________________
સંગ્રહ પ
૨૯૭
મ કહી દીધા. હવે કરવું એના હાથમાં છે. ક્રેડ અને ઇન્દ્રિયોને પાષવી નથી. પેાતાના આત્માને ઠપકો આપી ચેતાવવાના છે. પ્રમાદમાં જીવ ઘણું! કાળ ગાળે છે. પ્રમાદ છેાડીને જ્ઞાનીએ કહ્યું તે કરવું છે. ભલે થાડું થાય તો થાડું પણ ખેંચ એ રાખવી. ચીવટ જોઈ એ. સંસારનું સ્વરૂપ એવું છે કે જીવને પકડી લે, હાડે નહીં. પણ જો આત્મા મળવાન થાય તા છૂટે. બધાને રાજી રાખવા જાય તે છૂટે નહીં. જગતને રૂડું દેખાડવા તા ઘણુ કર્યું; પણ હવે આત્માને રૂડુ' દેખાડવા કરવાનું છે. જીવ ચેતે તેા સહજ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. પેાતાને પેાતાનું હિત કરવાનું છે. આત્માને હિતરૂપ થાય તે કરવાનું છે. જ્યાંસુધી શરીર ચાલે ત્યાંસુધી ભક્તિ કરી લેવી. આપણા મનુષ્યભવ લૂંટાઈ જાય છે માટે મનુષ્યભવ સફળ કરવા. જે ધારે તે મનુષ્યભવમાં કરી શકે છે. દઢપ્રહારીએ કેટલાં પાપ કર્યાં, પણ અળિયા થયા તે તે ભવમાં જ મેક્ષ થઈ ગયા.
પૈસા ને મેાક્ષ એય ન મળે. જીવને મેાક્ષનું માહાત્મ્ય લાગ્યું નથી. સત્સંગ વિશેષ કરે તે માહાત્મ્ય લાગે. અંદરથી આત્મા ઝંખે કે હુવે છેાકરવાદ કરવે। નથી. ઘણા દહાડા ગયા પણ હવે કામ કરવું. સત્પુરુષના યાગ થયા તેને પોષે તે કામ થાય; આત્મા દોષને પોષે છે. દોષને ઢાંક ઢાંક કરે છે. પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય બધામાં જીવા છે. હિંસા થાય તેથી પાપ અંધાય છે, તે ભેગવવું પડે છે. પૈસા તે અહીં જ પડયા રહેશે. કંઈ આત્માનું હિત કરવું, પાપ છેડવાના લાગ આવ્યા છે. જીવને વિચાર નીં. સત્સંગે કઈ સાંભળવા મળે તે વિચાર જાગે,
“જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણું.”
પૈસાટકાની સંભાળ રાખે છે, પણ આત્માનું કંઈ નહીં. જીવ પૈસા પૈસા કરે છે, એના હિસાબ રાખે છે; પણ આત્માની કંઈ કાળજી નથી. કંઈક સારા વિચાર આવે તે ભાવના થાય કે મને સત્પુરુષના ચૈાગ થયા છે તે આત્માનું કામ થાય એવું છે. પગ મૂકતાં પાપ છે. કર્મ બધાય એવી સ્થિતિમાં કેટલા કાળ ગાળ્યો છે ! હવે પાછળના ભાગ સત્પુરુષની આજ્ઞામાં ગાળે તાય કામ થાય એવું છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તા સહુજમાં હમણાં જ તેને આત્મજન્ટંગ પ્રગટે.” (૫૬૯). જીવને ગરજ ન જાગે તે મનુષ્યભવ ફૂટી અદામનેાય નથી. કરવા જેવું ન કર્યું તેા નકામું છે. જાગ્યા તા ચિંતામણિરત્ન જેવા મનુષ્યભવ છે. એક ક્ષણ પણ રત્નચિ‘તામણિ છે. સત્સંગ હાય તે પુરુષાથ જાગે.
[ચારિત્ર ચક્રવતી” વંચાતાં]
પર્ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૬, ૨૦૦૯
સ જીવ પ્રત્યે મૈત્રીભાવ કરવેા. કોઈ આપણુને પ્રિય હાય તેનું દિલ દુભાય એવું આપણે કરતા નથી, તેમ આખા જગત પ્રત્યે મૈત્રીભાવ કરવા. એક મૈત્રીભાવના હૃદયમાં ચાંટે તે એ અપૂર્વ વસ્તુ છે. મૈત્રીભાવ ભાવે એથી રિદ્ધિએ પણ ઉત્પન્ન થાય છે. જરા પણ ગુણુ દેખાય તે બહુમાન થાય તે પ્રમાદભાવના છે. પ્રમેાદ એ ભક્તિનું ખીજું રૂપ
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org