SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ બધામૃત છે. પુરુષનાં વખાણ કરે ત્યાં પ્રભેદભાવ છે. પરના પરમાણુ જેટલા ગુણને જોઈને તેને પર્વત જેવા ગુણ ગણીને પ્રમોદ પામે છે–પિતાનું હૃદય વિકસાવે છે, એવા સંતપુરુષે હોય છે. સ્વાર્થને માટે પ્રમોદ થાય તે સ્વાર્થ છે, માયા છે. બીજાના ગુણે જોઈને આનંદ પામવાથી લાભ છે. એ પિતાના ગુણો ઉત્પન્ન થવાનું કારણ છે. જે દુઃખી હોય તેને જોઈને કરુણભાવ આવે, તેથી તેને જેનાથી પીડા હોય તે કારણે નિવારણ કરવાં તે કરુણભાવ છે. બીજા જાને મદદ કરવાના ભાવ તે કારુણ્યભાવના છે. કેઈ શિખામણ આપે તેય માને નહીં એવા તથા દેવ-ગુરુ-ધર્મની નિંદા કરનારા હોય તેઓને જોઈને ખાટું ન લાગે, મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થભાવ છે. મધ્યસ્થ રહેવું, એ ઉત્તમ વસ્તુ છે, નહીં તે વેર બંધાય. જેમાં સગુણ ન હોય એવા પ્રત્યે રાગ ન કરે અને ઠેષ પણ ન કરે તે મધ્યસ્થભાવ છે. પિતે જેની ઉપાસના કરતે હોય તેની કેઈ નિંદા કરે તે દ્વેષભાવ થઈ જાય છે. એવું ન થવા દેવું. એથી કર્મ બંધાય છે. મૈત્રી, પ્રદ, કારુણ્ય અને માયસ્થ એ ચારે ભાવના દરેક ધર્મમાં હોય છે. તીર્થંકરનામકર્મ બાંધે છે તે સેળ કારણભાવનાથી બાંધે છે. [“ચારિત્ર ચક્રવતી” વંચાત]. ૫૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૯ ઈન્દ્રિયના વિષયેમાં ઈષ્ટ અનિષ્ટ થાય છે, ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. ઈન્દ્રિય રોકવા માટે મનને મંત્રમાં જેડે તે આડાઅવળી જેવા કરવામાં ન જાય. મન કાય તે ઈન્દ્રિયે જિતાય. “જ્ઞાને બાંધ્યું મન રહે.” મોક્ષમાર્ગે જવા માટે ભૂમિ વૈરાગ્ય છે. એ હોય તો જગતમાં વૃત્તિ ખેંચાય નહીં. વૃત્તિ એ મનની પરિણતિ છે. વૃત્તિ એ ભાવમન અથવા આત્મા જ છે. એને ન જાણે તે ભાવ ક્યાંય રહે. જ્ઞાન હોય તો મન આત્મામાં રહે છે. ઇન્દ્રિયે વશ ન થતી હોય અને “મારે જવું છે એમ કરે તે મેક્ષ ન થાય. ઈન્દ્રિયે તે એક એક એવી છે કે નરકે લઈ જાય. કાચબે પિતાના અંગેપગને ઢાલમાં સંકેચી રાખે છે તેથી એને કંઈ બાધા ન થાય, તેમ જે પુરુષ પાંચ ઇન્દ્રિ ને વિષથી સંકેચી લે, તેને કર્મબંધન ન થાય. પાંચ ઇન્દ્રિયે છે તે પાંચ તરવારે છે. માથું કાપી નાખે એવી છે. પાંચ ઇન્દ્રિમાં વૃત્તિ રહે તેટલી આત્મામાં રહે તે મેક્ષ કેમ ન થાય? આત્મામાં વૃત્તિ રહે તે બે ઘડીમાં કેવળજ્ઞાન થઈ જાય. ઈન્દ્રિયેથી આનંદ મેળવવા જાય, પણ એ તો ક્ષણિક છે. ઈન્દ્રિયના વિષયે નાશવંત અને કર્મ બંધાવનારા છે. ક્ષણિક સુખ માટે છે કેટલું કષ્ટ વેઠે છે! નાશવંત વસ્તુઓને માટે મનુષ્યભવ ગુમાવ નથી. એથી સંતોષ થાય એવું નથી. જ્યારે આત્માનું સુખ અનુભવાય ત્યારે ઇન્દ્રિનાં સુખ એને ઝેર જેવાં લાગે. “આત્માથી સૌ હીન” એમ લાગે. એક જે જંગલમાં રહેનારા મુનિ સુખ ભેગવે છે, તેને અનંતમે ભાગ પણ ઈન્દ્રનું સુખ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે –“નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. ચાલે ત્યારે— (તે ઈન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી) તે પણ પરમ દુઃખી હતે.” (હા. ૧–૫). જડ એ પરવસ્તુ છે. તેના રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શને ગ્રહણ કરનાર એવી ઈન્દ્રિયે તે ચોર છે. તેને મનવચનકાયા દ્વારા મુનિ રેકે છે. એટલે મનને પાંચ ઇન્દ્રિયોમાં જવા ન દે, ઈન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy