડી જાય. આજ્ઞાએ વર્યો હત તે ફરી જન્મવું ન પડત. એટલી કાનબૂટી ઝાલે તે એને થાય કે જ્ઞાનીની આજ્ઞા એ જ મારું જીવન છે. એ તૂટે તે હું જીવતે મર્યા જેવો છું, એમ લાગે. “જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે” (૫૧૧). જેને જ્ઞાનીને સંગ થયે છે તેને પછી વધારે ભવ કરવાના રહે નહીં. આજ્ઞાએ વર્તે તો એને સમકિત પમાડી ક્ષે લઈ જાય. આજ્ઞા એ સમતિનું કારણ છે. આજ્ઞા-સમકિત કહેવાય છે. જીવને એનું માહાતમ્ય નથી લાગ્યું. કંઈ નહીં, બે ભવ વધારે થશે! એમ છવ કરે છે. તરવાનું સાધન મળ્યું તે પ્રાણ જતાં પણ છેડવું નહીં. “આજ્ઞામાં જ એક્તાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (૧૪૭) કેની આજ્ઞા? એ નકકી કરી પછી એકતાન થવાનું છે. આજ્ઞા જ્ઞાનીની આરાધે તે મેક્ષે લઈ જાય અને અજ્ઞાનીની આરાધે તે સંસારમાં લઈ જાય. આપણને પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને માનવા. બીજા કેઈને જ્ઞાની ગુરુ માનવા નથી. જ્ઞાની એને તરવાને જ ઉપાય બતાવે છે. જ્ઞાની પુરુષ કહે છે કે મોક્ષે જવું હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org