SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૫ ૩૩ તેથી બીજે ચિત્ત રહે છે. પોતાના દે કઢાવે એવા સદ્દગુરુનો વેગ મહાપુણ્ય થાય છે. સમ્યક્ત્વ એ આંખ છે. તેથી સાચે છેટો રસ્તો દેખાય છે. જેને સંગ કરે તે જીવ થઈ જાય. ગુણવાનની ભક્તિ કરે તે ગુણ પ્રાપ્ત થાય. પહેલામાં પહેલે લક્ષ એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે વીતરાગ છે કે નહીં ? કૃપાળુદેવે એ જ લખ્યું છે કે જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી.” (૪૬૬) જે અજ્ઞાનીની ભક્તિ કરે તે આખી જિંદગી એની નકામી જાય. જગતમાં દેખાદેખી ભક્તિ થાય છે. સાચા સદૂગુરુ મળ્યા હોય અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો તે પાણીમાં કમળ રહે તેમ રહે છે. વૈભવ એને બાધા કરતું નથી. ભરત મહારાજને જ્યાં જુઓ ત્યાં ભગવાન જ દેખાતા. એવી ભક્તિ એમને હતી. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે. - કેવળી કળીઓવાળો આહાર લેતા નથી. શરીરને ચોગ્ય જે પુદ્ગલે જોઈએ તે એમને મળી રહે છે. સમયે સમયે અનંતી શુભ ઔદારિક વર્ગણ ગ્રહણ થાય છે. કર્મ બધે એટલે પણ આહાર કર્યો. નિશ્ચયનયથી તે આત્માની પાસે જ કર્મ પડ્યાં હોય તે પણ તે આત્માનાં નથી. જડને નિમિત્તે જીવ ભાવ કરી શકે છે. પ્રતિમા દેખીને પણ સમ્યગ્દર્શન થાય છે. પ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ કિં. ૩, ૨૦૦૯ જ્ઞાનીની આજ્ઞાથી જીવનું કલ્યાણ થાય છે. બીજી હઠગની ક્રિયા કરે પણ પરમાર્થ ની તે આજ્ઞામાં એક્તાન થયા વિના સમજણ પડે નહીં. આજ્ઞાને મૂકી બીજે જાય તે આત્મા કદી જણાય નહીં. બધા જગતથી ઉદાસીન થાય ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. પારકી પંચાત મૂકી આજ્ઞામાં એક્તાન થવું. જગતનું બધે વિસ્મરણ થઈ જાય, ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. એવું ન થાય ત્યાંસુધી પરમાર્થ પ્રાપ્ત થતું નથી. ઘણુ મનુષ્યભવે મળ્યા તે બધા શામાં ગયા? તો કે કેટલાય ભવ શાસ્ત્રો ભણવામાં, જપ તપ વગેરેમાં ગયા, પણ આજ્ઞામાં એકતાન થવાયું નથી. પાંચ ઈન્દ્રિયરૂપ ચેરે છે તે એને ઉપગ ચેરી લે છે. એકતાન થયા વિના માર્ગ મળે એવું નથી. એ થવું બહુ દુર્લભ છે. અને એ વિના તો છૂટકે નથી. ટૂંકામાં જીવને કરવા ગ્ય શું તે બતાવ્યું. કેઈ મહાપુણ્યના યોગે આજ્ઞા મળે અને તેને ગૂરણા સહિત આરાધે તે જીવ છૂટે. નહીં તે છૂટે એવો નથી. આજ્ઞામાં એકતાન થવું કેટલું અઘરું છે? જ્ઞાનની આજ્ઞા આરાધવામાં મેહ મદદ કરે તેમ નથી. બધું ભૂલવાનું છે. ઉપગને ઉપયોગમાં રાખવાનું છે. ઘણા શ્વાસ રેકે છે, ઈન્દ્રિયે રોકે છે, પણ જ્યાં સુધી મોહ મદદ કરે ત્યાં સુધી છૂટે નહીં. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” પણ આજ્ઞાથી માર્ગ સુલભ છે. આજ્ઞામાં ચિત્ત અચળ થાય તે કર્મ બંધાય નહીં. એ આજ્ઞા જીવને સમજાતી નથી. એની અપૂર્વતા જીવને લાગતી નથી. પુરુષને વેગ થવો કેટલે દુર્લભ છે! એનાં વચન સાંભળવાં કેટલાં દુર્લભ છે! એની શ્રદ્ધા થવી કેટલી દુર્લભ છે! આજ્ઞા આરાધવી કેટલી દુર્લભ છે! એમ જીવને માહાસ્ય લાગતું નથી. ખરી આજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy