________________
ધામૃત
પણ તેમને પિતાના ઉપકાર માનતા અને કૃપાળદેવની જયંતી મનાવતા. ગાંધીજી લખે છે કે અહિંસાધર્મ જે શીખે હેલું તે આ રાયચંદભાઈ (રાજચંદ્રજી) પાસે શીખે છું. ગાંધીજીને જે બ્રહ્મચર્ય વગેરેના ભાવ થયેલા તે શ્રીમદ્ રાજચંદ્રને લઈને. પૂર્વની કેટલીક કમાણુ હોય તે જીવને સાંભરી આવે. નાની ઉંમરમાં જૈનધર્મનું રહસ્ય એમણે પ્રગટ કર્યું. મૂળ વસ્તુ હતી તે બધી એમણે જ્ઞાન થયેલું તેના આધારે કહી. એ જૈનધર્મના સુધારક કહેવાય છે. લેકે રૂઢિમા પડ્યા હતા અને મૂળ વસ્તુ ભૂલી ગયા હતા. તે સુધારવા એમણે બધું લખ્યું છે. [“ચારિત્ર ચક્રવતી” વંચાતાં
૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૮, ૨૦૦૯ ક બીજાને દુઃખી કરી પિતે દુઃખી થાય છે. બીજાને દુખ થાય એવું રળે તે તે પણ પાપનું કારણ છે. અશાતા વેદની બંધાય છે. દાન છે તે વાવવા જેવું છે. એક દાણે વાવે તે હજાર દાણા થાય. અદત્તાદાન એટલે આપ્યા વગર લેવું તે ચેરી છે. દાન કરે તે પુણ્ય થાય છે, અદત્તાદાનથી પાપ થાય છે. મુનિને દાન કરે–શાસ્ત્રનું દાન, ઔષધદાન, અભયદાન, આહારદાન એ બધાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય તેવું દાન દેવાયેગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણું વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તે સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી આપવાનું ય ન રહે.
ભેજરાજા બહુ ઉદાર હતા અને ગમે તેને મેટી મેટી રકમો ઉદારતાથી દાનમાં આપતે. તેથી મંત્રીએ એને સમજાવે એમ વિચારી સિંહાસન પર “આપત્તિને વિચાર કરી દાન કરવું જોઈએ એમ લખાવ્યું. રાજા સમજી ગયા કે દાન દેવાને નિષેધ કરે છે, તેથી ઉત્તરમાં રાજએ વાક્ય લખાવ્યું કે “ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?” તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે “કદાચ દેવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય. રાજાએ તેને ઉત્તર એમ લખાવ્યું કે, “દુર્ભાગ્યને ઉદય થશે તે તે વખતે લદ્દમી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા.”
પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેને સદુપયેગ કરે તે સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન આપવાનું છે. તે દાન દેનારા સુખી થાય અને લેનારા પણું સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તે નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે. [“ચારિત્ર ચક્રવત” વંચાતાં]
૪૬ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૦, ૨૦૦૯ હવે ચેથા વ્રત સંબંધી કહે છે. મૂળ વ્રત તે અહિંસાવ્રત છે, તેને પિષવા બીજાં વ્રતે છે. મૈથુનમાં પણ હિંસા છે. તેથી ત્યાગવા કહ્યું છે. નિશ્ચયથી તે આત્મામાં રહેવું તે બ્રહ્મચર્ય છે. પણ તે માટે વ્યવહારબ્રહ્મચર્યની જરૂર છે. પરસ્ત્રીને માતા, બહેન, પુત્રી સમાન ગણવી. મનની નિર્મળતા ન થવાનું કારણ અબ્રહ્મચર્ય છે. મન જીતવું હોય તે બ્રહ્મચર્ય પાળવા યોગ્ય છે. જગતમાંથી કંઈ જોઈતું નથી એમ થાય ત્યારે બ્રહ્મચર્ય પળાય. પ્રભુશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org